________________
न
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
लोए एरिसं फलमिति ।
તેમાં અનુશાસ્તિમાં સુભદ્રા દૃષ્ટાન્ત છે. તે આ પ્રમાણે ચંપા નગરીમાં સુશ્રાવક જિનદત્તને સુભદ્રા નામની દીકરી હતી. તે અત્યંત રૂપવતી હતી. બૌદ્ધનાં ઉપાસકે તેને જોઈ તે તેની ઉપર રાગી થયો. તેની માંગણી કરે છે. શ્રાવક કહે છે કે “હું મિથ્યાત્વીને મારી દીકરી નહિ આપું” પછી તે ઉપાસકસાધુઓની પાસે ગયો, ધર્મની પૃચ્છા કરી. સાધુઓએ એને ધર્મ કહ્યો. ત્યારે એણે કપટપૂર્વકનો શ્રાવકધર્મ સ્વીકાર્યો. (સુભદ્રાને મેળવવાનાં મિલન આશયથી જ એણે શ્રાવકધર્મ સ્વીકારેલો.) પણ ત્યાં તેને ખરેખર એ ધર્મ પરિણમ્યો. ત્યારે તેણે સાધુઓને સાચી વાત કહી કે મેં છોકરીને માટે કપટ વડે ધર્મ > કર્યો. હવે ભાન થયું કે હું કપટથી કરતો હતો. (મારાથી એવું ન કરવું જોઈએ.) (અથવા તો કે સાધુઓ ! તમે એ જાણો કે હું કપટથી આ ધર્મ કરતો હતો.) તો હવે મને ફરી સ્તુ અણુવ્રત આપો.”
न
અધ્ય. ૧ નિર્યુક્તિ - 63
એ પછી તે લોકમાં પ્રસિદ્ધ શ્રાવક થયો. ત્યારબાદ અમુક કાળ પસાર થયા પછી 7 તે લગ્ન સંબંધી માળાઓ શ્રાવકને ત્યાં મોકલે છે. જિનદત્તે પણ એને જૈનશ્રાવક સમજીને 7 મેં દીકરી આપી. લગ્ન થયા. એકવાર તે કહે છે કે “તમારી દીકરીને હું મારા ઘરે લઈ # જાઉં” ત્યારે શ્રાવકપિતા કહે છે કે “તમારું આખું ઘર બૌદ્ધનું ઉપાસક ઘર છે. અને આ દીકરી તેમને અનુસરશે નહિ. (કેમકે એ જૈનશ્રાવિકા છે.) અને આવી પરિસ્થિતિમાં પાછળથી એ અપમાન પામે.” (ઘરવાળા એને પરેશાન કરે જ, માટે હું નહિ મોકલું) ઘણો આગ્રહ પતિએ કર્યો ત્યારે શ્રાવકે દીકરીને વળાવી. પતિ તો એને ત્યાં લઈ
जि
जि
न
न
જઈ જુદું ઘર કર્યું. “આ સુભદ્રા બૌદ્ધભિક્ષુઓની ભક્તિ કરતી નથી” એટલે સાસુ અને
शा
शा નણંદ એના ઉપર ગુસ્સે ભરાયા. એકવાર એમણે સુભદ્રાના પતિને કહ્યું કે “આ સ્ત્રી
저
મ
શ્વેતપટવાળાઓ સાથે જૈન સાધુઓ સાથે સંબંધવાળી છે” પણ શ્રાવક બનેલો પતિ આ
ना વાત ઉપર શ્રદ્ધા કરતો નથી. ક્યારેક ભિક્ષા માટે આવેલા તપસ્વીની આંખમાં કણિયો ન
મૈં પ્રવેશેલો હતો, તેને સુભદ્રાએ જીભ દ્વારા દૂર કર્યો. સુભદ્રાએ સિંદુર વડે તિલક કરેલું હતું, મૈં તે તિલક તપસ્વી સાધુના કપાળ ઉપર લાગી ગયું. ઉપાસિકાઓએ શ્રાવકપતિને એ તિલક * દેખાડયું. શ્રાવકને હવે ખાતરી થઈ કે “મારી પત્ની કુલટા છે” હવે શ્રાવક તેણીને પૂર્વની જેમ અનુવર્તન કરતો નથી. અર્થાત્ સદ્ભાવ, ઔચિત્ય, લાગણી રાખતો નથી.
સુભદ્રા વિચારે છે કે “એમાં આશ્ચર્ય શું છે કે ? હું ગૃહસ્થી છતી આળ-અપમાનને પામું. પરંતુ આ પ્રવચનનો ઉડ્ડાહ જે થાય છે. એ મને ખૂબ દુ:ખી કરે છે”
૧૯૦