SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः २ महाप्रतिपदः २८५-२८८ सूत्राणि આચાર્ય વગેરે ૪. અથવા પોતાના મરણને કરે છે તે આત્માંતકર. એવી રીતે બીજાનું મરણ કરે છે તે પરાંતકર. અહિં પ્રથમ ભાંગાવાળો આત્મવધક, બીજા ભાંગાવાળો પરવધક, ત્રીજો ઉભયવધક અને ચોથો તો બન્નેનો અવધક જાણવો. અથવા પોતે સ્વતંત્ર થકો જે કાર્યો કરે છે તે આત્મતત્રકર, એમ જ પરતંત્ર થકો કાર્યને કરે તે પરતંત્રકર. અહિં પ્રથમ ભંગમાં જિન, બીજા ભંગમાં ભિક્ષુ. ત્રીજા ભંગમાં આચાયદિ અને ચોથા ભંગમાં કાર્યવિશેષની અપેક્ષાએ શઠ-ઠગારો. અથવા ધન અને ગચ્છાદિને પોતાને સ્વાધીન કરે છે તે આત્મમંત્રકર, એવી રીતે બીજા ભાંગા પણ સ્વયં વિચારી લેવા. આત્માને ખેદ કરે છે તે આત્મતમઆચાર્યાદિ, પર-શિષ્યાદિકને ખેદ કરાવે છે તે પરતમ (અહિં સર્વત્ર પ્રાકૃતશૈલીથી અનુસ્વાર જાણવો.) અથવા આત્માને વિષે , તમ (અજ્ઞાન અથવા ક્રોધ) જેને છે તે આત્મતમ. એવી રીતે બીજા ભાગોમાં પણ જાણવું. તથા આત્માને દમે છે-સમતાવાળો. કરે છે અથવા શિક્ષા આપે છે તે આત્મદમ–આચાર્ય અથવા અશ્વનો દમક-સ્વાર, એમ બીજા ભાંગાઓ પણ જાણવા. પરશિષ્ય અથવા ઘોડા વગેરેને જે દમે છે તે પરદમ. ll૨૮l ગઈ કરવા યોગ્ય કાર્યની ગહ કરવાથી દમ થાય છે માટે ગહ સૂત્ર કહે છે. ગુરુની સાક્ષી પૂર્વક આત્માની નિંદા તે ગઈ. ‘ઉપસંપઘે પોતાના દોષનું નિવેદન કરવા માટે ગુરુનો આશ્રય કરું, અથવા ઉચિત-પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરું આવા પ્રકારના પરિણામરૂપ એક ગઈ છે. ગઈના કારણપણાને લઈને કારણમાં કાર્યના ઉપચારથી અને ગહના જેવું જ લ હોવાથી કહેલ પરિણામનું ગોંપણું સમજવું કેમ કે શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે–'નિujથે નાહવફd fઉડવા પડિયા, पविद्वेणं अन्नयरे अकिच्चट्ठाणे पडिसेविए, तस्स णं एवं भवइ-इहेव ताव अहं एयस्स ठाणस्स आलोएमि पडिक्कमामि निंदामि जाव पडिवज्जामि, तओ पच्छा थेराणं अंतियं आलोइस्सामि० से य संपट्ठिए असंपत्ते अप्पणा य पुव्वमेव વાર્તા વારેષ્ના છે જે મંતો વિં મારા વિરા?, જોયમા! મારી હા નો વિરોહણ' [માવતી દાદા ]િ નિર્ગય . ગૃહપતિના કુલમાં આહાર લેવાની પ્રતિજ્ઞા વડે ગૃહમાં પ્રવેશ્યો–આવ્યો છતો (તેણે) કોઈ પણ એક અકૃત્ય સ્થાન સેવ્યું, પછી તેને આ પ્રમાણે વિચાર થાય કે-અહિં જ પ્રથમ હું આ દોષની આલોચના કરું, પ્રતિક્રમણ કરું, નિંદા કરું યાવતું પ્રાયશ્ચિત્તને સ્વીકારું, ત્યાર બાદ સ્થવિરોની સમીપે આલોચના કરીશ યાવત્ પ્રાયશ્ચિત્ત કરીશ, તે સાધુએ પ્રાયશ્ચિત્ત લેવા માટે પ્રયાણ કર્યું પરંતુ સ્થવિર પાસે પહોંચ્યા અગાઉ કદાચ કાલ કરે તો તે મુનિ આરાધક થાય કે વિરાધક થાય? (આવા પ્રકારનો ભગવંત શ્રી ગૌતમસ્વામીનો પ્રશ્ન છે) ઉત્તર-હે ગૌતમ! આરાધક થાય પણ વિરાધક ન થાય. 'લિરિળિછામિ' ત્તિ વિશેષ વડે અથવા વિવિધ પ્રકારોથી વિવિત્સામિ'–“ઉપાય કરું-નિંદનીય દોષોને હું દૂર કરું, આ પ્રકારની વિકલ્પાત્મક ગઈ હોવાથી બીજી ગહ ૨, તથા 'વિવિમિચ્છામીતિ’ રિ૦ જે કાંઈ અનુચિત કર્યું હોય તે દુષ્કૃત્યનું ફલ મને મિથ્યા, થાઓ, આવા પ્રકારની વાસનાગર્ભિત વચનરૂપ ત્રીજી ગહ, ગહના સ્વરૂપપણાથી જ આ પ્રમાણે છે. તથા આપવામાપી' તિ સ્વદોષની ગહના પ્રકાર વડે પણ 'પ્રજ્ઞા' જિનેશ્વરોએ દોષની શુદ્ધિ કહેલી છે, આવું કથન સ્વીકારવારૂપ ચોથી ગહ છે; કેમ કે આવા પ્રકારના સ્વીકારનું ગઈ કારણ હોય છે. 'વં િપન્ના રહે"તિઆ પાઠમાં ઉક્ત વ્યાખ્યાન છે. 'પર્વર પન્ન ' એ પાઠમાં તો જે કાંઈ પાપ કર્યું હોય તે મિથ્યા થાઓ, આ પ્રમાણે સ્વીકારવા યોગ્ય છે. એવી રીતે પણ પ્રરૂપણા કર્યો છતે એક ગહ થાય છે. આવા પ્રકારે વક્તાની પ્રરૂપણાને ગઈ કારણભૂત છે. અથવા '૩૫સંપર્ધ’ હું અતિચારોનો નિષેધ કરું છું એવી રીતે પોતાના દોષના સ્વીકારરૂપ એક ગહ, તથા વિવિત્સામિ'–શંકા નહિં કરવા યોગ્ય જિનેશ્વરભાષિતા ભાવોને વિષે અથવા ગુરુ વગેરેને વિષે દોષ દેખવા વડે હું શંકા કરું છું આવા પ્રકારની જે ગહ (આત્મનિંદા) તે પોતાના દોષને સ્વીકારવારૂપ હોવાથી જ બીજી ગહ ૨, તથા જે કાંઈ સાધુઓને કરવા યોગ્ય નથી તે હું ઇચ્છું છું અર્થાત્ સાક્ષાત્ ન કરવા છતાં પણ મન વડે અભિલાષા કરું છું (અહિં “મકારનો પ્રયોગ આગમ પ્રાકૃતશૈલીને અંગે છે) અથવા જે કાંઈ 1. અન્ય આત્માના સંબંધમાં જેને અજ્ઞાન કે ક્રોધ છે તે પરતમ. 358
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy