SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ * * * *Nિ હત દશવૈકાલિકસૂગ ભાગ-૧ જ અધ્ય. ૧ નિયુક્તિ • ૪૫ અવધારણ, સાદૃશ્ય અને પ્રકાર વચનોને વિશે વપરાય છે. અર્થાત્ આટલા અર્થોમાંથી જ ( કોઈપણ અર્થ દર્શાવવા માટે તથા નો પ્રયોગ થઈ શકે. પ્રશ્ન : આ ચાર ભાંગા તો બતાવ્યા, પણ એનો ભાવાર્થ અમને ન સમજાયો. | ઉત્તર : ભાંગાઓનો ભાવાર્થ આ છે. (૧) દ્રવ્યથી અને ભાવથી હિંસા : કોઈક પુરુષ હરણનો વધ કરવાના પરિણામથી [ પરિણત યુક્ત બનેલા હોય અને તે હરણને જોઈને કાન સુધી ખેંચાયેલ છે ધનુષ્યની દોરી જેના વડે એવો થઈને બાણને છોડે અને તે હરણ તે બાણ વડે વીંધાયેલો છતાં મૃત્યુ પામે. "" આ દ્રવ્યથી હિંસા અને ભાવથી પણ હિંસા છે. () દ્રવ્યથી હિંસા અને ભાવથી હિંસાનો અભાવઃ ઈર્યાસમિતિવાળો સાધુ કારણસર જતો હોય તો એના દ્વારા જે હિંસા થાય તે આમાં ગણાય. કહ્યું છે કે ચાલવાનો માટે નું ઈર્યાસમિતિવાળા સાધુનો પગ ઉંચે કરાયે છતે, વિકસેન્દ્રિય જીવ વ્યાપાદન પામે, તે જોગને આશ્રયીને મૃત્યુ પામે. તે સાધુને તે હિંસાનિમિત્તક સૂક્ષ્મ પણ બંધ શાસ્ત્રમાં દેિખાડયો નથી. કેમકે તે સાધુ અપ્રમત્ત છે. અને હિંસા તો “પ્રમાદ’ એ પ્રમાણે તે Fનિર્દેશાયેલી છે. અર્થાત્ પ્રમાદ જ હિંસા કહેવાયેલ છે. (૩) ભાવથી હિંસા અને દ્રવ્યથી હિંસાનો અભાવઃ કોઈક પુરુષ મંદમંદ પ્રકાશવાળા પ્રદેશમાં રહેલ કંઈક વળેલી કાયાવાળી દોરડીને જોઈને “આ સર્પ છે' એ પ્રમાણે સમજી તેનો વધ કરવાના પરિણામથી યુક્ત બને, અસિ-તલવાર ખેંચી કાઢે અને જલ્દી જલ્દી જ . એ દોરડીને છેદી નાંખે. તો આ ભાવથી હિંસા છે. દ્રવ્યથી નથી. | છેલ્લો ભાંગો શૂન્ય છે. (જયાં દ્રવ્યથી પણ હિંસા નથી અને ભાવથી પણ હિંસા Iી નથી. એને હિંસાનો ચોથો શી રીતે કહેવાય ? એટલે એ ભાંગાનો અભાવ કહ્યો છે.) આવા પ્રકારની હિંસાનો પ્રતિપક્ષ તે અહિંસા છે. IT અહિંસાના સમાનાર્થી શબ્દોને કહેવાની ઈચ્છાથી કહે છે કે અહિંસા, અ જીવાતિપાત. અર્થાતુ જીવાતિપાતનો અભાવ. (અથવા તો અજીવનો અતિપાત. |અજીવનો નાશ એ અહિંસા) પ્રશ્ન : અજવાતિપાત અહિંસા શી રીતે કહેવાય? ન ઉત્તર : અહિંસાવાળાને પોતાના કર્મનો અતિપાત વિનાશ થાય જ છે અને કર્મ * 1 અજીવ છે. એટલે અજીવાતિપાત અહિંસાવાળાને અવશ્ય થતો હોવાથી એ તેનો * ( સમાનાર્થી કહેવાય. આ રીતે વિચારી લેવું. 9969696/
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy