________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः ४ अवधिजिनादि स्वरूपम् २१८-२२० सूत्राणि
શ્રી સુધમાસ્વામી શ્રી જંબૂસ્વામીને કહે છે કે–ભગવાન મહાવીરે ત્રણ પ્રકારે ધર્મ અનુષ્ઠાન કહેલ છે, તે આ પ્રમાણેસુઅધિત-કાલ, વિનયાદિ આરાધના વડે મળેલું, સુધ્યાન–સારી રીતે સૂત્રના અર્થનું મનન કરેલું અને સુતપસિતઆશંસા (વાંચ્છા) રહિત સારી રીતે તપ અનુષ્ઠાન કરેલું. જ્યારે સારી રીતે અધ્યયન કરેલું હોય ત્યારે શ્રતના અર્થનું સારું મનન (ચિંતન) થાય છે, જ્યારે સારી રીતે ચિંતન કરેલું હોય છે ત્યારે સારી રીતે તપસિત થાય છે. તે સુઅલિત,
સુધ્ધાંત અને સુતપસિતતા–એ ત્રણ પ્રકારે ધર્મ ભગવાને સારી રીતે કહેલો છે. ર૧૭ll (ટી) તો રવે” ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે—ગુરુ–મોટાઈ કે ભારેપણાનો ભાવ અથવા કાર્ય તે ગૌરવ, તે બે પ્રકારે છે–૧ દ્રવ્યથી વજાદિનું અને ૨ ભાવથી અભિમાન અને લોભરૂપ અશુભ ભાવવાળા આત્માનું. ભાવગૌરવ ત્રણ પ્રકારે છે. રાજા વગેરેથી કરાયેલી પૂજાસ્વરૂપ અથવા આચાર્યત્વાદિ સ્વરૂપ ઋદ્ધિથી અભિમાનાદિ દ્વાર વડે જે ગૌરવ તે ઋદ્ધિગૌરવ,
ઋદ્ધિની પ્રાપ્તિથી અભિમાન અને અપ્રાપ્ત-નહિં પામેલની પ્રાર્થના દ્વારા જે આત્માનો અશુભ ભાવ તે ભાવગૌરવ, આ અર્થ છે. એવી રીતે બીજામાં પણ જાણવું. રસ-રસનેંદ્રિયનો અર્થ મધુર વગેરે, સાત-સુખ અથવા ઋદ્ધિ વગેરેને વિષે ગૌરવ એટલે આદર (ઇચ્છા). ll૧પી.
હમણા ચારિત્રઋદ્ધિ કહી અને ચારિત્રએ કરણ (ક્રિયા) છે માટે તેના ભેદોને કહે છે–"તિવિહે રૂરિ૦ કૃતિ – અનુષ્ઠાન કરવું. તે ધાર્મિકાદિ સ્વામીના ભેદ વડે ત્રણ પ્રકારે છે, તેમાં ધાર્મિક-સાધુનું અનુષ્ઠાન આ ધાર્મિક જ છે, એમ બીજામાં પણ જાણવું. વિશેષ એ કે–અધાર્મિક-અસંયત (અવિરતિ) અને ત્રીજો દેશવિરતિ. અથવા ધર્મમાં થયેલું અથવા ધર્મ છે પ્રયોજન જેનું તે ધાર્મિક અનુષ્ઠાન અને તેથી વિપરીત તે અધાર્મિક અનુષ્ઠાન. એવી રીતે ત્રીજું પણ (ધાર્મિક અધાર્મિક) અનુષ્ઠાન જાણવું. ર૧૬ll
હમણાં જ ધાર્મિકકરણ કહેલું તે ધર્મ જ છે, માટે તેના ભેદોને કહે છે– તિવિહે ત્યાદિ સુગમ છે. માત્ર શ્રી મહાવીર ભગવાને કહેલું છે એવી રીતે સુધર્માસ્વામી જંબૂસ્વામી પ્રત્યે કહેતા હતા. સુ સારી રીતે કાળ અને વિનયાદિની આરાધના વડે અતિ-ગુરુની પાસે સૂત્રથી ભણેલું તે સ્વપિત, તથા સુ-વિધિપૂર્વક ગુરુ આગળ જ વ્યાખ્યાન દ્વારા અર્થથી સાંભળીને ધ્યાતવારંવાર ચિંતન કરેલું જે શ્રુત તે સુધ્ધાત, ચિંતનનો અભાવ છતે તત્ત્વનો બોધ ન થવા વડે અધ્યયન (ભણવું) અને શ્રવણ (સાંભળવું) એ બન્નેનું પ્રાયઃ ફલ હોતું નથી. આ બે ભેદ વડે શ્રુતધર્મ કહ્યો. તથા સુ-આ લોક વગેરેના સુખની આશા સિવાય તપતિ-તપનું અનુષ્ઠાન તે સુતપસિત. આ પદથી ચારિત્રધર્મ કહ્યો. આ ત્રણેના પણ ઉત્તરોત્તર અવિનાભાવ (સહચારરૂપ કારણ કાર્યભાવ) ને બતાવે છે–'નયા' રૂત્યાદિ સુગમ છે. વિશેષ એ કે-દોષ રહિત અભ્યાસ વિના શ્રતના અર્થની પ્રતીતિ ન થવાથી અધ્યાત થતું નથી, સારી રીતે ચિંતનના અભાવે જ્ઞાનની વિકલતાથી સારું તપ ન થાય, એ ભાવ છે. જે સુઅધિત વગેરે ત્રણ પદ તે ભગવાન્ શ્રી વર્તમાન સ્વામીએ ધર્મ કહેલો છે. જે' રિ તે ધર્મ સારી રીતે કહેલ છે, કારણ કે સમ્યગૂજ્ઞાન અને ક્રિયારૂપ અને બન્ને (જ્ઞાન-ક્રિયા) ને વિષે એકાંતિક અને આત્યંતિક (અતિશય) સુખના સફલ ઉપાય વડે ઉપચાર રહિત ધર્મ સુગતિને વિષે ધારણ કરવાથી જ ધર્મ કહેવાય છે, આવશ્યકમાં કહ્યું છે કેनाणं पयासयं सोहओ, तवो संजमो य गुत्तिकरो । तिण्हं पि समाओगे, मोक्खो जिणसासणे भणिओ ॥२५०॥
[કાવનિ. ૨૦૩] જ્ઞાન પ્રકાશક એટલે સ્વરૂપને બતાવનાર છે, તપ-કર્મરૂપી કચરાને શોધનાર છે અને સંયમ ગુમિકર-નવિન કર્મને અટકાવનાર છે. જે આ ત્રણેનો સમાવેશ-મિલાપ તેને જિનશાસનમાં મોક્ષ કહેલ છે. (૨૫૦) ('viાર' વાક્યના અલંકારમાં છે.) II૧૭ી
282
–