________________
1
c
મા દશવૈકાલિકસૂર ભાગ-૧
માં ! બે શબ્દો
(બે શબ્દો દશવૈકાલિક જેવા મહાન સૂત્રની રચના કરી છે ચૌદપૂર્વધર શ્રી શય્યભવસૂરીશ્વરજી મહારાજાએ ! એના ઉપર નિર્યુક્તિની રચના કરી છે ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીજીએ !
ચૂર્ણિની રચના કરી છે શ્રી જિનદાસગણિમહારજીએ ! વૃિત્તિની રચના કરી છે ૧૪૪૪ ગ્રન્થરચયિતા શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ !
હજારો વર્ષો પૂર્વેનું આ અણમોલ સાહિત્ય કાળના પ્રવાહમાં ક્યાંય ખતમ ન થઈ જાય || ' અને આપણાં સુધી પહોંચે એ માટે એની સુરક્ષા કાજે જબરદસ્ત ભોગ આપ્યો છે હજારો | શ્રમણ-શ્રમણીઓએ અને શ્રાવક-શ્રાવિકાઓએ
મારા જેવા સાધુ પણ આનું ભાષાંતરાદિ કામ સારી રીતે પાર પાડી શકે એ માટે આ T કૃપાબળ-પીઠબળ પૂરું પાડ્યું છે પરમોપકારી પૂજયપાદ ભવાદપિતારક ગુરુદેવશ્રીએ !
' ભાષાંતરમાં ભૂલો ન રહી જાય એ માટે અક્ષરશઃ બધું જ તપાસી આપવાનો અનહદ IT ઉપકાર કર્યો છે પૂજયપાદ શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી " મ.સાહેબના શિષ્ય મુનિરાજ ભવ્યસુંદરવિજયજીએ !
ત્રણ-ત્રણ મુફો જોવા - ક્રમશઃ ગોઠવવા... વગેરે વગેરે અતિ મહેનત અને ઘણો લાંબો સમય માંગી લેતું કપરું કામ સહર્ષ વધાવી લઈને સંપૂર્ણ કરી દીધું છે વિદ્યાશિષ્ય " મુનિરાજ રાજહંસવિજયજીએ !
પ્રકાશનનાં કાર્યમાં ખૂબ ઉલ્લાસથી સહકાર આપ્યો છે તે કમલ પ્રકાશનનાં " ગુણવંતભાઈ અને તેમની પ્રેસની ટીમે !
આવી તો ઢગલાબંધ સહાય બાદ જે કામ શક્ય બન્યું છે, એમાં ભાષાંતરકર્તા તરીકેનો યશ લેવાનો મને કોઈ જ હક નથી. આ આખાય કાર્યમાં મારા ભાગે તો ૧% જેટલો યT | હિસ્સો માંડ આવે... એટલે જો આ કાર્ય ખરેખર સારું થયેલું લાગે, ઉપયોગી લાગે તો
એનો યશ મને આપવાને બદલે આ તમામ ઉત્તમ આત્માઓને જ આપવો એવી મારી નમ્ર | વિનંતી છે. હા ! જે કંઈ ક્ષતિઓ હશે, એ મારી જ હશે એ પણ નિશ્ચિત હકીકત જાણવી. | વર્તમાન ૧૫ હજાર સાધુ-સાધ્વીજી ભગવંતો અઘરી ભાષાદિને કારણે આ ગ્રન્થનાં * " અમૂલ્યપદાર્થોથી વંચિત ન રહી જાય, એ માટે તેઓને ગુજરાતી ભાષામાં સ્પષ્ટતાવાળું * SS ભાષાંતર આપવું જરૂરી લાગ્યું, માટે જ આ ભાષાંતર કર્યું છે. બાકી તો સંયમીઓ .
|
જ
વિE 5 E
5
=
= =
૯ ૯ ૯ ૨૭