SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ३ स्थानकाध्ययने उद्देशः ३ तपस्वीनां कर्त्तव्यम् परिहर्त्तव्यं च १८२ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ છે, તે આ પ્રમાણે—૧ જે દેનાર હાથ વડે આપે તે આહાર, ૨ જે રસોઇના ભાજનમાંથી કાઢીને ખાવાના ભાજનમાં નાખે તે આહાર અને ૩ જે શેષ (બચેલો) આહાર પિઠરક (ખુલ્લા મુખવાળા ભાજન, થાળ) વગેરેમાં નાખે છે તે આહાર (૫). ત્રણ પ્રકારે અવમોદરતા (ઊણોદરી) કહેલ છે, તે આ પ્રમાણે—૧ ઉપકરણની ન્યૂનતા કરવી તે ઉપકરણઊણોદરી, ૨ ભક્તપાન-આહારપાણીની ન્યૂનતા કરવી તે ભક્તપાનઊણોદરી અને ૩ કષાયની ન્યૂનતા કરવી તે ભાવઊણોદરી (૬). ઉપકરણની ઊણોદરી ત્રણ પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—૧ એક વસ્ત્ર રાખવું, ૨ એક પાત્ર રાખવું અને ૩ ચિયત્ત–સંયમીની ઉપયિ એટલે રજોહરણ અને મુહપત્તિનું રાખવું (૭). ત્રણ સ્થાનકો નિગ્રંથોને અને નિગ્રંથીને અહિતને માટે, અસુખને માટે, અયુક્તપણાને માટે, અનિશ્રેયસ (અમોક્ષ)ને માટે, અશુભના અનુબંધને માટે થાય છે તે આ પ્રમાણે—૧ દીનતાપૂર્વક બોલવું, ૨ શય્યાદિના દોષ બતાવીને કકળાટ કરવો અને ૩ આર્ત્ત તથા રૌદ્ર ધ્યાન ધરવું (૮). ત્રણ સ્થાનકો સાધુઓને અને સાધ્વીઓને હિતને માટે, સુખને માટે, યુક્તપણાને માટે, મોક્ષને માટે અને શુભના અનુબંધ (પરંપરા) માટે થાય છે, તે આ પ્રમાણે—૧ દુઃખમાં અદીનતા, દોષવાળી ઉપધિમાં અકકળાટ (શાંતિ) અને ૩ અશુભ ધ્યાન ન ધરવાપણું (૯). ત્રણ પ્રકારે શલ્ય કહેલ છે, તે આ પ્રમાણે— ૧ માયા શલ્ય, ૨ નિદાનશલ્ય અને ૩ મિથ્યાદર્શનશલ્ય (૧૦). ત્રણ કારણ વડે શ્રમણ નિગ્રંથ, વિસ્તારવાળી છતાં પણ સંક્ષેપ કરાયેલી લેશ્યાવાળો થાય છે, તે આ પ્રમાણે—૧ આતાપના લેવા વડે, ૨ ક્રોધના નિગ્રહપૂર્વક ક્ષમા વડે અને ૩ પારણાના કાળથી બીજા કાળમાં તપ કરવા વડે–છટ્ઠ અક્રમાદિ તપશ્ચર્યા વડે (૧૧). ત્રણ માસની ભિક્ષુપ્રતિમાને ગ્રહણ કરનાર સાધુને કલ્પે–ત્રણ દાત ભોજનની ગ્રહણ કરવા માટે તેમ ત્રણ દાત પાણીની લેવા માટે (કલ્પ) (૧૨). એકરાત્રિક (બારમી) ભિક્ષુપ્રતિમાનું સારી રીતે પાલન નહિં કરનાર સાધુને આ ત્રણ સ્થાનક અહિતને માટે, અસુખને · માટે, અક્ષમા–અયુક્તપણાને માટે; અનિશ્રેયસને માટે (અમોક્ષને માટે) ને અનાનુગામિપણા માટે (અશુભાનુબંધને માટે) થાય છે, તે આ પ્રમાણે—૧ ઉન્માદ (ઘેલછા) ને પામે, ૨ ઘણા કાળવાળા રોગ અને આતંકને પ્રાપ્ત કરે તથા ૩ કેવલીભગવંતે પ્રરૂપેલ ધર્મથી ભ્રષ્ટ થાય (૧૩). એક રાત્રિવાળી (બારમી) ભિક્ષુપડિયાને સારી રીતે અનુપાલન કરનાર અણગારને ત્રણ સ્થાનક હિતને માટે, સુખને માટે, યોગ્યપણા માટે, મોક્ષને માટે અને શુભાનુબંધને માટે થાય છે, તે આ પ્રમાણે—૧ અવધિજ્ઞાન પ્રાપ્ત થાય, ૨ મન:પર્યાયજ્ઞાન ઉત્પન્ન થાય અને ૩ કેવલજ્ઞાન પ્રાપ્ત થાય (૧૪). 1192211 (ટી૦) 'શ્વસત્થે' ત્યાદ્િ॰ ચૌદ સૂત્રો સ્પષ્ટ છે. વિશેષ સમજાવતાં કહે છે કે—ઉપવાસથી પૂર્વના દિવસમાં એક, ઉપવાસને દિવસે બે અને પારણાને દિવસે એક–એમ ચાર ભક્ત (એક વખતનું ભોજન) જે તપને વિષે છોડાય તે ચતુર્થભક્ત', તે છે જેને તે ચતુર્થભક્તિક, તેને. એમ બીજે (છઠ્ઠ, અઠ્ઠમ વગેરેમાં) જાણવું. આ શબ્દની વ્યુત્પત્તિ માત્ર છે, પ્રવૃત્તિ તો ચતુર્થભક્ત વગેરે શબ્દોની એક વગેરે ઉપવાસોને વિષે છે. ભિક્ષણ–યાચીને લેવાનો સ્વભાવ-ધર્મ, અથવા યાચવા વડે સાધુકારિતા–હિતકરપણું છે જેને તે ભિક્ષુ, અથવા ભિન્નત્તિ—ભૂખને ભેદે છે. આવા ભિક્ષુને નીચે પ્રમાણે પાણીનો આહાર કલ્પે–ઉકાળવા વડે તૈયાર કરેલું-જે પાણી વડે ડાંગર વગેરેનો પિષ્ટ-લોટ, મદિરાદિને માટે ઉકાળાય છે તે ઉત્સ્વદિમ, તથા શેકથી બનેલું તે સંસેકિમઅરણી વગેરેના પત્રના શાકને ઉકાળીને જે શીતલ જલ વડે સિંચન કરાય છે તે સંસેકિમ, તથા ચોખાનું ધોવણ પ્રસિદ્ધ છે (૧). તિલોદક વગેરે તે તલ વગેરેને ધોવાનું પાણી વિશેષ, તુષોદક–ડાંગરના ધોવણનું પાણી તથા જવનું પાણી (૨). આયામઓસામણ, સૌવીર—કાંજીનું પાણી, શુદ્ધ વિકટ–ગરમ પાણી (૩). ઉપહૃત–ભોજન સ્થાને લાવેલું જે ભોજન, એવો અર્થ છે. ફલિક-પ્રહેણક એટલે તમન—લ્હાણું વગે૨ે, જે લાવેલું તે ફલિકોપહત, તે અવગૃહીતા નામની પાંચમી પિંડૈષણાના 1. આ વચનથી એક વાત સિદ્ધ થાય છે કે માનવની આહાર લેવાની પ્રવૃત્તિ એક દિવસમાં બે વખતથી વધારે નહોતી. 237
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy