SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ४ स्थानकाध्ययने उद्देशः १ अग्रमहिष्यः विकृत्यः कूटागाराः २७३-२७७ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ૧. દૂધ, ૨. દહિ, ૩. માખણ, ૪. ધૃત, ૫. તેલ, ૬. ગોળ, ૭. દારુ, ૮. મધ, ૯. માંસ તથા ૧૦. અવગાહિમ એટલે વૃત કે તેલમાં તળેલ અર્થાત્ કડાવિગઈ છે. (૭૮) गीमहिसुट्टिपसूणं, एलगखीराणि पंच चत्तारि । दहिमाइयाई जम्हा, उट्टीणं ताणि णो हुंति ।।७९॥ [પશa૦ રૂ૭૨ ]િ ગાય, ભેંસ, ઉંટડી, બકરી અને ગાડર સંબંધી દૂધ એ ક્ષીરવિકૃતિ પાંચ ભેદવાળી છે, એ સિવાય મનુષ્યણી વગેરેના દૂધને વિગઈ કહી નથી. દહિં, માખણ અને ઘીના ચાર ભેદ છે કેમકે ઉંટડીના દૂધમાંથી દહિં વગેરે થતા નથી, બાકી ગાય વગેરે ચારના થાય છે. (૭૯) चत्तारि होंति तेल्ला, तिल-अयसि-कुसुंभ-सरिसवाणं च । विगईओ सेसाई, डोलाईणं न विगईओ ॥८॥ [पञ्चव० ३७३ त्ति] તિલ, અલસી, કસુંભ (કરડી) અને સરસવ સંબંધી તેલ, એમ ચાર પ્રકારે વિકૃતિઓ છે. શેષ-ડોલા-મહુડાના ફૂલનું તેલ અને નાળીએર વગેરેના તેલને વિગઈમાં ગણેલ નથી. (૮૦) दवगुल-पिंडगुला दो, मज्जं पुण कट्ठ-पिट्ठनिप्फन्नं । मच्छिय-कोत्तिय-भामरमेयं च तिहा महं होइ ॥८॥ શિવ રૂ૭૪ ]િ દ્રવ્યગુડ (નરમ રસરૂપ) અને પિંડગુડ (કઠણ) એમ બે પ્રકારે ગોળ છે. મધ-દારુ બે પ્રકારે છે ૧. એક કષ્ટનિષ્પન્નશેલડી, તાડી વગેરેથી થયેલ અને ૨. પિષ્ટનિષ્પન્ન-ચોખા વગેરેના પિષ્ટથી થયેલ. મધ ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે–૧. માલિક-માખી સંબંધી, ૨: કોંતિક-નાની માખી સંબંધી અને ૩. ભમરી સંબંધી. આ સર્વ વિગઇસ્વરૂપ છે. (૮૧) जल-थल-खहयरमंसं, चम्मं च ससोणियं तिहेयं पि । आइल्ल तिन्नि चलचल, ओगाहिमगं च विगईओ।।८।। પિશ્ચ૦ રૂ% ]િ જલચર, સ્થલચર અને પક્ષી સંબંધી એમ માંસ ત્રણ ભેદે છે, અથવા માંસ, ચરબી અને શોણિત (લોહી) એમ પણ ત્રણ1 પ્રકારે છે. વળી વૃત કે તેલ ભરેલ કડાઈમાં ચળચળાટ શબ્દને કરતી થકી પૂરી વગેરે જ્યારે તળાય છે ત્યારે એક ઘાણ કહેવાય છે. એવી રીતે ત્રણ વખત.તળાય ત્યાં સુધી અવગાહિમ-કડાવિગઈ કહેવાઈ છે. ચોથો ઘાણ તે વિગઈ કહેવાય નહિં. (૮૨) सेसा न होति विगई अ, जोगवाहीण ते उ कप्पंती । परिभुज्जति न पायं, जं निच्छयओ न नज्जति ।।८३॥ [पञ्चव० ३७६ ति] - શેષ ચોથા ઘાણમાં તળેલા પકવાન વગેરે વિગઈ કહેવાય નહિં પણ નવીયાતા કહેવાય. દૂધ વગેરે દરેક વિગઈના પાંચ પાંચ નીવયાત છે તે યોગને વહન કરનાર સાધુઓને કારણવશાત્ લેવા કહ્યું છે, કેમ કે પ્રાયઃ ભોગવતા નથી તેમજ નિશ્ચયથી જણાતા નથી કે આ કેવી રીતે બનેલ છે અર્થાત્ કેટલા ઘાણથી થયેલા છે તો લેવા કહ્યું નહિ પરંતુ નિશ્ચય થાય કે ત્રણ ઘાણ ઉપરનાં છે તો ગાઢ કારણે લેવા કહ્યું. (૮૩) .एगेण चेव तवओ, पूरिज्जति पूयएण जो ताओ । बीओ वि स पुण कप्पइ, निव्विगई लेवडो नवरं ।।८४।। [पञ्चव० ३७७ त्ति] એક પૂડલા વડે જે તવો પુરાય છે–ભરાય છે, તેથી બીજો પૂડલો જે કરાય છેતે વિગઇના ત્યાગ કરનાર મુનિને કહ્યું છે, કેમ કે તે વિગઇ નથી પરંતુ લેપકૃત કહેવાય છે. (૮૪) ર૭૪ો. અચેતન સંબંધી અંતરના અધિકારથી જ ઘરવિશેષના અંતરને દષ્ટાંત વડે કહેવાને ઇચ્છાવાળા તથા પુરુષ અને સ્ત્રીના અંતરને દાણતિકપણાએ કહેવાને ઇચ્છતા સૂત્રકાર ચાર સૂત્રને કહે છે–'વત્તારિફૂડે'ત્યા૦િ ફૂટ-શિખરવાળા ઘરો, અથવા 1. દૂધ વગેરે છ ભક્ષ્ય વિગઈ છે અને તેના ઉત્તરભેદ ૨૧ છે. માંસ વગેરે ચાર અભક્ષ્ય વિગઈ છે, તેના ઉત્તરભેદ બાર છે. 2. એ દરેક વિગઇના નીવીયાતાનું સ્વરૂપ પચ્ચકખાણભાષ્યથી જાણવું. – 339
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy