________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
प्रथमो विरामः
તેના વડે સંયમ ત્યજાય છે. (ગા. ૬૦) મૈથુનથી ઉપશાંતને વિભૂષાવડે શું કામ છે ? (ગા.
.૬૪)
આ અને આવાપ્રકારનાં ઢગલાબંધ આચારોનું નિરૂપણ ગ્રંથકારશ્રીએ આ અધ્યયનમાં કર્યુ છે.
X
અધ્યયન-૭
આ અધ્યયનમાં રાજાદિ દ્વારા પૂછાયેલ આચાર પણ નિરવદ્યવચનથી કહેવો. કા.કે, મૈં જે સાવદ્ય-નિરવદ્યવચનનાં ભેદને જાણતો નથી તેને ઉપદેશનો તો શું બોલવાનો પણ અધિકાર ન નથી અપાયો. આ પદાર્થને લક્ષ્યમાં રાખીને ગ્રંથકારશ્રી-નિર્યુક્તિકારશ્રી અને વૃત્તિકારશ્રીએ મો ૬ ભાષાનાં ભેદો, કઈ ભાષા આરાધની, કઈ ભાષા વિરાધની, સત્યભાષા-મૃષાભાષા- ૩ TM સત્યામૃષા-અસત્યામૃષા ભાષાનું વિવેચન, કઈ ભાષા બોલવી, કઈ ભાષા ન બોલવી આદિ વિસ્તાર સહિત દર્શાવેલ છે. તેની કેટલીક ઝલકો જોઈએ.
ત
ત
વચનનાં પ્રકારોનો અજ્ઞાતા જો કે કંઈ ન બોલે તો પણ તે વચનગુપ્તિને પામેલો નથી. (નિ. ૨૯૦) જ્યારે વચનનાં પ્રકારોનો જ્ઞાતા આખો દિવસ બોલે તો પણ તે વચનગુપ્તિને પામેલો છે. (નિ. ૨૯૧) સંયમી સત્યા, અસત્યામૃષા ભાષા બોલે. અસત્યા, સત્યાકૃષાને સર્વપ્રકારે ન બોલે. (ગા. ૧) ત્રણેકાળ સંબંધિ જે પદાર્થમાં શંકા હોય તેને “આ આ પ્રમાણે “ છે.” એમ ન કહે. (ગા. ૯) કાણાને કાણો, નપુંસકને નપુંસક, રોગીને રોગી અને ચોરને ચોર ન કહેવો. (ગા. ૧૨) સ્ત્રીને માતા, માસી, ફઈ, દીકરી, પૌત્રી... આ પ્રમાણે ← બોલાવવી નહિ. (ગા. ૧૫) એ રીતે પુરુષને બાપા, કાકા, મામા, ભાણિયો, પુત્ર, પૌત્ર... નિ આ પ્રમાણે ન બોલાવવો. (ગા. ૧૮) પંચેન્દ્રિયજીવોમાં ‘આ સ્ત્રી, આ પુરુષ' એમ જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી જાતિથી બોલાવવા. (ગા. ૨૧) સંયમી ઉદ્યાન, પર્વત કે વનોને વિશે મોટા વૃક્ષોને જોઈને “આ વૃક્ષો પ્રાસાદો, તોરણો, ઘરો, નાવ વગેરે માટે સમર્થ છે” એમ ન બોલે. (ગા. ૨૬-૨૭) “આ ફળો પાકી ગયા છે, ખાવા માટે યોગ્ય થઈ ગયા છે, આ ફળો બે મા ભાગ કરવા યોગ્ય છે.’” એમ સંયમી ન બોલે. (ગા. ૩૨) મુનિ સુકૃત, સુપ, સુછિન્ન, य સુહત, સુમૃત, સુનિષ્ઠિત, સુલષ્ટ વિગેરે સાવદ્યવચનો ન બોલે (ગા. ૪૧) સાધુ બધે બધું વિચારીને બોલે અર્થાત્ દોષ ન લાગે એ મુજબ બોલે. (ગા. ૪૪) સાધુ અસંયતને “બેસ, * જા, સૂઈજા, બોલ” આ પ્રમાણે ન કહે. (ગા. ૪૭)
न
શા
शा
स
,,
ना
ય
આવા અનેકપ્રકારનાં સાવદ્ય-અનવદ્યવચનોનું નિરૂપણ ગ્રંથકારશ્રીએ આ * અધ્યયનમાં કરેલું છે.
***