SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ આ દશવૈકાલિકસૂર ભાગ-૧ હુ હુ અધ્ય. ૧ નિયુક્તિ - ૫૬ અગંધનકુળનો હતો. સાપોની બે જાતિઓ છે. ગંધન અને અગંધન. અગંધન નાગો (s 2 અભિમાની હોય છે. (વમેલું ઝેર ફરી ચાટતા નથી) ત્યારે તે સર્પ અગ્નિમાં પ્રવેશ્યો. * પણ તે સાપે તે વસેલું ઝેર પાછું ન પીધું. રાજપુત્ર પણ મરી ગયો. પછી ગુસ્સે થયેલા - રાજાએ રાજયમાં ઘોષણા કરાવી કે જે મને સાપનું મસ્તક આપશે, તેને હું એક " સોનામહોર આપીશ. પછી તો લોકો સોનામહોરનાં લોભથી સાપોને મારવા લાગ્યા. | હવે જ્યાં પેલો તપસ્વી સર્પ થયો હતો, તે કુલ જાતિસ્મરણજ્ઞાનવાળું હતું, તે કુલનાં સાપો રાતે જ બહાર ફરે, દિવસે ન ફરે. એમ વિચારીને કે “અમે જીવોને બાળનારા || Fi ન બનીએ.” (જો દિવસે બહાર ફરે તો એમની આંખમાં સૂર્યકિરણો પડતાં જ એમાંથી જ આગ છૂટે અને જીવો મરે.) = એકવખત ગારુડિકો સાપોને શોધતા હતાં, ત્યારે તેમણે રાત્રે ફેલાયેલ સુગંધ દ્વારા ન તે તપસ્વીસર્પનું દર જોઈ લીધું અને તેના દ્વાર પાસે ગાડિક ઉભો રહ્યો. ઔષધિ વડે એને બોલાવે છે. (સર્પો ગંધ દ્વારા આકર્ષાય એટલે ચોક્કસ પ્રકારની ઔષધિની ગંધથી ગાડિક તે સર્પને બહાર ખેંચી લાવવા પ્રયત્ન કરે છે.) - સર્પ વિચારે છે કે “મેં ક્રોધનો વિપાક જોઈ લીધો છે. તેથી જો હું મોટું બહાર રાખીને કે નીકળીશ, તો તમારી આંખોમાં સૂર્યકિરણો પડતાની સાથે જ બહાર ઉભેલાઓને) બાળનારો બનીશ.” એટલે સાપ પુંછડા વડે બહાર નીકળવા લાગ્યો. (સુગંધને પરવશ બનીને નીકળવું તો પડે જ). એના શરીરનો જેટલો જેટલો ભાગ બહાર નીકળે છે, એટલા " એટલા ભાગને ગાડિક છેદી નાંખે છે. એમ છેલ્લે એનું મસ્તક પણ છેડાયું. એ મર્યો. " તે સર્પ દેવતાથી પરિગૃહીત હતો (દેવાધિષ્ઠિત હતો) એટલે સર્પનાં મરવાથી તેમાં રહેલાં | દેવે રાત્રે સ્વપ્રમાં રાજાને દર્શન આપ્યું કે “તું સાપોને ન માર. નાગકુલમાંથી બહાર શા IF નીકળીને એક આત્મા તારો પુત્ર થશે. તે પુત્રનું નાગદત્ત નામ કરજે.” Fા તે તપસ્વીસર્પ મરીને તે પ્રાણત્યાગ દ્વારા તે જ રાજાનો પુત્ર થયો. દીકરા તરીકે | 4 એનો જન્મ થયો ત્યારે એનું નાગદત્ત નામ રખાયું. નાનો હતો ત્યારે જ એણે દીક્ષા | લીધી. સાધુ પૂર્વનાં તિર્યંચ-સાપભવનાં પ્રભાવથી અત્યંત ભૂખ્યો હતો. સવારના સમયથી આ વાપરવાનું શરુ કરે કે છેક સૂર્યાસ્ત સમય સુધી વાપરે. પણ એ ઉપશાંત હતો, ધર્મ ઉપર કે શ્રદ્ધાવાળો હતો. તે ગચ્છમાં ચાર તપસ્વી હતાં. તે આ પ્રમાણે ચાતુર્માસિક તપસ્વી, I. ત્રિમાસિક તપસ્વી, દ્વિમાસિક તપસ્વી અને એકમાસિક તપસ્વી. (ચાર મહિનાનાં ઉપવાસ . ' વાળો તપસ્વી.... એમ બધામાં અર્થ લેવો.) રાત્રે દેવતા (નાગદત્તને) વંદન કરવા માટે .. છેઆવી. ચાતુર્માસિક તપસ્વી સૌથી પહેલો રહેલો હતો, એની આગળ ત્રિમાસિક, તેની - = = =
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy