SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ આ દશવૈકાલિકસૂગ ભાગ-૨ 8 અધ્ય. ૩ સૂત્ર-૪ ટક છે. પાશા ન પાડી દે એ માટે નલિકાથી પાશા પાડવાના જે જુગારમાં હો તે નાલિકા કહેવાય છે છે. મોટી સુંગળી જેવી નલિકામાં પાશા નાંખવાના, એ ગબડતા ગબડતા નીચે પડે, આ I' આમાં કોઈની હાથ-ચાલાકી વગેરે ન ચાલે. | પ્રશ્નઃ અષ્ટાપદ શબ્દથી બધા જુગાર આવી જ જાય છે, તો નાલિકા નામનો જુગાર " જુદો બતાવવાની શી જરૂર ? ઉત્તર : અષ્ટાપદ શબ્દથી જો કે સામાન્યથી બધા ઘુત આવી જ જાય છે, તો પણ નાલિકારૂપી જુગાર અભિનિવેશનું કારણ હોવાથી એની પ્રધાનતા છે.” એ દર્શાવવાનું " માટે નાલિકાનું જુદું ગ્રહણ કરેલું છે. (સામાન્યજુગારમાં તો માણસ કપટપૂર્વક જીત મેળવી જ : શકે અને સ્વાભાવિક છે કે જે કપટપૂર્વક જીત્યો હોય એને મનમાં સંકોચ રહે, જ્યારે : - નાલિકામાં તો જે જીત્યો, એ સચ્ચાઈથી જ જીતેલો હોય એટલે એ “હું જીત્યો.” એ ન ભાવને વધુ ને વધુ દઢ બનાવી દે. આમ નાલિકા એ અભિનિવેશનું કારણ બને અથવા તો એમ પણ સમજવું કે સામાન્ય જુગારાદિમાં તો કપટ વગેરેનો સંભવ હોવાથી. “આ જુગાર ન રમાય... એમાં પાપ છે...” વગેરે વિચારો આવે. પરંતુ જે નાલિકામાં , - કપટાદિ શક્ય જ નથી, એમાં તો એવો વિચાર આવે કે “આમાં શું પાપ છે ? બધા ને પોતપોતાની ઈચ્છાથી રમે છે. આપણે કોઈને ઠગતા નથી... પછી આ રમત રમવામાં | શું વાંધો ?” આમ આ રીતે પણ નાલિકાજુગાર અભિનિવેશ = આગ્રહનું કારણ બની રહે છે એમ લાગે છે.) * અન્યલોકો એમ કહે છે કે કવિ નો અર્થ જુગાર નથી કરવાનો, પણ અમે પૂર્વે ન ' કહી ગયા એ પ્રમાણે અર્થપદ એ જ અર્થ કરવાનો છે. એટલે બે વાર જુગારનું વર્ણન 1| F" આવવા રૂપ દોષ લાગતો નથી. * હવે આ માન્યતા પ્રમાણે જોકે એવો વાંધો આવે કે નાયિકારૂપ જુગારનો જ નિષેધ - ના થયો. પણ બીજા બધા જુગાર તો અનાચરિત ન દેખાડ્યા. એટલે બીજા બધા જુગારો ના || રમવામાં કોઈ પાપ ન લાગે..” પરંતુ આ પક્ષમાં એમ સમજવું કે નાલિકાજુગારનું | ગ્રહણ તમામ જુગારના ઉપલક્ષણ માટે છે. અર્થાત્ નાલિકા જુગારની જેમ તમામ જુગારો કે અનાચરિત જ છે એવું આ નાલિકાશથી સમજી લેવું. કે હા ! અમે જે મત માન્યો છે, એમાં તો અષ્ટાપ- જુગાર અને નાસ્તિવ એટલે કે : નાલિકાવાળો જુગાર એમ બંને લીધા જ છે. તો એ મતમાં તો નાલિકાશબ્દથી બધા જુગાર ' લેવાની જરૂર નથી. કેમકે આ મતમાં તો બંનેયનું ગ્રહણ કરેલું જ છે. | [E 5
SR No.005764
Book TitleDashvaikalik Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy