SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ' || નમોડસ્તુ તમે નનશાસનાય || શ્રમણ ભગવાન મહાવીરદેવના શાસનમાં સૌથી છેલ્લે સુધી ટકનારું એક માત્ર સૂત્ર એટલે દસવૈકાલિક સૂત્ર ! - માત્ર છ મહિનામાં આત્મહિત સાધી શકાય એ માટે બાર અંગોમાંથી ઉદ્ધાર કરાયેલા 700 શ્લોકો એટલે દસવૈકાલિક સૂત્ર ! દીક્ષા લીધા બાદ પ્રત્યેક સંયમીએ જેને અવશ્ય ગોખવું જોઈએ એવું 'અણમોલ સૂત્ર એટલે દસવૈકાલિક સૂત્ર ! આવા મહાન આગમસૂત્ર ઉપર શ્રી ભદ્રબાહુસ્વામીએ નિર્યુક્તિઓ રચી, તો 1444 ગ્રન્થના રચયિતા શ્રી હરિભદ્રસૂરિજીએ રહસ્યોથી ભરપૂર વૃત્તિની રચના કરી, રમણીય છતાં અતિ =અઘરી એ વૃત્તિ = ટીકા વાંચવી, એનો ભાવાર્થ સમજવો ખરેખર અઘરો છે. માટે જ હજારો સંયમીઓ આ અણમોલ ગ્રન્થના રહસ્યોથી વંચિત રહે છે. એ હજારો સંયમીઓ ઉપર ઉપકાર કરવાની એક માત્ર પવિત્ર ભાવનાથી આ ભાષાંતર ગ્રન્થ પ્રકાશિત કર્યો છે. 'અઘરા પદાર્થો વધુ સરળ કરવાનો પુરૂષાર્થ કર્યો છે. 'પણ શક્ય છે કે છદ્મસ્થતાદિ દોષોના કારણે મારી પણ ક્ષતિ થઈ હોય, એ માટે પુનઃ પુનઃ ક્ષમા માંગુ છું અને સંયમીઓને વિનંતિ કરું છું કે આ ગ્રન્થનો તલસ્પર્શી અભ્યાસ કરીને મારી ભાવનાને સફળ બનાવવામાં મને સહાય કરે, ગુણહંસવિ. મ..
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy