________________
તે
४ स्थानकाध्ययने उद्देशः ४ प्रसर्पकाः आहारः आशीविषाः ३३९-३४१ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ આહાર કહેલ છે, તે આ પ્રમાણે—અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. દેવોને ચાર પ્રકારે આહાર કહેલ છે, તે આ પ્રમાણે–શુભ વર્ણવાળો, શુભ ગંધવાળો, શુભ રસવાળો અને શુભ સ્પર્શવાળો. ૩૪૦ll ચાર પ્રકારે જાતિ વડે આશીવિષ કહેલ છે તે આ પ્રમાણે—૧. વીચ્છુ જાતિનો આશીવિષ, ૨. મંડુક દેડકાની જાતિનો આશીવિષ, ૩. સર્પ જાતિનો આશીવિષ અને ૪. મનુષ્યની જાતિનો આશીવિષ. પ્રશ્ન-હે ભગવન્! વૃશ્ચિક (વીંછું) જાતિના આશીવિષનો વિષય કેટલો કહેલ છે? ઉત્તર-વૃશ્વિક જાતિનો આશીવિષ સ્વવિષવડે અદ્વે ભરતના પ્રમાણવાળા શરીરને વિષમય કરે અને શરીરને વિદારી નાખવા માટે સમર્થ થાય છે. વિષના અર્થપણાથી શક્તિમાત્ર છે, પરંતુ નિશ્ચય પૂર્વોક્ત શરીરની પ્રાáિારા વિષમય કર્યા નથી, કરતા નથી અને કરશે પણ નહિ. દેડકાની જાતિના આશીવિષ સંબંધી પ્રશ્નનો ઉત્તર-મંડુક જાતિના આશીવિષ પોતાના વિષ વડે ભરતક્ષેત્ર પ્રમાણ શરીરને વિષમય કરવા માટે સમર્થ છે પણ કર્યા નથી, કરતા નથી અને ક૨શે નહિ. સર્પની જાતિના આશીવિષ સંબંધી પ્રશ્નનો ઉત્તર-સર્પની જાતિનો આશીવિષ પોતાના વિષ વડે જંબુદ્રીપપ્રમાણ શરીરને વિષમય કરવા માટે સમર્થ છે પરંતુ કર્યા નથી, કરતા નથી અને ક૨શે નહિ. મનુષ્ય જાતિના આશીવિષ સંબંધી પ્રશ્નનો ઉત્તર-મનુષ્ય જાતિનો આશીવિષ પોતાના વિષ વડે સમયક્ષેત્ર (મનુષ્યક્ષેત્ર) પ્રમાણવાળા શરીરને વિષ વડે પરિણત કરવા અને શરીરને વિદા૨ણ ક૨વા સમર્થ છે, તેનો શક્તિમાત્ર આ વિષય છે પરંતુ કર્યા નથી, કરતા નથી અને કરશે પણ નહિ. ll૩૪૧||
(ટી૦) 'વૃત્તરિ પસપ્પો'ત્યાદ્િ॰ આ સૂત્રનો અનંતર સૂત્ર સાથે આ પ્રમાણે સંબંધ છે–અનંતર સૂત્રમાં દેવો અને દેવીઓ કહ્યા, તેઓ ભોગવાળા અને સુખવાળા હોય છે માટે ભોગો અને સુખોને આશ્રયીને પ્રસર્પાકના ભેદો કહેવાય છે. આવા પ્રકારના સંબંધવિશિષ્ટ આ સૂત્રની આ પ્રમાણે-પ્રકર્ષ-વિશેષ વડે 'સતિ' ભોગાદિકને માટે એક દેશથી બીજા દેશ પ્રત્યે જાય છે—સંચરે છે અથવા આરંભ અને પરિગ્રહથી વિસ્તારને પ્રાપ્ત થાય છે તે પ્રસર્પાકો. 'અનુવ્વત્રાળ' ત્તિ॰ (અહિં દ્વિતીયા વિભક્તિના અર્થમાં છઠ્ઠી છે.) પ્રાપ્ત નહિ થયેલ શબ્દાદિક ભોગોને અથવા તેના કારણભૂત ધન અને સ્ત્રી વગેરેને 'ટપ્પાત્ત' ત્તિ॰ સંપાદન કરવા માટે, અથવા અનુત્પન્ન ભોગોને ઉત્પન્ન કરતો થકો કોઈ એક 'પ્રસન્તિ'—જાય છે અથવા પ્રસર્પાક (જનારો) થાય છે, ભોગાદિકની ઇચ્છાવાળા પ્રાણીઓ સંચરે છે. કહ્યું છે કે—
धावेइ रोहणं तरइ, सागरं भमइ गिरिनिगुंजेसु । मारेइ बंधवं पि हु, पुरिसो जो होज्ज (इ) धणलुद्धी || २१५ । अइ बहुं वह भरं, सहइ छुहं पावमायरइ धो[धिट्ठो] ।
ત-સીલ-નાતિપ—યદિઠું = તોમહુબો વયક્ ર૬।।
જે મનુષ્ય ધનનો લોભી હોય છે તે રોહણગિરિ પ્રત્યે દોડે છે, સમુદ્ર તરે છે, પર્વતની ગુફાઓને વિષે ભટકે છે અને ભાઈને પણ મારે છે. વળી ઘણું જ રખડે છે, ભારને વહે છે, ક્ષુધાને સહે છે, પાપને આચરે છે તેમજ લોભમાં આસક્ત અને ધૃષ્ટ નિર્લજ્જ થયો થકો કુલ, શીલ-સદાચાર અને જાતિની મર્યાદાને પણ છોડે છે. (૨૧૫-૨૧૬)
વળી પ્રથમ મેળવેલાનું અથવા પાઠાંતરથી 'પ્રત્યુત્પન્નાનાં’—વર્તમાનમાં મળેલા (ભોગાદિક)નું રક્ષણ કરવા માટે, 'સૌલ્લાનામ્'—ભોગ વડે પ્રાપ્ત કરવા યોગ્ય આનંદ વિશેષો માટે સંચરે છે શેષ સુગમ છે. II૩૩૯।।
ભોગ અને સૌખ્યને માટે સંચરનારા કર્મ બાંધીને નારકપણાએ ઉત્પન્ન થાય છે માટે આહારના અધિકારથી નારકોના આહારનું નિરૂપણ કરતાં થકા સૂત્રકાર કહે છે—'નેવાળ'મિસ્ત્યા॰િ સ્પષ્ટ છે. વિશેષ એ કે—અલ્પ કાળ દાહ-બળતરા હોવાથી અંગારાની ઉપમા જેવો, ઘણા કાળ પર્યંત બળતરા થવાથી મુર્મુરના જેવો, શીતવેદનાનો ઉત્પાદક હોવાથી શીતળ અને અત્યંત શીતવેદનાના ઉત્પાદક હોવાથી હિમશીતળ છે. ઉપર્યુક્ત ચારે ક્રમશઃ એક એકથી અધિક વેદનાવાળા છે. આહારના અધિકારથી તિર્યંચ, મનુષ્ય અને દેવ સંબંધી આહારનું નિરૂપણ કરવા માટે ત્રણ સૂત્ર 'તિવિદ્ધ નોળિયાળ'મિત્યાદ્રિ-સ્પષ્ટ છે. વિશેષ એ કે-કંક (પક્ષીવિશેષ) ની આહાર વડે ઉપમા છે જેમાં તે મધ્યમ પદ (આહારપદ) ના લોપથી કંકોપમ અર્થાત્
445