SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ આ દશવૈકાલિકસૂર ભાગ-૩ હજી હા અધ્ય. ૫ સૂત્ર-૬૩, ૬૪ S) (૧) “જયાં સુધી હું ભિક્ષા વહોરાવીશ, ત્યાં સુધીમાં આ અગ્નિ ઓલવાઈ જશે, આ એ એમ ન થાઓ” એ મારે સ્ત્રી અગ્નિને ઉત્સચીને આપે. (પહેલા તો લાકડા અને છાણની રે : અગ્નિ હતી. એ અગ્નિ ઠંડી પડવા લાગે, ત્યારે લોકો ડુંક મારીને એને પ્રજવલિત કરતા. If * જો ભિક્ષાદાન સમય દરમ્યાન અગ્નિ ઓલવાઈ જાય, તો એને ફરી પેટાવવામાં મુશ્કેલી | * તો પડે જ. કેમકે આજના જેવી માચીસ - લાઈટરની પદ્ધતિ ન હતી, કે તરત અગ્નિ * | પેટાવી શકાય. એટલે અગ્નિ ઓલવાઈ ન જાય એ માટે સ્ત્રીઓ ભૂંગળાદિ દ્વારા કે સુપડાદિ દ્વારા પવન નાંખીને અગ્નિને ઓલવવા ન દે, વધારે પણ આવું કરે તો સાધુ ન ને નિમિત્તે વિરાધના થઈ, માટે ન ચાલે. એમ આગળ પણ સમજવું.) નો s (૨) વહોરાવતા સુધીમાં તો “અતિદાહના કારણે વસ્તુ બળી જશે..” એમ || અતિદાહના ભયથી ઊંબાડીયાને દૂર કરીને, બહાર કાઢીને ભિક્ષા વહોરાવે. ' (૩) અડધી ઓલવાઈ ચૂકેલી વસ્તુને એકવાર ઈંધનપ્રક્ષેપ દ્વારા ઉજજવલિત કરે. (૪) વારંવાર ઈંધન પ્રેક્ષપ કરે તો એ પ્રજવાલન. એમ કરીને ભિક્ષા આપે. | (૫) “વસ્તુ બળી જશે' એવા દાહના ભયથી જ અગ્નિ ઓલવી દઈને આપે. | (૬) આખા ભરેલા વાસણમાંથી દૂધ વગેરે વસ્તુ અગ્નિના કારણે બહાર ઢોળાઈ ન ની જાય એ માટે એ વાસણમાંથી નાના વાસણાદિ દ્વારા દૂધ કાઢી લઈને બીજી ભિક્ષા | | વહોરાવે. (વસ્તુ ઘટવાથી ઢોળાય નહિ...) અથવા તો એ અગ્નિ પર રહેલા વાસણમાંની . વસ્તુ જ આપવી હોય, તો પણ એમાંથી એ વસ્તુ કાઢીને વહોરાવે. વાસણ નમાવ્યા વિના જ નાના વાસણથી એ અગ્નિ પર રહેલા વાસણમાંથી વસ્તુ લે.) તીમનાદિ એટલે વઘારેલું દહીં, વઘારેલી છાશ વગેરે... F, (૭) અગ્નિ પર મુકેલા વાસણમાં જે દ્રવ્ય રાંધણ માટે મુક્યું હોય, તે દ્રવ્ય બીજા ભાજનમાં કાઢી લઈ તે ખાલી થયેલા ભાજનથી વહોરાવે. (દા.ત. નાની તપેલીમાં શાક | - ગરમ થાય છે. સાધુને દાળ વહોરાવવી છે, એ નાની તપેલીથી વહોરાવવી ફાવે એમ ના થ છે. તો એનું શાક બીજી કઢાઈ વગેરેમાં ખાલી કરીને એ નાની તપેલીથી દાળ ય વહોરાવે..) * અથવા તો “તાપને લીધે દ્રવ્ય ઊભરાઈને બહાર ઢોળાઈ જશે” એવા ભયને લીધે કે * એ રાંધણની વસ્તુને, રાંધણને પાણીથી સીંચીને વહોરાવે. (ઉભરો આવતી વસ્તુ પર જ * જરાક પાણી છાંટવાથી એ તત્કાળ તો ઉભરો આવતી અટકે...) છે. (૮) અગ્નિ પર રહેલા વાસણને જ નમાવીને એ નમાવેલા વાસણથી જ વહોરાવે છે IEE = =
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy