________________
E
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ હુ છુ , અધ્ય. ૧ નિયંતિ - ૮૦ ) સેવન કરે છે. (ગામ કે શહેરાદિમાં જયાં હલકી જાતિના, ગરીબાદિ લોકો રહેતા હોય
તે પ્રત્યન્ત કહેવાય. જેનું ધન નાશ પામ્યું હોય તે ક્ષીણદ્રવ્યવાળા છે. લેણદારો જેની પાસે સતત ઉઘરાણી કરે તે નિરિવ્ય છે. જેઓએ વિદ્યાભ્યાસ બરાબર ન કર્યો હોય અને
એટલે જ જેઓ વિદ્વાનો કે શિષ્ટોની વચ્ચે રહી શકે એમ ન હોય તે દુરથીતવિદ્ય કહેવાય.) - તે સ્ત્રી પરપુરુષગામિની હતી. એક પુરુષ સાથે લાગેલી હતી. પોતાનો વણિકપતિ | એને સાગારિક તરીકે પ્રતિબંધક હતો. (અલ્પસાગારિક એટલે એકાંત અને સાગરિક 1 એટલે એકાન્ત ન હોવો તે. વણિકની હાજરી સ્ત્રીને પાપ કરવા માટેનો એકાન્ત કરી ને
આપતી ન હતી... એમ ભાવ છે) એ વાત વિચારીને સ્ત્રી કહે છે કે “તું વેપાર કરવા ડ જા.વણિક કહે કે “કઈ વસ્તુ લઈને વેપાર કરવા જાઉં?” તેણી કહે છે કે “ઉંટની | તે લીંડીઓ લઈને ઉજ્જયિની નગરીમાં જા.” પછી તે વણિક ગાડું ભરીને ઉજજયિની ગયો. જ તે સ્ત્રીએ કહ્યું કે “એક એક લીંડી એક એક દીનારમાં આપજે.” સ્ત્રી વિચારે છે કે “લાંબો સમય પતિ ત્યાં જ રાહ જોતો રહે. ત્યાંજ રહી જાય. તે જ સારું.” | (આશય એ છે કે એક એક સોનામહોરમાં એક એક લીંડી વેચવાની હોય, તો તે ને એકપણ લીંડી ખરીદનાર કોઈ ન જ મળે. આમ પણ ઉંટની લીંડી કોણ ખરીદે ? એટલે કે
જ્યાં સુધી એ ન વેચાય ત્યાંસુધી પતિ પાછો જ ન આવે. અને એટલે આ સ્ત્રીને પાપ કરવામાં સુવિધા રહે. પતિ બિચારો ભોળો હતો એટલે સ્ત્રીની આ બધી વાતોને સમજી શકે એમ ન હતો. એ તો જેમ સ્ત્રી કહે તેમ કરતો.) - તે વણિકે ઉજ્જયિની જઈ તે લીંડીઓ માર્ગમાં ઉતારી. (જયાં બજાર હોય એ સ્થાનમાં ઉતારી.) પણ કોઈપણ એને પુછતું નથી. મૂલદેવે એને જોયો અને પૃચ્છા કરી. (મૂલદેવ એક રાજકુમાર છે, પણ પિતાએ એને કારણસર કાઢી મૂકેલો. એ અત્યંત શા " બુદ્ધિમાન હતો...) વણિકે વાત કરી કે “એક દીનારમાં એક એક લીંડી વેંચવાની છે.” FI ના મૂલદેવે વિચાર્યું કે આ બાપડો પત્ની વડે ક્ષોભ પમાડાયેલો છે. (પત્નીથી ઠગાયેલો છે, | | | પત્નીમાં અંધવિશ્વાસુ છે...) ત્યારે મૂલદેવે કહ્યું કે “હું તારી આ લીંડીઓ વેંચી આપુ, | જિ તું મને પણ અડધું મૂલ્ય = અડધ ભાગ આપ..” તંણ કહ્યું કે “આપીશ". આ રીત | વણિકે વાત સ્વીકારી, એટલે પછી મૂલદેવે તે હંસની યાચના કરી આકાશમાં ઉડ્ડયન કર્યું. (આ હંસ કયો ? કોની પાસેથી માંગ્યો ? વગેરે બાબતો અત્રે જણાવી નથી. મૂલદેવની # આ વિસ્તૃત કથામાં એ બધા ખુલાસા હોય એ શક્ય છે.) નગરની વચ્ચે રહીને બોલે છે કે . ( જે બાળકનાં ગળામાં ઉંટની લીંડી બાંધેલી નહિં હોય, તેને મારી નાંખીશ. હું દેવ છું.” Sછેપછી ગભરાયેલા બધા લોકોએ એક એક દીનારનાં બદલામાં એક એક લીંડી લીધી. આ રે
વE
r
s