SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ३ स्थानकाध्ययने उद्देशः १ प्रणिधानयोनिस्वरूपम् १३९ - १४० सूत्रे श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ (મૂળ) ત્રણ સ્થાનકો (કારણો) વડે સંપન્ન અનગાર, અનાદિ, અનંત, દીર્ઘ માર્ગવાળા, નરકાદિ ચાર ગતિવાળા સંસારરૂપી અરણ્યને ઉલ્લંઘન કરે—પાર પામે, તે આ પ્રમાણે—નિયાણું ન કરવા વડે, સમ્યગ્દષ્ટિપણાએ અને શ્રુતના ઉપધાન વહન કરવા વડે. ||૧૩૬।। ત્રણ પ્રકારે અવસર્પિણી કહેલી છે, તે આ પ્રમાણે—ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય ૧, એવી રીતે ઉત્કૃષ્ટાદિ ત્રણ ભેદ વડે છ આરા પણ કહેવા, યાવત્ દૂષમદૂધમપર્યંત ૭, ત્રણ પ્રકારે ઉત્સર્પિણી કહેલી છે, તે આ પ્રમાણે—ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય ૮, એવી રીતે છ આરા પણ કહેવા, યાવત્ સુષમસુષમ પર્યંત ૧૪. ૧૩૭॥ ત્રણ કારણે છેદાયેલ નહિં એવા પુદ્ગલો ચલિત થાય, તે આ પ્રમાણે—આહારપણાએ જીવ વડે ગ્રહણ કરવાથી, વૈક્રિય કરવા વડે–વૈક્રિયના વશથી, એક સ્થાનથી બીજે સ્થાને મૂકવાથી પુદ્ગલ ચલે. ત્રણ પ્રકારે ઉપષિ કહેલ છે, તે આ પ્રમાણે-કર્મઉપધિ, શરીરઉપધિ અને બાહ્યભાંડમાત્રઉપધિ. આ ત્રણ ઉપષિ અસુરકુમારોને હોય, એમ કહેવું. એવી રીતે એકેંદ્રિય અને નૈરયિકને વર્જીને યાવત્ વૈમાનિક પર્યંત કહેવું ૧, અથવા ત્રણ પ્રકારે ઉપધિ કહેલ છે, તે આ પ્રમાણે—સચિત્ત, અચિત્ત અને મિશ્ર, આ પ્રમાણે નૈરયિકોને ત્રણ ઉપધિ હોય છે, એવી રીતે બધા વૈમાનિક પર્યંતના જીવોને કહેવું ૨, ત્રણ પ્રકારે પરિગ્રહ કહેલ છે, તે આ પ્રમાણે—કર્મપરિગ્રહ, શરીરપરિગ્રહ અને બાહ્યભાંડમાત્રપરિગ્રહ, આ ત્રણ પરિગ્રહ અસુરકુમારોને હોય છે, એવી રીતે એકેંદ્રિય અને નૈરયિકને છોડીને યાવત્ વૈમાનિક પર્યંતને હોય છે ૩ અથવા ત્રણ પ્રકારે પરિગ્રહ કહેલ છે, તે આ પ્રમાણે–સચિત્ત, અચિત્ત અને મિશ્ર, આ ત્રણ પરિગ્રહ નૈરયિકથી આરંભીને યાવત્ વૈમાનિક પર્યંતને કહેવા ૪. ૧૩૮॥ (ટી) 'તિલ્હી'ત્યાદ્રિ સુગમ છે. વિશેષ એ કે—આદિ રહિત, અનંત, લાંબા માર્ગવાળા, ચાર અંત–વિભાગો (નરક ગતિ વગેરે) છે જેને તે ચતુરંત, (અહિં દીર્ઘપણું પ્રાકૃત શૈલીથી છે) સંસાર એ જ કાંતાર–અરણ્ય પ્રત્યે ઉલ્લંઘન કરે. અનાદિત્વ વગેરે વિશેષણો અરણ્યના પક્ષમાં પણ વિવક્ષા વડે યોજવા, તે આ પ્રમાણે—અનાદિ અનંત એવું જે અરણ્ય અતિ મોટું હોવાથી અને ચતુરંત વિશેષણ દિશાના ભેદથી જાણવું. નિદાન—ભોગઋદ્ધિની પ્રાર્થનાના સ્વભાવરૂપી આર્તધ્યાન, તેનું ત્યાગપણું તે અનિદાનતા, તેના વડે. દૃષ્ટિસંપન્નતા–સમ્યગ્દૃષ્ટિપણાએ જાણવું. યોગવાહિતા—સૂત્રના ઉપધાન વહન કરવા અથવા સમાધિમાં રહેવું, તેના વડે. ૧૩૬॥ ભવસંસારનું ઉલ્લંઘન કાળવિશેષમાં થાય આ કારણથી કાળવિશેષનું નિરૂપણ કરવા માટે કહે છે—'તિવિદ્દે'ત્યાદ્િ ચૌદ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે—અવસર્પિણી પહેલા અરક-આરામાં ઉત્કૃષ્ટી, ચાર આરામાં મધ્યમા અને છેલ્લા (છઠ્ઠા) આરામાં જઘન્ય અવસર્પિણી હોય છે (૧) એવી જ રીતે સુખમસુષમ વગેરે ઉત્સર્પિણીના છ આરામાં દરેકના ત્રણ ત્રણ ભેદ કલ્પવા (૭), તથા ઉત્સર્પિણીના દુષ્મમદુમ વગેરે અવસર્પિણીના કહેલ ભેદથી વિપરીત વડે ઉત્કૃષ્ટપણું પૂર્વની માફક યોજવું (98). 1193011 કાલલક્ષણરૂપ અચેતન દ્રવ્યનાં ધર્મો હમણા કહ્યા, તેના સાધર્મથી પુદ્ગલના ધર્મોનું નિરૂપણ કરતા પાંચ સૂત્ર અને ચાર દંડકો કહે છે—'તિદ્દી' ત્યાર્િ॰ ખડ્ગાદિ વડે છેદેલ પુદ્ગલ, સમુદાયથી ચલિત થાય છે જ, આ કારણથી 'ત્રિપુાત' એમ કહ્યું. 'આહારેબ્નમાને' ત્તિ॰ આહારપણાએ જીવ વડે ગ્રહણ કરાતો થકો એટલે જીવે આકર્ષણ કરવાથી પોતાના સ્થાનથી (પુદ્ગલ) ચલિત થાય છે. એવી રીતે વૈક્રિયમાણ–વૈક્રિયકરણના આધીનપણાથી ચલે છે. એક સ્થાનથી બીજા સ્થાનમાં હસ્તાદિ વડે સંક્રમણ કરાતો (મૂકાતો) થકો ચલે છે (૧) ૩૫થીયતે—જેના વડે જીવ પોષાય છે તે ઉપધિ, કર્મ એ જ ઉપધિ કર્મોપધિ, એમજ શરીરોધિ, તેમજ બાહ્ય-શરીરથી બહાર વર્તનાર ભાંડ–માટીના ભાજનો, માત્ર–કાંસા વગેરે ધાતુના ભાજનો, ભાજન એ જ ઉપકરણ એ અર્થ સમજવો. જે ભાંડ માત્ર તે જ ઉપષિ અર્થાત ભાંડમાત્રોપધિ, અથવા ભાંડ–વસ્ત્ર અને આભરણ વગેરે સહિત, તે જ ઉપધિ. તે કારણથી ‘બાહ્ય' શબ્દનો કર્મધારયસમાસ કરવો. ચોવીશ દંડકની વિચારણામાં 191
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy