________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
४ स्थानकाध्ययने उद्देशः ४ गर्जितादिमेघपुरुषाः ३४६ सूत्रम् દાનાદિ આપતો નથી, ૨. કુપાત્રમાં આપે છે પણ પાત્રમાં દેતો નથી, ૩. બન્નેમાં આપે છે અને ૪. બન્નેમાં આપતો નથી. (૧૦) ચાર પ્રકારના મેઘ કહેલા છે, તે આ પ્રમાણે—૧. કોઈક મેઘ ધાન્યના અંકુરાદિને ઉત્પન્ન કરે છે પણ સંપૂર્ણ ધાન્યને નિષ્પન્ન કરતો નથી, ૨. કોઈક મેઘ સંપૂર્ણ ધાન્યને નિષ્પન્ન કરે છે પણ પ્રથમથી ધાન્યના અંકુરાદિને ઉત્પન્ન કરતો નથી, ૩. કોઈક બન્નેને કરે છે અને ૪. કોઈક બન્નેને કરતો નથી. (૧૧) એ દૃષ્ટાંતે ચાર પ્રકારના માતાપિતા કહેલા છે, તે આ પ્રમાણે—૧. કોઈક માતાપિતા પુત્રને જન્મ આપે છે પણ પાલન કરતા નથી, ૨. કોઈક પાલન ક૨ે છે પણ જન્મ આપતા નથી, ૩. કોઈક જન્મ આપે છે અને પાળે છે અને ૪. કોઈક જન્મ આપતા નથી અને પાળતા નથી. (૧૨) ચાર પ્રકારના મેઘ કહેલા છે, તે આ પ્રમાણે—૧. કોઈક મેઘ એક વિભાગ (ખંડ) માં વરસે છે પણ સર્વત્ર વરસતો નથી, ૨. કોઈક સર્વત્ર વરસે છે પણ વિભાગમાં વરસતો નથી, ૩. કોઈક વિભાગમાં અને સર્વત્ર વરસે છે અને ૪. કોઈક વિભાગમાં કે સર્વત્ર વરસતો નથી. (૧૩) એ દૃષ્ટાંતે ચાર પ્રકારના રાજાઓ કહેલા છે, તે આ પ્રમાણે—૧. કોઈક ૨ાજા અમુક ક્ષેત્રના દેશ–વિભાગનો અધિપતિ છે પણ સર્વનો અધિપતિ નથી—તે પલ્લીપતિ વગેરે, ૨. કોઈક રાજા સર્વનો અધિપતિ છે પણ પલ્લી વગેરે દેશ (વિભાગ) નો અધિપતિ નથી, ૩. કોઈક ઉભયનો અધિપતિ છે તે ચક્રવર્તી વગેરે અને ૪. કોઈક ઉભયનો અધિપતિ નથી તે રાજ્યથી ભ્રષ્ટ થયેલ સમજવો: (98) 1138511
(ટી) સૂત્રો સુગમ છે. વિશેષ એ કે—મેષાઃ—વરસાદો ગરવ કરે છે પણ વૃષ્ટિ કરતા નથી. (૧) એમ કોઈક પુરુષ ગર્જના૨ની જેમ ગર્જા૨વને કરે છે અર્થાત્ દાન, જ્ઞાન, વ્યાખ્યાન, અનુષ્ઠાન અને શત્રુનો નિગ્રહ વગેરે વિષયમાં શબ્દ વડે મહાપ્રતિજ્ઞા કરે પણ મેઘની જેમ વરસનાર નહિ અર્થાત્ સ્વીકારેલ કાર્યનો સંપાદક નહિ, બીજો કાર્યનો કરનાર છે પણ શબ્દથી પ્રતિજ્ઞા કરતો નથી. એવી રીતે ત્રીજો ચોથો ભાંગો જાણવો. (૨) 'વિષ્ણુયાત્ત' ત્તિ॰ વીજળીનો કરનાર. (૩) એમ કોઈક પુરુષ પણ શબ્દ વડે પ્રતિજ્ઞાનો કરનાર છે પણ વીજળી કરનાર મેઘની જેમ દાનાદિ પ્રતિજ્ઞાત કાર્યનો આરંભનો આડંબર કરનાર નથી, બીજો તો આડંબર કરનાર છે પણ પ્રતિજ્ઞા કરનાર નથી. એમ શેષ ત્રીજો તથા ચોથો બંન્ને ભાંગા પણ સમજવા. (૪) કોઈક દાનાદિ વડે વરસનાર છે પણ દાનાદિના આરંભનો આડંબર કરનાર નથી. બીજો તો આડંબર કરનાર છે પણ દાનાદિ કરતો નથી. ત્રીજો બંને કરે છે અને ચોથો કંઈ પણ કરતો નથી. (૫-૬) કાલવર્ષી–અવસરે વરસના૨, એમ અન્ય ત્રણ ભાંગા જાણવા. (૭) પુરુષ તો અવસરે વરસનાર (મેઘ) ની જેમ અવસરે દાન અને વ્યાખ્યાનાદિ વડે પ્રવૃત્તિ કરનાર–આ એક, બીજો તો આથી વિપરીત, એમ શેષ બે ભાંગા જાણવા. (૮) ક્ષેત્ર-ધાન્યાદિનું ઉત્પત્તિસ્થાન. (૯) પુરુષ તો ક્ષેત્રમાં વર્ષનારની જેમ પાત્રને વિષે દાન અને શ્રુતાદિનો નિક્ષેપક (વાવનાર)–આ એક, બીજો આથી વિપરીત, ત્રીજો તથાપ્રકારના વિવેકની વિકળતાને લઈને અતિશય ઉદારતાથી અથવા શાસનની પ્રભાવના વગેરે કારણથી ઉભય સ્વરૂપપાત્ર તથા કુપાત્રને આપનાર અને ચોથો તો દાનાદિ કાર્યને વિષે પ્રવૃત્તિ નહિ કરનાર (કૃપણાદિ) (૧૦) જનનિયતા—જે મેઘ વૃષ્ટિ વડે ધાન્યને અંકુરાદિ રૂપે ઉત્પન્ન કરે છે અને નિર્માપયિતા તો જે મેઘ વૃષ્ટિ વડે જ સફળપણાને પ્રાપ્ત કરે છે. (૧૧) એવી રીતે માતા, પિતા પણ પ્રસિદ્ધ છે. એમ આચાર્ય પણ શિષ્ય પ્રત્યે જોડવા યોગ્ય છે. (૧૨) વિવક્ષિત ભરત વગેરે ક્ષેત્રના અથવા પ્રાવૃત્ વગેરે કાળના દેશવિભાગમાં અને પોતાના (મેઘના) દેશ વડે જે વર્ષે છે તે દેશવર્ષી, જે મેઘ સર્વ ક્ષેત્ર અને પ્રાવૃત્ વગેરે સર્વ કાળમાં અથવા સર્વાત્મ વડે વર્ષે છે તે સર્વવર્ષી, ત્રીજા ભાંગાના વિકલ્પો આ પ્રમાણે—ક્ષેત્રથી દેશમાં અને કાળથી સર્વત્ર વર્જે છે ૧, ક્ષેત્રથી દેશમાં અને પોતાથી સર્વાત્મ વડે વર્ષે છે ૨, કાળથી દેશમાં અને ક્ષેત્રથી સર્વત્ર ૩, કાળથી દેશમાં અને પોતાથી સર્વાત્મ વડે ૪, અથવા પોતાથી દેશ વડે અને ક્ષેત્રથી સર્વત્ર ૫, પોતાથી દેશ વડે અને કાળથી સર્વત્ર ૬, ક્ષેત્ર અને કાળથી દેશમાં અને પોતાથી સર્વત્ર ૭, ક્ષેત્રથી દેશમાં, પોતાથી દેશ વડે અને કાળથી સર્વત્ર ૮, કાળથી દેશમાં, પોતાથી દેશ વડે અને ક્ષેત્રથી સર્વત્ર ૯. આ ઉક્ત નવ વિકલ્પો વડે જે મેઘ વર્ષે છે તે દેશવર્ષી અને સર્વવર્ષી છે. ચોથો ભાંગો સુજ્ઞાત છે. (૧૩) ૧. રાજા તો મેઘની જેમ
456