SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ४ स्थानकाध्ययने उद्देशः १ अग्रमहिष्यः विकृत्यः कूटागाराः २७३ - २७७ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ નામના લોકપાલની ચાર અગ્રમહિષીઓ કહેલી છે. ભૂતાનંદ નામના નાગકુમારના ઇંદ્ર-નાગકુમારના રાજાના કાલવાલ નામના મહારાજાની ચાર અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે—સુનંદા, સુભદ્રા, સુજાતા અને સુમના. `એવી રીતે યાવત્ શૈલપાલ નામના લોકપાલ મહારાજાની ચાર અગ્રમહિષીઓ છે. જેમ ધરશેંદ્રના લોકપાલની અગ્રમહિષીઓ છે. એ પ્રમાણે બધાય દક્ષિણ દિશાના ઇંદ્રના લોકપાલોની યાવત્ ઘોષ નામના સ્તનિતકુમાર ઇદ્રના લોકપાલોની ચાર ચાર અગ્રમહિષીઓ છે. જેમ ભૂતાનંદ (ઉત્તર દિશાધિપતિ) ના લોકપાલોની ચાર ચાર અગ્રમહિષીઓ છે એ પ્રમાણે મહાઘોષ નામના સ્તનિતકુમાર ઇંદ્રના લોકપાલોની ચાર ચાર અગ્રમહિષીઓ છે અર્થાત્ તે પ્રમાણે નામવાળી છે. (૨) કાલ નામના પિશાચના ઇંદ્ર–પિશાચરાજાની ચાર અગ્રમહિષીઓ છે. સુરૂપ નામના ભૂતના ઇંદ્રભૂતના રાજાની ચાર અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે—રૂપવતી, બહુરૂપા, સુરૂષા અને સુભગા એવી રીતે પ્રતિરૂપ નામના ભૂતેંદ્રની પણ ચાર અગ્રમહિષીઓ છે. પૂર્ણભદ્ર નામના યક્ષના ઇદ્ર–યક્ષના રાજાની ચાર અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે—પુત્રા, બહુપુત્રિકા, ઉત્તમા અને તારકા. એવી રીતે માણિભદ્ર નામના યક્ષના ઇંદ્રની પણ ચાર અગ્રમહિષીઓ છે. (૩) ભીમ નામના રાક્ષસના ઇદ્ર–રાક્ષસના રાજાની ચાર અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે—પદ્મા, વસુમતી, કન્નકા અને રત્નપ્રભા. એવી રીતે મહાભીમ નામના રાક્ષસેંદ્રની ચાર અગ્રમહિષીઓ છે. કિન્નર નામના કિન્નર દેવના ઇંદ્રની ચાર અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે—વિડંસા, કેતુમતી, રતિસેના અને રતિપ્રભા. એવી રીતે કિંપુરુષ નામના કિન્નરના ઇંદ્રની ચાર અગ્રમહિષીઓ કહેલી છે. સત્પુરુષ નામના કિંપુરુષ દેવના ઇંદ્રની ચાર અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે–રોહિણી, નવમિકા, ડ્રી અને પુષ્પવતી. એવી રીતે મહાપુરુષ નામના કિંપુરુષ દેવના ઇંદ્રની ચાર અગ્રમહિષીઓ છે. (૪) અતિકાય નામના મહોરગના ઇંદ્રની ચાર અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે—ભુજગા, ભુજગવતી, મહાકચ્છા અને સ્ફુટા. એવી રીતે મહાકાય નામના મહોરગના ઇંદ્રની ચાર અગ્રમહિષીઓ કહેલી છે. ગીતતિ નામના ગંધર્વના ઇંદ્રની ચાર અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે—સુઘોષા, વિમલા, સુસ્વરા અને સરસ્વતી. એવી રીતે ગીતયશ નામના ગંધર્વેદ્રની ચાર અગ્રમહિષીઓ છે, આ દક્ષિણ અને ઉત્તર દિશાની મળી સોળ વ્યંતરેંદ્રની અગ્રમહિષીઓનું વર્ણન કરેલ છે. દક્ષિણ અને ઉત્તર દિશાના મળી સોલ વ્યતરેંદ્રની અગ્રમહિષીઓનું વર્ણન કરેલ છે. દક્ષિણ અને ઉત્તર દિશાની અગ્રમહિષીઓના નામો સમાન છે. (૫) ચંદ્ર નામના જ્યોતિષના ઇંદ્ર–જ્યોતિષના રાજાની ચાર અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે– -ચંદ્રપ્રભા, જ્યોત્સ્નાભા, અર્ચિમાલી અને પ્રભંકરા, એવી રીતે સૂર્યની પણ ચાર અગ્રમહિષીઓ છે. વિશેષ એ કે– સૂર્યપ્રભા, જ્યોત્સ્નાભા, અર્ચિમાલી અને પ્રભંકરા નામ છે. અંગારક (મંગલ) નામના મહાગ્રહની ચાર અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે—વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા. એવી રીતે બધાય મહાગ્રહોની યાવત્ ભાવકેતુ નામના છેલ્લા ગ્રહની ચાર અગ્રમહિષીઓ છે. (૬) શુક્ર નામના દેવના ઇંદ્ર–દેવના રાજાના સોમ નામના મહારાજા (લોકપાલ)ની ચાર અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે—રોહિણી, મદના, ચિત્રા અને સોમા. એવી રીતે દે યાવત્ વૈશ્રમણ નામના લોકપાલની ચાર અગ્રમહિષીઓ છે. ઈશાન નામના દેવના ઇદ્ર–દેવના રાજાના [લોકપાલ] સોમ નામના મહારાજાની ચાર અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે—પૃથ્વી, રાત્રી, રજની અને વિદ્યુત્. એવી રીતે યાવત્ વરુણ નામના લોકપાલની ચાર અગ્રમહિષીઓ છે. ।।૨૭૩૪/ ચાર ગોરસ (ગાય પ્રમુખ) સંબંધી રસરૂપ ચાર વિકૃતિઓ-વિગઇયો કહેલી છે, તે આ પ્રમાણે—દૂધ, દહિં, ઘી અને માખણ. ચાર સ્નિગ્ધ (ચીકણી) વિગઇયો કહેલી છે, તે આ પ્રમાણે—તેલ, ધૃત, વસા (ચરબી) અને માખણ. ચાર મહાવિગઇયો કહેલી છે, તે આ પ્રમાણે મધુ (મધ), માંસ, મદિરા અને માખણ. II૨૭૪॥ ચાર પ્રકારે કૂટ-શિખરના આકાર જેવા ઘરો કહેલા છે, તે આ પ્રમાણે—કોઈએક ગઢ વગેરેથી વીંટાયેલું ગુપ્તઘર અને બંધ બારણાવાળું છે ૧, કોઈએક ઘર ગુપ્ત પણ બારણું ખુલ્લું છે ૨, કોઈક ઘર પ્રગટ છે પણ બંધ બારણાવાળું છે ૩, 337 !'
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy