________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૬૯-૦૦ તે ગાંધર્વિકોને વિઘ્ન થયું. પડહના શબ્દથી સંગીતનો શબ્દ સંભળાતો નથી. તેથી તેઓ રાજુકુલમાં ઉપસ્થિત થયા (અને ફરિયાદ કરી) રાજકુલમાં વાણિયાને બોલાવાયો. “તું કેમ આ સંગીતકારોને વિઘ્ન કરે છે ?” એમ પૃચ્છા થઈ. વણિક કહે કે “મારા ઘરે દેવ છે. હું તેને ત્રણવાર પડહ અપાવડાવું છે.” ત્યારે રાજાએ સંગીતકારોને કહ્યું કે તમે અન્યસ્થાને ગાઓ. રોજેરોજ દેવને અંતરાય શું કરાતો હશે ? (તાત્કાલિક ઉત્પન્ન થયેલ ઉપદ્રવનો વિનાશ કર્યો... એટલે પ્રત્યુત્પન્નવિનાશ છે.)
R એમ શિષ્યો જયારે સ્ત્રીઓમાં રાગી થાય ત્યારે આચાર્યે તેવો ઉપાય કરવો કે જેથી મૈં મૈં શિષ્યોના દોષનું (પ્રત્યુત્પન્નનું) નિવારણ થાય. તે શિષ્યો સ્ત્રીનાં ચિંતનાદિ દ્વારા मो ૬ નરકપતનાદિ વિપાકોને ન પામો એ માટે આ જરૂરી છે. કહ્યું છે કે (૧) પુરુષ સ્ત્રીને 5 વિચારે છે (૨) જોવાને ઈચ્છે છે. (૩) દીર્ઘ નિઃસાસા નાંખે છે (૪) તાવ આવે (૫) દાહ થાય. (૬) ભૌજનમાં અરુચિ થાય. (૭) મૂર્છા પામે. (૮) ઉન્મત્ત બને. (૯) શૂન્ય બને (૧૦) પ્રાણોથી મુક્ત બને.
स्त
(આ જ વાતને સ્પષ્ટ કરે છે કે) (૧) પહેલા કામવેગમાં પુરુષ શોક કરે. (૨) બીજા વેગમાં સ્ત્રીને જોવા માટે જાય. (૩) ત્રીજા વેગમાં નીસાસા નાંખે (૪) ચોથા વેગમાં પુરુષ ઉપર જવર-તાવ ચડી જાય. (૫) પાંચમા વેગમાં તે દાહ પામે. (૬) છટ્ઠાવેગમાં તેને ભોજનમાં રુચિ ન થાય. (૭) સાતમા વેગમાં મૂર્છા થાય. (૮) આઠમાં વેગમાં ઉન્મત્ત થાય. (૯) નવમા વેગમાં કંઈપણ જાણે નહિ. (અર્થાત્ શૂન્યમનસ્ક થાય.) (૧૦) દશમા વેગમાં મનુષ્ય પ્રાણોથી યુક્ત બને. આચાર્ય શિષ્યોને આ બધા અપાયોથી રક્ષે. મૈં (આ બધા આલૌકિક અપાયો દર્શાવ્યા. હવે) પારલૌકિક અપાયો આ પ્રમાણે છે કે 7 ભ્રષ્ટપ્રતિજ્ઞાવાળાઓ નરકમાં પડે છે. ફરીથી બોધિ પામતા નથી. સંસાર સમુદ્રમાં ફરે જ્ઞા છે.
स
ना
આ જ અર્થને મનમાં આરોપણ કરીને કહે છે કે જે શિષ્ય પણ સ્ત્રી વગેરેમાં 1 આસક્તિ કરે તો પછી આચાર્યે (એને ઉપાય વડે અટકાવવો એ હવેથી ૭૦મી ગાથા સાથે ય જોડવાનું છે.)
વિ શબ્દ અલ્યુપગમને દેખાડવા માટે છે. અર્થાત્ “સાધુને પણ આવું થઈ શકે છે” એ વાતનો અત્રે સ્વીકાર કરેલો છે.
E
वारेयव्वु उवाएण जइवा वाऊलिओ वदेज्जाहि । सव्वेऽवि नत्थि भावा किं पुण जीवो * સ વોત્તો ૭૦ના
૧૮૩