________________
२ स्थानकाध्ययने उद्देशः ४ प्रशस्ताप्रशस्तानि मरणानि १०२ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ दो मरणाइं जाव गो णिच्चं अब्मणुनायाइं भवंति, कारणेण पुण अप्पडिकुट्ठाई तंजहा–वेहाणसे चेव गिद्धपढे વેવ ૬ | दो मरणाई समणेणं भगवया महावीरेणं समणाणं निग्गंथाणं णिच्चं वन्नियाइ जाव अब्भणुनाताई भवंति, तंजहा-पाओवगमणे चेव भत्तपच्चक्खाणे चेव पाओवगमणे दुविहे पन्नत्ते, तंजहा–णीहारिमे चेव अनीहारिमे चेव, णियमं अपडिक्कमे ८ भत्तपच्चक्खाणे दुविहे पन्नत्ते, तंजहा–णीहारिमे चेव अणीहारिमे चेव, णियमं सपडिक्कमे ।। सू० १०२॥ (મૂ૦) બે મરણ શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથોને સદા વર્ણવ્યા નથી, સદા કીર્તિ (પ્રશંસા) કરેલ નથી, સદા સ્પષ્ટ
વાણી વડે કહેલ નથી, સદા પૂજિત-સત્કાર કરેલ નથી, સદા વખાણેલ નથી અને સદા આજ્ઞા આપેલ નથી. તે (મરણ) આ પ્રમાણે–સંયમથી પતિત અને પરીષહને સહન ન કરવાથી જે મરણ કરે તે વલય મરણ, ઈદ્રિયોને વશ થવાથી મરે તે વશારૂં મરણ (૧), એવી રીતે નિયાણું કરીને મરવું તે નિદાનમરણ, જે ભવમાં છે તે ભવને યોગ્ય આયુષ્ય બાંધીને જે કરવું તે તદ્ભવમરણ (૨), પર્વત ઉપરથી પડીને મરવું તે ગિરિપતન મરણ, ઝાડ ઉપરથી પડીને મરવું તે તરુપતન મરણ (૩), પાણીમાં પ્રવેશ કરીને મરવું તે જલપ્રવેશ મરણ, અગ્રિમાં પ્રવેશ કરીને મરવું તે
જ્વલનપ્રવેશ મરણ (૪), ઝેર ખાઈને મરવું તે વિષભક્ષણ મરણ, શસ્ત્ર (કટારી વગેરે)થી મરવું તે શસ્ત્રોત્પાદન મરણ (૫), બે મરણ યાવતું સદા અનુમતિ (આજ્ઞા) આપેલ નથી એમ ઉપરના કથન પ્રમાણે જાણવું પરંતુ શીલભંગના રક્ષણ કરવા વગેરે કારણથી એ મરણ નિવારેલ નથી, તે આ પ્રમાણે–વૃક્ષની શાખામાં ગળાફાંસો બાંધીને જે મરવું તે વૈહાનસ (આકાશ) મરણ, હાથી વગેરેના શરીરમાં પ્રવેશ કરીને ગૃદ્ધ (ગીધ) પક્ષીઓ પાસે સ્પર્શ (શરીર ખવરાવીને) કરીને જે કરવું તે ગૃદ્ધસ્કૃષ્ટ મરણ (૬), બે મરણ શ્રમણ ભગવાન્ મહાવીરે શ્રમણ નિગ્રંથોને નિત્ય વર્ણવ્યા છે, થાવત્ અનુમતિ આપેલ છે, તે આ પ્રમાણે–છેદેલ વૃક્ષની જેમ ચેષ્ટા રહિત જે રહેવું તે પાદપોપગમન મરણ, ભોજનનું પ્રત્યાખ્યાન (ત્યાગ) તે ભક્તપ્રત્યાખ્યાન મરણ (૭), પાદપોપગમન મરણ બે પ્રકારે છે, તે આ પ્રમાણે– જેણે વસતિમાં પાદપોપગમન અનશન કરેલ છે તેના શરીરનો અગ્નિસંસ્કાર કરવો તે નિહરિમ અને શરીરનો સંસ્કાર કરવામાં ન આવે તે અનિરિમ. તે નિયમથી શરીરની પ્રતિક્રિયા રહિત પાદપોપગમન (૮), ભક્તપ્રત્યાખ્યાન . બે પ્રકારે છે, તે આ પ્રમાણે–નિર્ધારિમ અને અનિહરિમ તે નિયમથી શરીરની પ્રતિક્રિયા સહિત છે. /૧૦૨/ (ટી) તો મરViડ્ડ' નિત્યાદ્રિ સંગમ છે. વિશેષ કહે છે કે બે મરણ શ્રમણ ભગવાન્ મહાવીરે, શ્રમણ નિગ્રંથોને કહ્યા નથી. શ્રાતિ-જે તપ કરે છે તે શ્રમણો, શાક્ય (બૌદ્ધભિક્ષ) વગેરે પણ હોય છે. કહ્યું છે કે–fળ પથ ? સ ર તાવસ રોય ૪ નાનીવ , પંવહાં સમUL I [fઇન્ફન૪૪૫] પાંચ પ્રકારના શ્રમણો કહેલા છે–૧ નિગ્રંથો, ૨ શાક્યો, ૩ તાપસો, ૪ ગરિકો અને ૫ આજીવિકો. આ કારણથી તેઓનો નિષેધ કરવા માટે કહે છે કે–બાહ્ય અને અત્યંતર ગ્રંથ (પરિગ્રહ)થી જે નીકળેલા-મૂકાયેલા તે નિર્ગધો-સાધુઓને તે બે મરણને વિષે સ્વીકારવા યોગ્ય ફળ વડે પ્રવૃત્તિ કરવા માટે સદા કહેલ નથી. વર્તિત’ સ્વીકારવાની બુદ્ધિ વડે નામથી પણ ઉચ્ચારણ કરેલ નથી, 'વુડ્યારૂતિ સ્પષ્ટ વાણી વડે ઉપાદેય સ્વરૂપથી બે મરણ કહેલ છે (તે કરવા યોગ્ય નથી), પાઠાંતર વડે પૂનિતે વા તે મરણ કરનારાના પૂજનથી વખાણેલ નથી, '' ક્રિયાપદ સ્તુતિના અર્થમાં છે. અનુમત નથી અર્થાત્ તમે કરો એમ પણ કહેલ નથી, વનયમvi'તિ વલતાં-સંયમથી નિવૃત્ત થયેલાનું પરીષહ વગેરેથી બાધિત હોવાથી જે મરણ તે વલયમરણ, વસંમi'તિ તેલ સહિત દીપકની શિખાને જોવાથી આકુલ થયેલ પતંગી વગેરેની જેમ ઇંદ્રિયોને વશ થયેલાઓનું જે મરણ તે વશાર્તમરણ જાણવું. કહ્યું છે કે
147