SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ २ स्थानकाध्ययने उद्देशः ४ प्रशस्ताप्रशस्तानि मरणानि १०२ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ પર્યત કરેલ છે સંસ્કાર જેણે એવો સાધુ સમયને વિષે (અનશનના સમયને પામીને) અનશન કરે છે. તેનો વિધિ આ પ્રમાણે છે-આગમોક્ત વિધિ વડે શરીરાદિના શોષણરૂપ સંલેખના ત્રણ પ્રકારે છે. ૧ જઘન્ય છ માસની, ૨ મધ્યમ એક વર્ષની, ૩ ઉત્કૃષ્ટ બાર વર્ષની. અહિં ઉત્કૃષ્ટ સંલેખના કહે છે. चत्तारि विचित्ताई, विगतीनिज्जूहियाइंचत्तारि । संवच्छरे य दोन्नि उ, एगंतरियं च आयामं ॥१३९॥ [आचारांग नि० २७१] ચાર વર્ષ પયત છઠ્ઠ, અક્રમ વગેરે વિચિત્ર તપ કરવો, ત્યારબાદ ચાર વર્ષ સુધી પૂર્વોક્ત પ્રકારનું તપ કરે અને પારણે આયંબિલ કરે. ત્યારપછી બે વર્ષ પર્યત એકાંતર આયંબિલ જ કરે. (૧૩૯) णाइविगिट्ठो य तवो, छम्मासे परिमियं च आयामं । अन्नेवि य छम्मासे, होइ विगिढं तवोकम्मं ।।१४०।। [કાવાર નિ ર૭૨]. ત્યારબાદ અગિયારમા વર્ષના પહેલા છ માસ પર્યત અતિગાઢ તપ (અટ્ટમ વગેરે) ન કરે પરંતુ એક ઉપવાસ કે છઠ્ઠ કરે અને પારણે ઊણોદરીપૂર્વક આયંબિલ કરે. ત્યારપછી છ માસ સુધી અટ્ટમ, દશમ અને દ્વાદશમ (ચાર પાંચ ઉપવાસ) વગેરે તપ કરે અને પારણે ઊણોદરી રહિત આયંબિલ કરે. (૧૪૦) वासंकोडीसहियं, आयामकाउ आणुपुव्वीए । संघयणादणुरूवं, एत्तो अद्धाइ नियमेणं ।।१४१।। [आचारांग नि० २७३] બાદ બારમે વર્ષે જે કરવાનું હોય તે કહે છે–એક વર્ષ પર્યત નિરંતર કોટી સહિત આયંબિલ કરીને આનુપૂર્વી વડે, સંઘયણાદિને અનુરૂપ એટલા કાળ પર્યત નિયમ વડે ભોજન કરતો થકો ઊણોદરી કરે, તે દિન પ્રત્યે એકેક કવલ ઓછો કરતાં થાવત્ એક કવલ આહાર કરે, ત્યારબાદ એક કવલમાંથી પણ એક સિક્યૂ (એક દાણો). ઓછો કરે, એવી રીતે બે, ત્રણ વગેરે દાણા ઓછા-ઓછા કરતાં યાવત્ એક દાણો આહાર કરે, અને તેથી કરીને કોટી સહિત એટલે તપના બે છેડા મેળવવા. (૧૪૧) देहम्मि असंलिहिए, सहसा धाऊहिं खिज्जमाणेहिं । जायइ अट्टल्झाणं, सरीरिणो चरमकालम्मि ॥१४२।। [પચવતુ ૫૭૪-૭૭ વિરો] શરીરની સંખના ન કર્યું છતે ઉતાવળથી જો કરે તો ક્ષય પામતા ધાતુઓ (માંસાદિ) વડે મરણના સમયમાં જીવને આર્તધ્યાન થાય છે. (૧૪૨) વળી કહ્યું છે કેभावमवि संलिहेइ, जिणप्पणीएण झाणजोगेणं । भूयत्थभावणाहि य, परिवड्डइ बोहिमूलाई ॥१४३।। [૫શવસ્તુળ ૨૫૬૩] જિનેશ્વરે કહેલ ધ્યાનયોગ વડે આંતરિક ભાવકષાયોની પણ જે સંલેખના કરે છે તે સભૂત અર્થની ભાવનાઓ વડે બોધિના મૂળોની વૃદ્ધિ કરે છે. (૧૪૩). भावेइ भावियप्पा, विसेसओ नवरि तंमि कालम्मि । पयईय निग्गुणत्तं, संसारमहासमुद्दस्स ।।१४४।। [પગ્નવસ્તુ ૧૬૪]. ભાવિતાત્મા, વિશેષથી સૂત્ર વડે ભાવના ભાવે, ખાસ મરણ સમયે સંસારરૂપી સમુદ્રના સ્વભાવ વડે નિર્ગુણપણે વિચારે. (૧૪૪) जम्मजरामरणजलो, अणाइमं वसणसावयाइण्णो। जीवाण दुक्खहेऊ, कट्ठ रोद्दो भवसमुद्दो ।।१४५।। [૫૨વસ્તુ ૧૨૧] જન્મ, જરા અને મરણરૂપી જલવાળો, આદિ રહિત, દુઃખરૂપી મસ્યાદિ જીવો વડે વ્યાસ, કષ્ટરૂપી, ભયંકર એવો આ સંસારરૂપી સમુદ્ર જીવોને દુઃખનું કારણ છે. (૧૪૫) 149
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy