________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિર્યુક્તિ - ૧૫૦-૧૫૧ सर्वनयसंमतं वचनं ‘यच्चरणगुणस्थितः साधुः' यस्मात्सर्वनया एव ( सर्वेऽपि नया ) भावविषयं निक्षेपमिच्छन्तीति गाथार्थः ॥ १५०॥
ટીકાર્થ : સર્વેષાં નયાનાં એટલે નૈગમાદિ સાત મૂલનયો... અપિ શબ્દથી આ સાતનાં જ ભેદરૂપ દ્રવ્યાસ્તિકાયાદિ નયો પણ લઈ લેવા.
આ બધાની અનેકપ્રકારની વાતો આ પ્રમાણે કે કોઈ નય એમ માને છે કે “સામાન્ય નામનો જ પદાર્થ છે’” કોઈ નય એમ માને છે કે “વિશેષ નામનો જ પદાર્થ છે' કોઈ વળી બંને માને છે. પણ બંનેને એકબીજાની અપેક્ષા વિનાના સ્વતંત્ર માને છે.
=
न
આ બધા નયોની બહુવિધવક્તવ્યતા દર્શાવી.
અથવા તો નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ પણ ચાર નયો છે. આમાંથી કયો નય કોને સાધુ માને છે ?... એ પણ બધા નયોની બહુવિધવક્તવ્યતા કહેવાય.
આ બધું સાંભળ્યા બાદ સંદેહ ન કરવો. પરંતુ એમ તત્ત્વ જાણવું કે “ચારિત્રગુણસ્થિત આત્મા સાધુ છે” આવું વચન સર્વનયને સંમત છે.
त
(ચારિત્ર એટલે ક્રિયા, ગુણ એટલે જ્ઞાન... આમ આચારાંગવૃત્તિકારે દર્શાવ્યું છે.) પ્રશ્ન ઃ આ વચન બધા નયોને સંમત કેમ બને છે ?
·
ઉત્તર : કેમકે તમામ નયો ભાવવિષયક નિક્ષેપને ઈચ્છે છે. અર્થાત્ ભાવનિક્ષેપમાં જે વસ્તુ આવે, તે બધા જ નયો માન્ય રાખે, કેમકે બધા જ નયો ભાવને તો માને જ
મ
છે. હવે જે ચારિત્રગુણસ્થિત સાધુ છે, એ તો ભાવવાળો છે જ. એ સાધુપદનો 1 ભાવનિક્ષેપો છે... એટલે બધા જ નયો આ સાધુને તો સાધુ તરીકે માનવા તૈયાર થાય TM
शा
શા જ છે.
저
स
ना
दुमपुप्फयनिज्जत्ती समासओ वण्णिया विभासाए । जिणचउद्दसपुव्वी वित्थरेण कहयंति સે નવું 、॥ તુમપુ་િનિષ્ણુત્તી સમત્તા ।
य
સુમા ।
इत्याचार्य श्रीहरिभद्रसूरिविरचितायां दशवैकालिकटीकायां द्रुमपुष्पिकाध्ययनं समाप्तम् ।
૩૪૪
य
નિર્યુક્તિ-૧૫૧ ગાથાર્થ : વિભાષાથી = વિશિષ્ટભાષા દ્વારા અથવા તો જુદા જુદા વિકલ્પો દ્વારા દ્રુમપુષ્પિકાનિર્યુક્તિનું સંક્ષેપથી વર્ણન કર્યું. જિનેશ્વરો અને ચૌદપૂર્વીઓ વિસ્તારથી તેના અર્થને કહે છે.
ना