SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ S a , # દશવૈકાલિકસૂર ભાગ-૧ ) અધ્ય. ૧ નિયુકિત - ૫૫ ક રે છે, ત્યારે જ્યારે તેઓ પોતાના ગામની પાસે આવ્યા ત્યારે નદીના કિનારે નાનાભાઈનું ( પુનરાવર્તન થયું. (અર્થાત્ ખરાબ વિચારોમાંથી એ પાછો સારા વિચારોમાં પ્રવેશ્યો.) તે ' એ વિચારે છે કે “મને ધિક્કાર હો કે જે મારા વડે ધનને માટે ભાઈની હત્યા કરવાનો વિચાર કરાયો.” એ રડવા લાગ્યો. મોટાભાઈએ પૃચ્છા કરી, નાનાએ બધી વાત કરી. " * મોટો કહે “મને પણ આવા જ પ્રકારનો વિચાર આવેલો. તેથી લાગે છે કે આ ધનના જ પાપેજ આપણે આ વિચાર કર્યો છે” એમ વિચારીને તેઓએ તે નકુલકને સરોવરમાં ફેંકી | દીધો. તેઓ ઘરે ગયા. તે નકુલક સરોવરમાં પડતો હતો, તેને માછલાએ ગળી લીધો. 7 મા તે માછલાને માછીમારે પકડીને મારી નાંખ્યો અને માછલા વેંચવાની ગલી, રસ્તા પર માં ! એ માછલાને લાવીને મૂક્યો. = આ બાજુ આ બે ભાઈઓની બહેનને એની માતાએ આ જ માછલાનાં બજારમાં તે મોકલી કે “માછલા લાવ, કે જેથી તારા ભાઈઓ માટે ભોજન બનાવું.” તે બહેને |ભવિતવ્યતાથી તે જ માછલો ખરીદીને ઘરે લાવ્યો. જયારે દાસી માછલાને ફાડતી હતી ત્યારે એણે નકુલક જોયો. છોકરીએ = દાસીએ વિચાર્યું કે “આ નકુલક મારો જ થશે.” | એટલે એણે પોતાના ખોળામાં એને છુપાવ્યો એ રીતે મુકાતો નકુલક માતાએ જોયો અને તે એને ખબર પડી ગઈ. માએ કહ્યું કે “તે ખોળામાં આ શું છુપાવ્યું છે” દાસી પણ લોભને | પામી, કંઈ ન બોલી, ત્યારે બંનેએ પરસ્પર પ્રહાર કર્યો. તે માતા દાસી વડે તેવા પ્રકારના | મર્મપ્રદેશમાં મરાઈ કે જેથી તે જ ક્ષણે એ માતા મૃત્યુ પામી. પેલા બે ભાઈઓએ = છોકરાઓએ તે ઝઘડાનો પ્રસંગ જાણ્યો. તે નકુલને જોયો. ગાઢપ્રહારથી પ્રાણવિમુક્ત તે બનેલી અને જડ બનીને ધરતીતલ ઉપર પડેલી માતાને જોઈ. તે બે જણે વિચાર્યું કે “આ ન તે જ અપાયથી ભરપૂર ધન છે.” | આમ દ્રવ્ય અપાયનું કારણ બને છે. ના લૌકિકો પણ કહે છે કે “ધનને એકઠું કરવામાં દુઃખ છે. એકઠા થયેલા ધનનું રક્ષણ | ય કરવામાં દુઃખ છે. ધનનાં લાભમાં દુઃખ છે. ધનનો વ્યયમાં દુઃખ છે. દુઃખને વધારનાર દ્રવ્યને ધિક્કાર હો. અપાયોથી ભરેલાં પાપરૂપ એવા દ્રવ્યને સંપૂર્ણપણે છોડીને જેઓ તિપોવનમાં રહેલા છે. તે મહાસત્ત્વશાળીઓ ધન્ય છે, તેઓ તપસ્વી છે.” વગેરે. • દ્રવ્યાપાય આહરણ બતાવવાનું હતું, એમાં આટલું જ ઉપયોગી છે. (એ પછી અધુરી , વાર્તાનું સમાપન કરતા કહે છે કે) ત્યાર પછી તે અપાયને જોઈને તે બેને વૈરાગ્યે થયો. | ત્યારબાદ તે છોકરી કોઈકને આપીને (પરણાવીને) કામભોગથી વૈરાગ્ય પામેલા તેણે આ એ દીક્ષા લીધી. વE E
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy