________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
४ स्थानकाध्ययने उद्देशः ३ आहरणभेदाः ३३८ सूत्रम् સમાગમ સિવાય તારે મારી પાસે આવવું’ એમ કબૂલાત કરાવીને માળીએ છોડી. ત્યાર બાદ ક્યારેક તે પરણી છતી, પતિને પૂછીને રાત્રિએ માળી પાસે જતી હતી તેવામાં ક્રમશઃ ચોર1 અને રાક્ષસે પકડી. તેણીએ સત્ય વૃત્તાંત કહ્યું છતે “જ્યારે તું પાછી વળે ત્યારે અમારી પાસે આવજે' એમ નક્કી (કોલ) કરીને તેઓએ છોડી. પછી તે બગીચામાં ગઈ. માળીએ “આ સ્ત્રી સત્ય પ્રતિજ્ઞાવાળી છે એમ જાણીને અખંડિત શીલ સહિત તેણીને વિદાય કરી. તેમજ ચોર અને રાક્ષસે પણ વિદાય કરી. ત્યાર બાદ પતિ પાસે આવી.” આ પ્રમાણે કથા કહીને “અહો લોકો! પતિ, માળી, ચોર અને રાક્ષસમાંથી દુષ્કર કામ કરનાર કોણ?” એમ અભયકુમારે પૂછ્યું, ત્યારે ઈર્ષાળુ વગેરે લોકોએ પતિ, માળી અને રાક્ષસને દુષ્કર કામ કરનાર તરીકે જણાવ્યા પરંતુ ચાંડાલ ચોરે, ચોર દુષ્કરકારક છે' એમ કહ્યું, તેથી અભયકુમારે પણ આ ઉપાય વડે ભાવને ઓળખીને તેજ ચોર છે એમ નક્કી કરીને ચોરને બંધાવી લીધો. આ સંબંધમાં બે ગાથા દર્શાવે છે–
एमेव चउविगप्पो, होइ उवाओवि तत्थ दव्वम्मि । धाउव्वाओ पढमो, णंगलकुलिएहिं खेत्तं तु ॥१९८॥ कालोवि नालियाईहिं, होइ भावम्मि पंडिओ अभओ । चोरस्स कए णट्टिय, वड्डकुमारि परिकहिंसु ॥१९९।।
[दशवै० नि० ६१।६२ ति] એ પ્રમાણે (અપાયની જેમ) ચાર પ્રકારે ઉપાય છે. ત્યાં દ્રવ્ય ઉપાયમાં ધાતુવાદનું ઉદાહરણ, ક્ષેત્ર ઉપાયમાં લાંગલ અને .. કોદાળી, કાળ ઉપાયમાં નાળિકા (ઘડીયાલ) સમય જાણવા અને ભાવ ઉપાયમાં અભયકુમારે વૃદ્ધાકુમારીની કથા કહીને ચોરને પકડ્યો. (૧૯૮-૧૯૯)
૩. 'વાવાને' રિ૦ સ્થાપવું તે સ્થાપના, તેનું કર્મ તે સ્થાપનાકર્મ. જે દષ્ટાંતદ્વારા પરમતને દૂષિત કરીને સ્વમતની સ્થાપના કરાય છે તે સ્થાપનાકર્મ, દ્વિતીય (બીજા) અંગમાં બીજા શ્રુતસ્કંધને વિષે પુંડરીક નામનું પહેલું અધ્યયન છે તેમાં કહેલું છે કે-કોઈક બહુલ કાદવ અને જળવાળી પુષ્કરણી છે, તેના મધ્યભાગમાં રહેલ મહાપુંડરીક કમળને લેવા માટે ચાર દિશાએથી ચાર પુરુષો કાદવવાળા માર્ગો વડે પ્રવેશ કરવા માટે તૈયાર થયા પરંતુ તેઓ કમળને મેળવ્યા સિવાય કર્દમમાં ખેંચી ગયા. અન્ય પુરુષ તો કાંઠા ઉપર રહ્યો થકો તેમજ કર્દમને સ્પર્યા સિવાય જ અમોઘવચન વડે પુંડરીકને મેળવતો હતો. આ દષ્ટાંત છે, અહિં ઉપનય આ પ્રમાણે-કર્દમના સ્થાન જેવા વિષયો, પુંડરીક સમાન રાજાદિ ભવ્ય પુરુષ, ચાર પુરુષો સમાન પરતીર્થિકો, પંચમ પુરુષ સમાન સાધુ, અમોઘ વચન સમાન ધર્મદેશના અને પુષ્કરણી સમાન સંસાર, તેનાથી ઉદ્ધાર સમાન નિર્વાણ છે. આ દૃષ્ટાંતને વિષે વિષયની અભિલાષાવાળા અન્યતીર્થિકોને સંસારથી તારકપણું નથી અને સાધુને તો તેથી વિપરીત છે. અર્થાત્, ભવ્યના તારક છે. આ પ્રમાણે કહેતાં આચાર્યે પરમતના દૂષણ વડે સ્વમતનું સ્થાપન કર્યું. આ દૃષ્ટાંત સ્થાપનાકર્મ થાય છે. અથવા પ્રાપ્ત થયેલ દૂષણને દૂર કરીને પોતાના અભિપ્રાયની સ્થાપના કરવી, આવા પ્રકારના અર્થની પ્રાપ્તિ જેનાથી થાય તે સ્થાપનાકર્મ. કોઈક માળીએ રાજમાર્ગમાં વડીનીત કરવારૂપ અપરાધને દૂર કરવા માટે તે સ્થાનને વિષે પુષ્પોનો પંજ કરવાથી “આ શું છે?” એમ પૂછનારા લોકોને “આ હિંગુશિવ દેવ છે” એમ બોલતા થકા તે માળીએ વ્યંતરના આયતનની સ્થાપના કરી. આ આખ્યાનથી અવશ્ય ઉક્ત અર્થ નિશ્ચિત થાય છે માટે આ સ્થાપનાકર્મ છે. તથા નિત્યાનિત્ય વસ્તુ છે એમ જિનમત કહે છે માટે અસંગત છે કારણ કે વિરુદ્ધ ધર્મનો અધ્યાય છે, આ પ્રમાણે વાદીએ આપેલ દૂષણને દૂર કરવા માટે કહેવાય છે કે-વિરુદ્ધ ધર્માધ્યાસ વિકલ્પની જેમ ભેદનું કારણ નથી. વિકલ્પ જ ક્રમ વડે થનાર વર્ણ(અક્ષર)નો ઉલ્લેખ-કથન કરનાર વિરુદ્ધ ધર્મ સહિત હોય છે. કથંચિત્ એક નહિ થાય એમ નહિ અર્થાત્ એક થાય. ખંડથી અલગ કરેલ અક્ષર સંબંધી સ્વરૂપના લાભનો અભાવ થવાથી અર્થાત્ કોઈપણ શબ્દના દરેક અક્ષરોને જુદા પાડવાથી મુખ્ય અર્થનો અભાવ થાય, પ્રવૃત્તિ અને નિવૃત્તિને વિષે અકારણતા થાય, આ પ્રમાણે અસમંજસ થાય. વિરુદ્ધ ધર્માધ્યાસનું કથંચિત્ અભેદપણું છતે કેવળ નિત્યાનિત્ય થતું નથી. આ . 1. વસ્ત્રાભૂષણ વડે અલંકૃત હોવાથી લૂંટવા માટે ચોરે પકડી અને રાક્ષસે ભક્ષણ કરવા પકડી. 2. ઇર્ષાળુએ પતિને દુષ્કર કરનાર કહ્યો, કામાતુર લોકોએ માળીને અને સુધાતુર જનોએ રાક્ષસને દુષ્કરકારક જણાવ્યો. "
434