________________
४ स्था. उ. ४ पुष्करसंवर्ताद्या मेघपुरुषाः, करण्डकपुरुषा वृक्षमत्स्यगोलपकटाः चतुष्पदाद्याः पविभिनिष्कृष्टाद्याः ३४.३५२ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
જ્ઞાદિ ગુણથી હીન છે. (૧૯) ચાર પ્રકારના વૃક્ષો કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક વૃક્ષ શાલ નામનું અને શાલ પરિવારવાળું છે, ૨. કોઈક શાલનામા અને એરંડના પરિવારવાળું છે, ૩. કોઈક એરંડનામા અને શાલના પરિવારવાળું તથા ૪. કોઈક વૃક્ષ એરંડ નામનું અને એરંડના પરિવારવાળું છે. (૨૦) આ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણ–૧, કોઈક આચાર્ય શાલ સમાન ઉત્તમ ગુણયુક્ત છે અને શાલ પરિવાર ઉત્તમ ગુણયુક્ત પરિવારવાળા છે. એ પ્રમાણે ચતુર્ભાગી જાણવી. (૨૦) આ સંબંધમાં ચાર ગાથાઓનો અર્થ આ પ્રમાણે છે
શાલવૃક્ષોના મધ્યમાં જેમ શાલ નામનું વૃક્ષ, વૃક્ષોનો રાજા હોય છે તેમ ઉત્તમ આચાર્ય, સુંદર શિષ્યો વડે રાજા સમાન જાણવા અર્થાત્ સુધર્માસ્વામી જેવા સ્વયં આચાર્ય પણ ઉત્તમ અને જંબૂસ્વામી વગેરે ઉત્તમ પરિવાર જાણવો /૧/ એરંડ વૃક્ષોની મધ્યમાં જેમ શાલ વૃક્ષોનો રાજા હોય છે તેમ અસુંદર શિષ્યોના મધ્યમાં સુંદર આચાર્ય હોય છે. જેમ સ્વયં ગર્ગાચાર્ય ઉત્તમ અને તેનો પરિવાર અસુંદર હતો ર // શાલ વૃક્ષોની મધ્યમાં જેમ એરંડ વૃક્ષોનો રાજા હોય છે તેમ સુંદર શિષ્યોની મધ્યમાં અસુંદર આચાર્ય હોય છે. જેમ અભવ્ય અંગારામર્દક આચાર્ય ઉત્તમ પાંચ સો શિષ્યના પરિવારવાળા હતા /Isll એરંડ વૃક્ષોની મધ્યમાં જેમ એરંડ વૃક્ષોનો રાજા હોય તેમ અસુંદર શિષ્યોની મધ્યમાં અસુંદર આચાર્ય જાણવો જો” ચાર પ્રકારના મચ્છો કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક મચ્છ અનુશ્રોતચારીનદીના પ્રવાહ પ્રમાણે ચાલે છે, ૨, કોઈક મચ્છ પ્રતિશ્રોતચારીપ્રવાહની સામે ચાલે છે, ૩. કોઈક મચ્છ પ્રવાહના તીરમાં ચાલે છે અને ૪. કોઈક મચ્છ પ્રવાહના મધ્યમાં ચાલે છે. (૨૨) એ દૃષ્ટાંતે ચાર પ્રકારના અભિગ્રહધારી સાધુઓ કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક સાધુ ઉપાશ્રયથી આરંભીને ક્રમશ: ભિક્ષાટન કરે છે તે અનુશ્રોતચારી, ૨. કોઈક સાધુ અમુક ગૃહસ્થના ઘરથી આરંભીને ઉપાશ્રય પ્રત્યે આવે છે તે પ્રતિશ્રોતચારી. ૩. કોઈક સાધુ છેલ્લા ઘરોને વિષે ભિક્ષાટન કરે છે તે અંતચારી અને ૪. કોઈક સાધુ મધ્ય ભાગના ઘરોને વિષે ભિક્ષાટન કરે છે તે મધ્યચારી. (૨૩) ચાર પ્રકારના ગોળા કહેલા છે, તે આ પ્રમાણે–૧. મીણનો ગોળો, ૨. લાખનો ગોળો, ૩. કાષ્ટનો ગોળો અને ૪. માટીનો ગોળો. (૨૪) આ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક પુરુષ મીણના ગોળા સમાન કોમળ હોય છે. ૨, કોઈક લાખના ગોળા સમાન કંઈક કઠણ હોય છે. ૩. કોઈક કાષ્ઠના ગોળા સમાન વિશેષ કઠણ હોય છે અને ૪. કોઈક પુરુષ માટીના (પત્થરના) ગોળા સમાન પરિષહાદિ સહન કરવામાં અત્યંત કઠણ હોય છે. (૨૫) ચાર પ્રકારના ગોળા કહેલા છે, તે આ પ્રમાણે–૧. લોઢાનો ગોળો, ૨. ત્રપુ-કલાઈનો ગોળો, ૩. ત્રાંબાનો ગોળો અને ૪. સીસાનો ગોળો. (૨૬) આ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–૧. લોઢાના ગોળા સમાન, ૨. કલઈના ગોળા સમાન, ૩. ત્રાંબાના ગોળા સમાન અને ૪. સીસાના ગોળા સમાન, ક્રમશઃ અધિક ભારે હોય છે. (૨૭) ચાર પ્રકારના ગોળા કહેલા છે, તે આ પ્રમાણે-૧. રૂપાનો ગોળો, ૨. સોનાનો ગોળો, ૩. રત્નનો ગોળો અને ૪. હીરાનો ગોળો. (૨૮) એ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–૧. રૂપાના ગોળા સમાન, ૨. સોનાના ગોળા સમાન, ૩. રત્નના ગોળા સમાન અને ૪. હીરાના ગોળા સમાન. ક્રમશઃ આ સર્વ જ્ઞાનાદિ ગુણ વડે શ્રેષ્ઠ છે. (૨૯) ચાર પ્રકારના પત્ર-પાંદડાંની જેમ ઝીણી ધાર] કહેલ છે, તે આ પ્રમાણે–૧, તરવારની ધાર, ૨, કરવતની ધાર, ૩. સુર-સજાયાની ધાર અને ૪. કદંબચરિકા-શસ્ત્રવિશેષની ધાર. (૩૦) આ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–૧. અસિપત્ર સમાન યાવત્ ૪ કદંબચરિકા પત્ર (ધાર) સમાન, સ્નેહપાસને છેદવામાં સમર્થ છે. (૩૧) ચાર પ્રકારના કટ-પાથરવાની વસ્તુવિશેષ કહેલ છે, તે આ પ્રમાણે–૧. સુંબ-તૃણવિશેષથી બાંધેલ કટ (સાદડી), ૨. વાંસની સળીઓથી ગુંથેલ કટ, ૩. ચામડાથી ગુંથેલ કટ અને ૪. કંબલકટ. (૩૨) આ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—મુંબ કટ સમાન યાવતું કંબલકટ સમાન–ગુરુ વિગેરેમાં અલ્પ, વિશેષ, વિશેષતર અને વિશેષતમ પ્રતિબંધ (રાગ) વાળા છે. સૂ૦ ૩૪૯ll
- 459