SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः १ देवाधिकारः संसारः २५९ - २६१ सूत्राणि ક્ષેત્ર અને કાલને વિષે તે દ્રવ્યોનું પર્યાયપણું પણ છે; માટે દ્રવ્યથી ક્ષેત્ર અને કાલની વિશિષ્ટતા કહેવા માટે ભેદને નિર્દેશ કરેલ છે. ભાવ એ જ પ્રમાણ, અથવા ભાવોનું પ્રમાણ તે ભાવપ્રમાણ, તે ગુણ, નય અને સંખ્યાભેદથી ત્રણ પ્રકારનું છે, ત્રણમાં જીવના જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ગુણો છે, તેમાં જ્ઞાન પ્રત્યક્ષ, અનુમાન, ઉપમા અને આગમરૂપ ગુણપ્રમાણ છે, નૈગમાદિ નયો તે નયપ્રમાણ છે, એક બે વગેરે સંખ્યા તે સંખ્યાપ્રમાણ છે. II૨૫૮॥ દેવના અધિકા૨થી જ વિશેષ જણાવતાં કહે છે કે— ચત્તારિ વિસાજીમામિ ત્તરિયાનો પત્તાબો, તંનહા-યા, યંતા, સુવા, યાવતી, પત્તર વિકુમામિહત્તયિાઓ પન્નત્તાઓ, તંનહા–ચિત્તા, ચિત્તા, લતેશ સોતામળી ।। સૂ॰ ર૧૬।। सक्कस्स णं देविंदस्स देवरन्नो मज्झिमपरिसाते देवाणं चत्तारि पलिओवमाई ठिती पन्नत्ता, ईसाणस्स णं देविंदस्स देवरन्नो मज्झिमपरिसाए देवीणं चत्तारि पलि ओवमाई ठिई पन्नत्ता ।। सू० २६० ।। પબિન્દે સંતારે પદ્મત્તે, તંનહા–વ્∞સંસારે, ઘેત્તસંસારે, વ્હાલસંસારે, માવસંતારે ।। સૂ॰ ૨૬।। (મૂળ) દિશાકુમારીની ચાર મહત્તરિકા દેવીઓ મધ્યરુચકની વસનારી કહેલી છે, તે આ પ્રમાણે—રૂપા, રૂપાંશા, સુરૂપા અને રૂપાવતી. વિદ્યુત્ક્રુમારીની ચાર મહત્તરિકા દેવીઓ રુચક પર્વતની વિદિશામાં વસનારી કહેલી છે, તે આ પ્રમાણે— ચિત્રા, ચિત્રકનકા, શતેરા અને સૌદામિની. ।।૨૫૯।। શક્ર, દેવેંદ્ર, દેવના રાજાના મધ્યમ પરિષદના દેવોની ચાર પલ્યોપમની સ્થિતિ કહેલી છે. ઈશાન, દેવેંદ્ર, દેવના રાજાના મધ્યમ પરિષદની દેવીની ચાર પલ્યોપમની સ્થિતિ કહેલી છે. ૨૬૦ ચાર પ્રકારે સંસાર કહેલ છે, તે આ પ્રમાણે—દ્રવ્યસંસાર, ક્ષેત્રસંસાર, કાલસંસાર અને ભાવસંસાર, ૨૬૧।। (ટી૦) 'પત્તારિવિસા' ત્યા॰િ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે–દિશાકુમારીઓ એવી અત્યંત શ્રેષ્ઠ દેવીઓ અથવા દિશાકુમારીઓમાં મહત્તરિકાઓ તે દિકુમારીમહત્તરિકાઓ, રુચકની મધ્યમાં રહેનારી આ દેવીઓ જન્મ પામેલ અરિહંત પરમાત્માની નાલછેદનાદિ ક્રિયાને કરે છે. વિદ્યુત્ક્રુમારી મહત્તરિકાઓ તો રુચકની વિદિશામાં વસનારીઓ છે, તે દેવીંઓ ચારે દિશાઓમાં ઊભી રહીને, હાથમાં દીપક ગ્રહણ કરીને જન્મ પામેલ અરિહંતના ગીતો ગાય છે. આ દેવો સંસારમાં વસનારા છે, માટે સંસારસૂત્ર કહેલ છે. સંસરણ–અહિં તહિં પરિભ્રમણ કરવું તે સંસાર, તત્ર 'સંસાર' શબ્દના અર્થને જાણનાર પણ વર્તમાનકાલે સંસાર શબ્દમાં જેનો ઉપયોગ નથી તે દ્રવ્યસંસાર, અથવા જીવ અને પુદ્ગલલક્ષણ દ્રવ્યોનું યથાયોગ્ય ભ્રમણ તે દ્રવ્યસંસાર, તેઓનું જ ચૌદ રાજલોકરૂપ ક્ષેત્રમાં જે પરિભ્રમણ તે ક્ષેત્રસંસાર, અથવા જે ક્ષેત્રમાં સંસારની વ્યાખ્યા કરાય છે તે જ ક્ષેત્ર, અભેદ ઉપચાર ક૨વાથી ક્ષેત્રસંસા૨, જેમ રસવાળી ગુણનિકા (ગુણી) ઇત્યાદિ. ાતસ્ય—દિવસ, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર (વર્ષ) લક્ષણ કાલનું સંસરવું–ચક્રન્યાય વડે ભમવું અથવા કોઈપણ જીવનું નરકાદિને વિષે પલ્યોપમાદિ કાલવિશેષ વડે ભમવું તે કાલસંસાર, અથવા પોરસી વગેરે જે કાલમાં સંસારની વ્યાખ્યા કરાય છે તે કાલસંસાર કહેવાય છે, અભેદ ઉપચાર કરવાથી. જેમ પ્રત્યુપેક્ષણ (પડિલેહણ) ક૨વાથી કાલ પણ પ્રત્યુપેક્ષણ કહેવાય છે. તથા સંસાર શબ્દના અર્થનો જાણનાર અને તેમાં ઉપયોગવાળો તે ભાવસંસાર અથવા જીવ અને પુદ્ગલ સંબંધી દ્રવ્ય સંસરણ માત્ર ગૌણ કરાયેલ છે અથવા ઔદાયિકાદિ ભાવોનો અથવા વર્ણાદિનો સંસરણપરિણામ તે ભાવસંસાર છે. ૨૬૧ આ દ્રવ્યાદિ સંસાર અનેક નયો વડે દૃષ્ટિવાદમાં વિચારાય છે તેથી દૃષ્ટિવાદ સૂત્ર કહે છે— વળિ નિદ્ધિવા પન્નત્તે, તંનહા-પર્માિં, સુત્તારૂં, પુવ્વા, અણુનોને । સૂ૦ ૨૬૨૫ चडव्विहे पायच्छित्ते पन्नत्ते, तंजहा - णाणपायच्छित्ते, दंसणपायच्छिते, चरित्तपायच्छित्ते, वियत्तकिच्चे 1. બાબૂવાળી પ્રતમાં સેયંસા છે, હસ્તલિખિત પ્રતમાં બન્ને પાઠ છે. 326
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy