SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય. ૨ સૂત્ર-૨-૩ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ જાણ્યા બાદ) રાજાને બધી જ સાચી વાત જણાવી. (આવશ્યકમાં એ વાત આવી ગઈ છે.) સાચીવાત જાણ્યા બાદ રાજાએ કહ્યું કે “અરેરે ! મેં વિચાર્યા વિના કામ કર્યું.” પછી આખા અંતઃપુર, યોદ્ધાઓનાં સૈન્ય સાથે ચાણક્યની ક્ષમા માંગવા નીકળ્યો. રાજાએ ચાણક્યને છાણનાં ઢગલાની ઉપર બેઠેલો જોયો. રાજાએ બહુમાનપૂર્વક ક્ષમા માંગી. રાજાએ કહ્યું “ચાલો, આપણે નગ૨માં જઈએ.” ચાણક્ય કહે છે કે “મેં બધાનો ત્યાગ કર્યો છે.” न પછી સુબંધુએ રાજાને વિનંતિ કરી કે “હું ચાણક્યની પૂજા કરીશ, મને રજા આપો.” F માઁ રાજાએ રજા આપી, એટલે મંત્રીએ ધૂપ બાળીને ત્યાંજ એક ભાગમાં છાણની ઉપર તેના મ ૬ અંગારાઓ નાંખી દીધા. તે છાણ બળવા લાગ્યા. ચાણક્ય બળ્યો. स्त પછી સુબંધુએ રાજાને વિનંતિ કરી કે “ચાણક્યનું ઘર મને આપો.” રાજાએ રજા સ્તુ આપી, એટલે તે ચાણક્યનાં ઘરે ગયો. ઘરમાં તપાસ કરતાં એણે બંધ ઓરડો જોયો. સુબંધુ વિચારે છે “કંઈક હશે” એટલે બારણું તોડીને ઓરડો ઉઘાડ્યો. પેટીને જુએ છે, તે પણ ઉઘાડે છે... એમ દાબડો જુએ છે. એમાં પત્ર સહિતની મધમધતી ગંધને જુએ છે. તે પત્રને વાંચે છે. તે પત્રનો આ અર્થ છે કે “જે આ ચૂર્ણને સુંઘશે, તે જો સ્નાન ક૨શે કે મૈથુન સેવન ક૨શે કે અલંકારો પહેરશે કે કાચું પાણી પીશે કે મોટી શય્યા ઉપર ઉંઘશે કે વાહનવડે જશે કે ગંધર્વસંગીતને સાંભળશે. વગેરે કે બીજા પણ ઈષ્ટવિષયોને સેવશે. ટુંકમાં જેમ સાધુઓ રહે છે તેમ જો નહિ રહે તો એ મરી જશે.” 月 जि जि न ત્યારે સુબંધુએ આ વાત સાચી છે કે ખોટી એની તપાસ ક૨વા માટે બીજા પુરુષને એ ચૂર્ણ સુંઘાડીને શબ્દાદિ ભોગો ભોગવડાવ્યા. અને પેલો માણસ મરી ગયો. ત્યારપછી મૈં " સુબંધુ જીવવાની ઈચ્છાથી ઈચ્છા વિના જ સાધુની જેમ રહેવા લાગ્યો. પણ જેમ આ રીતે મેં એ સાધુની જેમ રહેતો હોવા છતાં સાધુ ન ગણાય. તેમ આ ગાથામાં દર્શાવેલા પ્રકારનો મ ન સાધુ પણ સાધુ ન ગણાય. માટે જ તે ત્યાગી એમ ન કહેવાય કેમકે “ત્યાગી” શબ્દનો મૈં જે અર્થ છે કે સ્વાધીન એવા ભોગસુખોને ન ભોગવવા... એ અર્થનો જ આમાં અભાવ વ છે. આ તો ભોગસુખ નથી, માટે ભોગવતો નથી... यथा चोच्यते तथाऽभिधातुकाम आह य कं पिए भए, लद्धे विपिट्ठिकुव्वइ । साहीणे चयई भोए, से हु ચારૂત્તિ વુડું રૂા ૩૧
SR No.005764
Book TitleDashvaikalik Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy