SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः २ नन्दीश्वराधिकारः ३०७ सूत्रम् ચાર રાજધાનીઓ કહેલી છે, તે આ પ્રમાણે નંદુત્તરા, નંદા, ઉત્તરકુરા અને દેવકુરા નામની છે. તે અનુક્રમે કૃષ્ણા, કૃષ્ણરાજી, રામા અને રામરક્ષિતા નામની બંદ્રાણીઓ સંબંધી છે. ત્યાં જે અગ્નિકોણમાં રતિકર પર્વત છે તેની ચારે દિશામાં શક્ર નામના દેવેંદ્ર, દેવના રાજાની ચાર અગ્રસહિષીઓની જંબૂદ્વીપના પ્રમાણ જેવડી ચાર રાજધાનીઓ કહેલી છે, તે આ પ્રમાણે–સુમના, સૌમનસા, અગ્ઝિમાલી અને મનોરમા નામની છે. તે અનુક્રમે પહ્મા, શિવ, શચી અને અંજુ નામની દ્રાણીઓ સંબંધી છે. ત્યાં જે નૈઋત્ય કોણમાં રતિકર પર્વત છે તેની ચારે દિશાઓમાં શક્ર નામના દેવેંદ્ર, દેવના રાજાની ચાર અગમહિષીઓની જંબૂદ્વીપના પ્રમાણ જેવડી ચાર રાજધાનીઓ કહેલી છે, તે આ પ્રમાણે-ભૂતા, ભૂતાવસા, ગોસ્તૂપા અને સુદર્શના નામની છે. તે અનુક્રમે અમલા, અપ્સરા, નવમિકા અને રોહિણી નામની ઈંદ્રાણિઓ સંબંધી છે. ત્યાં જે વાયવ્ય કોણમાં રતિકર પર્વત છે ત્યાં ચારે દિશાએ ઈશારેંદ્ર, દેવના રાજાની ચાર અગ્રમહિષીઓની જંબૂદ્વીપના પ્રમાણ જેવડી ચાર રાજધાનીઓ કહેલી છે, તે આ પ્રમાણે–રત્ના, રત્નોચ્ચયા, સર્વરના અને રત્નસંચયા. તે અનુક્રમે વસુ, વસુગુપ્તા, વસુમિત્રા અને વસુંધરા નામની ઈદ્રાણીઓની છે. /૩૦૭ll (ટી) આ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે जंबू १ लवणे धायइ २, कालोये पुक्खराइ ३ जुयलाई । वारुणि ४ खीर ५ घय ६ इक्खू ७ (घतेक्खु ६-७), नंदीसर ८ अरुण ९ दीवुदही ॥१५९॥ [बृहत्सं० ९२ त्ति] ૧. જંબૂદ્વીપ અને લવણસમુદ્ર, ૨. ધાતકીખંડ દ્વીપ અને કાલોદધિ, ૩. પુષ્કરવારદ્વીપથી આરંભીને, ૪. વારુણી, પ. ક્ષીર, ૬. બૃત, ૭. ઇક્ષુ, ૮. નંદીશ્વર અને ૯. અરુણ નામના દીપ અને સમુદ્રો છે યાવત્ સ્વયંભૂરમણ પર્યત દ્વીપના નામ પ્રમાણે સમુદ્રના નામ છે. (૧૫૯) આ ગણના પ્રમાણે નંદીશ્વર દ્વીપ આઠમો છે. તે જ પ્રધાન છે, કેમકે મનુષ્યદીપ સિવાય બીજા દીપોની અપેક્ષાએ અહિં ઘણા જિનભવન વગેરેના સદ્ભાવને લઈને તેનું પ્રધાનપણું છે. તેના ચક્રવાલ વિખંભ (પહોળાઈ)નું પ્રમાણ ૧૬૩૮૪00000 યોજન છે. કહ્યું છે કેतेवढे कोडिसयं, चउरासीई च सयसहस्साई । नंदीसरवरदीवे, विक्खंभो चक्कवालेणं ॥१६०॥ [द्वीपसागर० २५ त्ति] એક અબજ, ત્રેસઠ ક્રોડ અને ચોરાશી લાખ યોજન નંદીશ્વર દ્વીપનું ચક્રવાલ વિખંભ છે. (૧૬) મધ્યરૂપદેશભાગ-દેશનો અવયવ તે મધ્યદેશભાગ. તે ખાસ મધ્યભાગ નહિં, પ્રદેશ વગેરેની ચોક્કસ ગણના વડે નક્કી કરેલ નથી, પરંતુ પ્રાયઃ બહુમધ્યદેશભાગ છે. અથવા અત્યંત મધ્યદેશભાગ તે બહુમધ્યદેશભાગ જાણવો. અહિ અંજનક પર્વતો મૂલ (ભૂતલ) માં દશ હજાર યોજન પહોળા છે એમ કહ્યું, અને દ્વીપસાગરપ્રજ્ઞપ્તિની સંગ્રહણીમાં તો કહેવું છે કેचुलसीति सहस्साई, उव्विद्धा ओगया सहस्समहे । धरणितले विच्छिन्ना य ऊणगा ते दससहस्सा ॥१६१।। [द्वीपसागर० २७ त्ति] ચોરાશી હજાર યોજન ઊંચા, એક હજાર યોજન ભૂમિમાં ઊંડા અને કંઈક ન્યૂન દશ હજાર યોજનના ભૂમિતલમાં પહોળા છે. (૧૬૧). नव चेव सहस्साई, पंचेव य हाँति जोयणसयाई । अंजणगपव्वयाणं, मूलम्मि उ होइ विक्खंभो ॥१६२॥ કિીપલા ર૦ ર ]િ અંજનક પર્વતોનું મૂલ-જમીનના અંદરના ભાગરૂપ કંદમાં સાડાનવ હજાર યોજનની પહોળાઈ છે. (૧૨) नव चेव सहस्साई, चत्तारि य होंति जोयणसयाई। अंजणगपव्वयाणं, धरणियले होइ विक्खंभो ॥१६३।। . દ્વિીપના ૨૦ રૂત્તિ] અંજનક પર્વતોની ભૂમિતલ-સપાટીમાં નવ હજાર ને ચાર સો યોજનની પહોળાઈ છે. (૧૬૩) * 388
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy