SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ २ स्थानकाध्ययने उद्देशः ३ जम्बूद्वीपादेः वेदिकादेः वर्णनम् ९१-९२-९३ सूत्राणि श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ધાતકીખંડના પૂર્વાર્ધ્વ અને પશ્ચિમાદ્ધના મધ્યભાગે પ્રત્યેકમાં એકેક મેરુ છે, તે એકેક મેરુની દક્ષિણ અને ઉત્તરદિશાએ ત્રણ ત્રણ ક્ષેત્રો છે અને મધ્યભાગમાં મહાવિદેહ ક્ષેત્ર છે. અર ચક્ર (પૈડા)ના આરા, તેના વિવર (મધ્ય)ના આકારે ભરતાદિક્ષેત્રો રહેલા છે, તે આ પ્રમાણે ચક્રનાભિસ્થાને જંબૂદ્વીપ અને લવણસમુદ્ર છે, આરાને સ્થાને વર્ષધર પર્વતો રહેલ છે અને આરાના આંતરાને સ્થાને વર્ષધરપર્વતોની વચ્ચમાં આવેલા ક્ષેત્રો છે. તે દરેક ક્ષેત્રો ચાર ચાર લાખ યોજનાના લાંબા છે, અંતમાં (લવણસમુદ્રની દિશામાં) પહોળાઈને લઈને સાંકડા છે તે ફરી ક્રમથી પહોળાઈમાં વૃદ્ધિ પામતા રહેલા છે. ભરત ક્ષેત્રમાં અંદરની' પહોળાઈ છ હજાર છસૌ ચૌદયોજન અને ૨૯/૧૨ બસો ને બારીઆ એકસો ઓગણત્રીશ ભાગ અધિક છે. ભારતની બાહરની પહોળાઈ અઢાર હજાર, પાંચસો સુડતાળીસ યોજન અને ૫૫/૧ર એકસો પંચાવન, બસો ને બારીઆ ભાગ અધિક છે. (૮૯-૯૨) चउगुणियभरहवासो [व्यास इत्यर्थः], हेमवए तं चउग्गुणं तइयं । हरिवासं [हरिवर्षमित्यर्थः] चउगुणियं, महाविदेहस्स विक्खंभो ॥१३॥ जह विक्खंभो दाहिण-दिसाए तह उत्तरेऽवि वासतिए । जह पव्वद्धे सत्त उ, तह अवरद्धेऽवि वासाइं ॥९४॥ [बृहत्क्षेत्र० ३/३०-३१] ભરતક્ષેત્રના અંદરના ભાગમાં અને બાહરના ભાગમાં જે વ્યાસ-પહોળાઈ છે તેને ચારગુણી કરવાથી હૈમવંત ક્ષેત્રની ક્રમથી અંદર અને બાહરના ભાગની પહોળાઈ થાય. હૈમવત ક્ષેત્રના વ્યાસને ચતુર્ગુણિત કરવાથી હરિવર્ષક્ષેત્રનો વ્યાસ થાય અને હરિવર્ષક્ષેત્રના વ્યાસને ચતુર્ગુણિત કરવાથી મહાવિદેહ ક્ષેત્રનો વ્યાસ (પહોળાઈ) થાય. જેમ દક્ષિણ દિશાના ભરતાદિ ત્રણ ક્ષેત્રનો વ્યાસ કહ્યો? તેમ જ ઉત્તરદિશાના એરવતાદિ ત્રણ ક્ષેત્રનો વ્યાસ ક્રમશઃ જાણવો. જેવી રીતે પૂર્વાદ્ધ ધાતકીખંડના સાત ક્ષેત્રનો વ્યાસ કહ્યો તેવી રીતે પશ્ચિમાદ્ધ ધાતકીખંડના સાત ક્ષેત્રોનો વ્યાસ પણ એમ જ જાણવો. (૯૩-૯૪) ... सत्ताणउई सहस्सा, सत्ताणउयाइं अट्ठ य सयाई। तिन्नेव य लक्खाई, कुरूण भागा य बाणउई ॥१५॥ [विष्कम्भ इति] [बृहत्क्षेत्र० ३/४३] ३९७८९७ २/२१२ अडवण्णसयं तेवीस, सहस्सा दो य लक्ख जीवाओ । दोण्ह गिरीणायामो, संखित्तो तं धणू कुरूणं ॥१६॥ [વૃદક્ષેત્ર ૨/૪૮] દેવકુરુ અને ઉત્તરકુરુક્ષેત્રનો વિખંભ (પહોળાઈ) ત્રણ લાખ, સતાણ હજાર, આઠસો સતાણ યોજના અને ઉપર બસો બારીઆ બાણ ભાગ છે. બે લાખ, ત્રેવીસ હજાર, એકસો અઠાવન યોજના બન્ને કુરુક્ષેત્રની “જીવા” છે. તે જીવામાં બે ગજદંત આકૃતિવાળા પર્વતોની લંબાઈ એકત્ર કરવાથી જે પરિમાણ થાય તે પરિમાણવાળું કુરુક્ષેત્રોનું ધનુપૃષ્ઠ જાણવું. (૯૫-૯૬) वासहरगिरी १२ वक्खारपव्वया ३२ पूव्वपच्छिमद्धेसु । जंबुद्दीवगदुगुणा, वित्थरओ उस्सए तुल्ला ॥९७॥ વૃિદક્ષેત્ર ૩/૨૮] ધાતકીખંડના પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધના બાર વર્ષધર પર્વતો અને બત્રીશ વક્ષસ્કાર પર્વતો તે જંબૂઢીપના વર્ષધર અને વખારા પર્વતોથી બમણા પહોળા છે અને ઊંચાઈમાં જંબૂદીપના પર્વતો પ્રમાણે છે. (૯૭) कंचणगजमगसुरकुरुनगा य वेयड वट्टदीहा य । विक्खंभोव्वेहसमुस्सएण जह जंबूदीविच्चा ॥१८॥ વૃિદ્ધક્ષેત્ર ૨/૪]. દેવકુરુ અને ઉત્તરકુરુના બન્ને પડખે રહેલ કંચનગિરિ પર્વતો, ઉત્તરકુરુમાં રહેલા યમક નામે બે પર્વત, દેવકુરુમાં રહેલા ચિત્રવિચિત્ર નામના બે પર્વત, વૃત્તવૈતાઢ્ય પર્વતો અને દીર્ઘવૈતાઢય પર્વતો-આ બધા પર્વતોની પહોળાઈ, ઊંડાઈ અને ઊંચાઈ 1. લવણસમુદ્રની દિશામાં. 2. કાલોદધિની દિશાએ. 3. ભરતની જેમ ઐરાવત, હૈમવતની જેમ હૈરાશ્યવત અને હરિવર્ષની જેમ રફવર્ષનો વ્યાસ જાણવો. 127
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy