________________
४ स्थानकाध्ययने उद्देशः २ आर्यादिप्रकाराः वृषभहस्तिदृष्टान्ता २८०-२८१ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ પ્રતિસલીન પુરુષો વડે જ સમજાય છે, માટે પ્રતિસલીનો અને અપ્રતિસલીનો આ સૂત્ર વડે કહેવાય છે. આ પ્રમાણે સંબંધ જાણવો. આ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે-પ્રત્યેક વસ્તુમાં ક્રોધાદિકનો વિરોધ કરનારા તે પ્રતિસલીનો. તેમાં ક્રોધના ઉદયને અટકાવવા વડે અને ઉદય થયેલ ક્રોધને નિષ્ફલ કરવા વડે ક્રોધને અટકાવનારા તે ક્રોધપ્રતિસલીનો કહેવાય છે. કહ્યું છે કેउदयस्सेव निरोहो, उदयप्पत्ताण वाऽफलीकरणं । जं एत्थ कसायाणं, कसायसंलीणया एसा ।।८५॥ કષાયોના ઉદયનો જ નિરોધ કરવો અને ઉદયપ્રાપ્ત કષાયો નિલ કરવા તે કષાયસલીનતા જાણવી. (૮૫)
કુશલ મનની ઉદીરણા-પ્રવૃત્તિ વડે અને અકુશલ મનનો વિરોધ કરવા વડે જેનું મન કાબૂવાળું છે તે પ્રતિસલીન, અથવા મન વડે નિરોધ કરનાર તે મન:પ્રતિસંલીન. એમ જ વચન, કાયા અને ઇન્દ્રિયને વિષે જાણવું. વિશેષ એ કે-મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દાદિ વિષયોને વિષે રાગ-દ્વેષને દૂર કરનાર તે ઇંદ્રિયપ્રતિસલીન જાણવા. આ સંબંધમાં ગાથા દર્શાવે છે કે
अपसत्थाण निरोहो, जोगाणमुदीरणं च कुसलाणं । कज्जमि य विही गमणं, जोगे संलीणया भणिया ॥८६॥
અપ્રશસ્ત યોગોનો નિરોધ કરવો અને કુશલ યોગોની પ્રવૃત્તિ કરવી, કાર્યપ્રસંગે વિધિથી જવું આ યોગ વિષયક સલીનતા જાણવી. (૮૬)सद्देसु य भद्दय-पावरसु, सोयविसयमुवगएसु । तुद्वेण व रुद्रेण व, समणेण सया न होयव्वं ।।८।। શ્રોત્રંદ્રિયના વિષયને સારા અને ખરાબ શબ્દો પ્રાપ્ત થયે છતે સાધુએ રાગ-દ્વેષ ન કરવો જોઈએ. (૮૭) એમ જ ચક્ષુ ઇંદ્રિય વગેરેમાં પણ કહેવું. એવી રીતે વિપરીતપણાથી મન વગેરેથી અસંલીન થાય છે. //ર૭૮ પ્રકારતરથી અસલીનને જ ચતુર્ભગીરૂપ સત્તર દીન સૂત્રો વડે કહે છે–
દીન-ગરીબાઈવાળ, ઉપાર્જિત ધન વડે ક્ષીણ-ગરીબ, પહેલાં અને પછી પણ દીન જ; અથવા બાહ્યવૃત્તિ વડે દીન અને અંતવૃત્તિથી પણ દીન ઇત્યાદિ ચતુર્ભગી, જાણવી. ૧, તથા દીન-બાહ્યવૃત્તિથી અર્થાત્ નિસ્તેજ મુખ વગેરે પણ શરીરથી ગુણ યુક્ત, એવી રીતે પ્રજ્ઞાસૂત્ર પર્યત પ્રથમ દીનપદની વ્યાખ્યા કરવી. દીનપરિણત-દીન નથી છતાં અંતવૃત્તિ વડે દીનપણાએ પરિણત અર્થાત્ દીન થયેલ છે ઇત્યાદિ ચતુર્ભાગી ૨, તથા દીનરૂપ-મેલાં, જૂનાં વસ્ત્રાદિ પહેરવાની અપેક્ષાએ ૩, વળી દીનમનઃસ્વભાવથી જ તુચ્છ મનવાળો ૪, હનસંકલ્પ-સ્વાભાવિક મન ઉદાર છતે પણ કંઈક ન્યૂન વિચારવાળો, ૫. દીનપ્રજ્ઞા સૂક્ષ્મ અર્થના વિચારમાં હીનતાવાળો ૬, ચિત્ત વગેરેથી દીન. એવી રીતે આદિ પદરૂપ દીન શબ્દની વ્યાખ્યા આગળના સૂત્રમાં કરવી. દીનદષ્ટિ ઓછી નજરવાળો ૭, દીનશીલાચાર-હીન ધર્માનુષ્ઠાનવાળો ૮, દીનવ્યવહાર-પરસ્પર લેવાદેવામાં હીન ક્રિયાવાળો, અથવા હીન વિવાદવાળો ૯, દીન પરાક્રમ-હીન ઉદ્યમવાળો ૧૦, દીનની માફક વૃત્તિ-વર્તન અર્થાત્ આજીવિકા
છે જેને તે દીનવૃત્તિ ૧૧, દીનતાવાળા પુરુષ પ્રત્યે યાચે છે અથવા સ્વયં દીન જેવો બનીને યાચે છે એવા સ્વભાવવાળો તે ' દીનયાચી, અથવા દીન પુરુષ પ્રત્યે જાય છે તે દીનયાયી અથવા દીન જાતિ છે જેની તે દીનજાતિ ૧૨, તથા દીનની જેમ દીન પુરુષ પ્રત્યે બોલે છે તે દીનભાષી ૧૩, દીનના જેવો દેખાય છે તે દીનાવભાસી અથવા દીન જેવો થઈને યાચે છે એવા સ્વભાવવાળો તે દીનાવભાષી ૧૪, દીન નાયકને સેવે છે તે દીનસેવી ૧૫, દીનની માફક પર્યાય-પ્રવૃજ્યા વગેરે લક્ષણવાળી અવસ્થા છે જેને તે દીનપર્યાય ૧૬, "વીનપરિયાતે'ત્તિ દીન પરિવાર છે જેનો તે દીનપરિવાર ૧૭, 'સલ્વત્થ ર૩મી' ત્તિ બધાય સૂત્રમાં ચાર ભાગા જાણવા. ર૭૯ો. - પુરુષના ભેદના અધિકારવાળાં અઢાર સૂત્રો કહે છે– चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा-अज्जे णाममेगे अज्जे (४) १। चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा-अज्जे णाममेगे अज्जपरिणते (४) २, एवं अज्जरूवे ३, अज्जमणे ४, अज्जसंकप्पे ५, अज्जपन्ने ६, अज्जदिट्ठी ७, 1. અહિં ટીકાકારશ્રીએ એક એક જ ભંગ બતાવેલ છે પરન્તુ મૂલાનુવાદથી સત્તર સૂત્રની ચતુર્ભાગી જાણવી.
343