SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ४ स्थानकाध्ययने उद्देशः २ कथाः २८२ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ તે આ પ્રમાણે સ્ત્રીની બ્રાહ્મણી વગેરે જાતિ સંબંધી કથા, સ્ત્રીના કુલ સંબંધી કથા એટલે આ ઉત્તમ કુલની છે ઈત્યાદિ, સ્ત્રીના રૂપ સંબંધી કથા-આ સ્ત્રીનું રૂપ સારું છે વગેરે, સ્ત્રીના નેપથ્ય (વેષ) સંબંધી કથા ૧, ભક્ત-ભોજન સંબંધી કથા ચાર પ્રકારે કહેલી છે, તે આ પ્રમાણે–આવા૫કથા-આ રસવતીમાં આ શાક, છૂત વગેરે ચીજો જોઈએ, નિવપકથા-આટલા પક્વાન્નના ભેદો અને આટલા વ્યંજનના ભેદો ઉપયોગમાં આવે છે, ભોજનના આરંભની કથાઆ રસવતીમાં આટલા દ્રવ્યો-પદાર્થો જાઈએ, ભોજનના નિખાનની કથા–આટલા પૈસાનો ખર્ચ આ રસોઈમાં થાય છે. ૨, દેશકથા ચાર પ્રકારે કહેલી છે, તે આ પ્રમાણે—દેશવિધિકથા-મગધાદિ દેશની રચના વગેરેની કથા, દેશવિકલ્પકથાઅમુક દેશમાં અમુક ધાન્ય ઘણું થાય છે વગેરે, દેશછંદકથા–અમુક દેશમાં ગમ્ય અને અમુક અગમ્ય છે ઈત્યાદિ, દેશનેપથ્યકથા-સ્ત્રી-પુરુષોના વેશની કથા ૩, રાજકથા ચાર પ્રકારે કહેલી છે, તે આ પ્રમાણે–રાજાના અતિયાનનગરપ્રવેશની કથા, રાજાના નિયનની કથા-નગર બહાર સવારી નીકળવાની કથા, રાજાના બલ અને વાહનની કથા અને રાજાના ભંડાર તથા કોઠાર વગેરેની કથા. ચાર પ્રકારની ધર્મકથા કહેલી છે, તે આ પ્રમાણે—જેના વડે શ્રોતાને મોહથી ખેંચીને તત્ત્વ પ્રત્યે લઈ જવાય છે તે આક્ષેપણી, શ્રોતાને કુમાર્ગમાંથી સન્માર્ગમાં અથવા સન્માર્ગમાંથી કુમાર્ગમાં લઈ જવાય છે તે વિક્ષેપણી, શ્રોતાને વૈરાગ્ય ઉત્પન્ન કરાવનારી તે સંવેદની અને શ્રોતાને સંસારમાંથી ઉદાસીનતા કરાવનારી તે નિર્વેદની કથા. આક્ષેપણી કથા ચાર પ્રકારે કહેલી છે, તે આ પ્રમાણે સાધુના લોચ વગેરે આચારને પ્રકાશ કરનારી કથા તે આચારઆક્ષેપણી, દોષ ટાલવા માટે પ્રાયશ્ચિત્તને પ્રકાશનારી કથા તે વ્યવહારઆક્ષેપણી, સંશયવાળા શ્રોતાને મધુર વચનો વડે સમજાવનારી જે કથા તે પ્રજ્ઞતિઆક્ષેપણી, શ્રોતાની અપેક્ષા વડે નયને અનુસાર સૂક્ષ્મ તત્ત્વોનું કથન કરનારી કથા તે દૃષ્ટિવાદઆપણી. ૧, વિક્ષેપણી કથા ચાર પ્રકારે કહેલી છે, તે આ પ્રમાણે– સ્વસમય (સિદ્ધાંત) ના ગુણોને કહીંને પછી પરસમયના દોષોને દેખાડે છે, પરસમયને કહીને સ્વસમયનું સ્થાપન કરે છે, પરસમયમાં પણ જે સમ્યગુવાદ છે તેને કહે છે, સમ્યવાદને કહીને તેમાં જે મિથ્યાવાદ છે તેના દોષને બતાવે છે તેમજ પરસમયમાં જે મિથ્યાવાદ છે તેને કહીને સમ્યગુવાદમાં સ્થાપનાર થાય છે. ૨, સંવેગની કથા ચાર પ્રકારે કહેલી છે, તે આ પ્રમાણે–આ લોકસંવેગની-મનુષ્યજીવન વગેરેનું અસારપણું બતાવીને વૈરાગ્ય ઉત્પન્ન કરાવનારી કથા, પરલોકસંગની-દેવાદિનું અસારપણું બતાવનારી કથા, અમારું શરીર અશુચિમય છે ઈત્યાદિસ્વરૂપ બતાવનારી કથા તે આત્મશરીરસંવેગની, એવી રીતે બીજાના શરીરનું અસારપણું બતાવનારી કથા તે પરશરીરસવેગની ૩, નિર્વેદની કથા ચાર પ્રકારે કહેલી છે, તે આ પ્રમાણે–આ લોકમાં આચરેલ ચોરી વગેરે દુષ્ટ કર્મો આ લોકમાં જ દુઃખરૂપ ફલના વિપાકને આપનારા થાય છે, આ લોકમાં આચરેલ દુષ્ટ કર્મો પરલોક-નરકાદિમાં દુઃખરૂપ ફલના વિપાકને આપનારા થાય છે, પરલોક (પૂર્વજન્મ) માં આચરેલ દુષ્ટ કર્મો આ લોકમાં દુઃખરૂપ ફલના વિપાકને આપનાર થાય છે તેમજ પરલોકમાં આચરેલ દુષ્ટ કર્મો પરલોકમાં દુઃખરૂપ ફલના વિપાકને આપનારા થાય છે. ૪. આ લોકમાં આચરેલ સારાં કર્મો આ લોકમાં સુખરૂપ ફલના વિપાકને આપનારા થાય છે ૧, આ લોકમાં આચરેલ સારાં કર્મો પરલોકમાં સુખરૂપ ફલના વિપાકને આપનારા થાય છે ૨, પરલોકમાં આચરેલ સારાં કર્મો આ લોકમાં સુખરૂપ ફ્લના વિપાકને આપનારા થાય છે ૩, તેમજ પરલોકમાં આચરેલ સારાં કર્મો પરલોકમાં સુખરૂપ લના વિપાકને આપનારા થાય છે. //ર૮૨. (ટી) આ સૂત્ર સરલ છે, વિશેષ એ કે-સંયમને બાધક હોવાથી વિરુદ્ધ કથા-વચનની રીતિ તે વિકથા, તેમાં સ્ત્રીઓની અથવા સ્ત્રીવિષયક જે કથા તે સ્ત્રીકથા. આને કથા કહેલી છે તથાપિ સ્ત્રીના વિષયપણાએ સંયમથી વિરુદ્ધ હોવાથી વિકથા છે એમ 1. આ ચાર ભાંગાના સ્વામી ટીકાના અનુવાદમાં કહેલા છે. 349
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy