________________
१ स्थानाध्ययने एकानेकात्मसिद्धि २ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ (ઉપયોગ) લક્ષણરૂપી આત્માના ગુણનો સાક્ષાત્કાર થવાથી પ્રદેશ સહિત આત્મા દરેક અવયવમાં છે. ઉક્તરીત્યા દ્રવ્યાર્થપણાએ એક આત્મા છે એ સ્થાપન કર્યું. અથવા એક આત્મા કથંચિત્-સાપેક્ષતાએ દરેક ક્ષણમાં સંભવિત ભિન્ન ભિન્ન કાલ વડે કરાયેલ કુમારપણું, તણપણું, નરપણું અને નારકપણું વગેરે પર્યાયોથી ઉત્પત્તિ અને વિનાશનો યોગ છતે પણ દ્રવ્યાર્થપણાએ આત્માનું એકપણું છે. જો કે કાલકૃત પર્યાયો વડે વસ્તુ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તો પણ 'સ્વપર્યાય અને પરપર્યાયરૂપી અનંતધર્માત્મક વસ્તુ હોવાથી વસ્તુનો સર્વથા નાશ યોગ્ય નથી. કહ્યું છે કે- न हि सव्वहा विणासो, अद्धापज्जायमित्तनासंमि । सपरपज्जायाणंतधम्म(म्म)णो वत्थुणो जुत्तो ।।५३।।
[વિશેષાવવા ૨૩૬૩ ]િ અદ્ધા (કાળ) પર્યાયમાત્રનો નાશ થાય તો પણ સ્વ-પર પર્યાયથી અનંત ધર્માત્મક વસ્તુનો સર્વથા નાશ થાય નહીં. (૫૩) કહ્યું છે કે
कह वा सव्वं खणियं विनायं?, जई मई सुयाओत्ति । तदसंखसमयसुत्तत्थगहणपरिणामओ जुत्तं ।।५४।। नउ पइसमयविणासे, जेणेक्केक्कक्खरं पि.य पयस्स । संखाईयसमइयं, संखेज्जाइं पयं ताई ।।५।। संखेज्जपयं वक्कं. तदत्थगहणपरिणामओ होज्जा । सव्वखणभंगनाणं, तदत्तं समयनट्ठस्स ।।५६॥
[વશેષાવથ૦ ૨૪૦૨-૨૪૦૨-૨૪૦૩ તિ] *પ્રતિક્ષvi ક્ષત્રિયો માવા' તિ–આ વચનથી તમારા પ્રતિપાદ્ય વિષયનું જે ક્ષણભંગુરરૂપી વિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે ક્ષણિક વિજ્ઞાન વાક્યર્થ ગ્રહણ પરિણામથી અસંખ્યાત સમયો વડે જ થાય છે. દરેક સમયમાં બોલનારનો નાશ થયે છતે ક્ષણિક વિજ્ઞાન જ તમે કહી શકો તેમ નથી. જે કારણથી પદ સંબંધી એક એક અક્ષર પણ અસંખ્યાત સમયમાં ઉત્પન્ન થાય છે. સંખ્યાત અક્ષરવાળું પદ છે, સંખ્યાત પદવાળું વાક્ય છે; માટે તેના અર્થના ગ્રહણ પરિણામથી સમયમાં જ નાશ પામેલ વક્તાનો અર્થ હોવાથી આ ક્ષણભંગુર વિજ્ઞાનવાદ અયોગ્ય છે. (૫૪-૫૫-૫૬) तित्ती समो किलामो, सारिक्खविवक्खपचयाईणि । अज्झयणं झाणं भावणा य का सव्वनासंमि? ॥५७।।
[विशेषावश्यक० २४०४ त्ति] સર્વથા નાશ સ્વીકારે છતે તૃપ્તિ, શ્રમ, ગ્લાનિ, સાધર્મ, વિપક્ષ, પ્રત્યયાદિ, તથા અધ્યયન, ધ્યાન અને ભાવના એ સર્વે નહિ ઘટી શકે. (૫૭) :
કારણ કે પૂર્વ સંસ્કારની અનુવૃત્તિ (પરંપરા)માં તૃમિ વગેરેની યોગ્યતા હોઈ શકે [જેમકે ભોજન કરતી વખતે ભોજન કરનાર ક્ષણિક હોવાથી પ્રત્યેક કવળ લેતાં ભોજન કરનાર ભિન્ન ભિન્ન થશે અને ભોજનક્રિયાને અંતે તે ભોક્તા પણ રહેશે નહિ તો તૃપ્તિ કોને થશે? એમ શ્રમ વગેરેમાં જાણી લેવું.] ભાષ્યકાર કહે છે કે
અહિં ઘણું કહેવાનું છે તે તો સ્થાનાંતરથી જાણવું. તેવી જ રીતે સ્થિતિ (ધ્રુવ), ઉત્પત્તિ અને નાશરૂપ આત્મા, ધ્રુવતા (સત્તા)ની અપેક્ષાએ નિત્ય છે, અને નિત્યપણું હોવાથી એક છે. ઉત્પત્તિ અને નાશની અપેક્ષાએ તો આત્મા અનિત્ય છે અને અનિત્યપણું હોવાથી અનેક છે. ભાષ્યકાર પણ કહે છે કે
जमणंतपज्जयमयं, वत्थु भुवणं च चित्तपरिणामं । ठिइ-विभव-भङ्गरूवं, णिच्चाणिच्चाइ तोऽभिमयं ॥५८।। सुह-दुक्ख-बंध-मोक्खा, उभयनयमयाणुवत्तिणो जुत्ता । एगयरपरिच्चाए, सव्वव्ववहार[वो]च्छित्ति ।।५९।।
[વિશેષાવર૧૦ ૨૪૨૬-૨૭ ]િ દરેક વસ્તુ અનંતપર્યાયવાળી છે, અને ત્રિભુવનની પેઠે ઉત્પાદ, સ્થિતિ અને નાશરૂપી નિત્યાનિત્યાદિ અનેક વિચિત્ર 1. સ્વપર્યાય સ્વદ્રવ્યાદિ તે આત્મામાં અસ્તિ સ્વભાવથી છે અને પરપર્યાય પરદ્રવ્યાદિ તે આત્મામાં નાસ્તિ સ્વભાવથી છે. 2. દરેક ક્ષણમાં ભવો નાશવંત છે.
– 19.