SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ छत्तीसइमं समुग्घायपयं केवलिसमुग्घायवत्तव्वया મä" સર્વ કર્મપ્રદેશરૂપે ભોગવાય છે, પણ અનુભાવથી ભજના-વિકલ્પ સમજવો-ઇત્યાદિ શાસ્ત્રનું વચન છે. તેથી તે ચારે કર્મો વેદ્યા નથી માટે ક્ષય પામેલા નથી, એનીજ પર્યાયથી વ્યાખ્યા કરે છે–‘અનિનીí:’આત્મપ્રદેશોથી સર્વથા નહિ નાશ પામેલા એવાં રહેલા છે. તેને નામોચ્ચા૨ પૂર્વક જણાવે છ—તું ના'ઇત્યાદિ સુગમ છે. તેમાં જ્યારે ‘સે'તે કેવલજ્ઞાનીને સૌથી વધારે પ્રદેશવાળું વેદનીય કર્મ હોય અને ઉપલક્ષણથી નામ અને ગોત્રકર્મ પણ હોય છે અને સૌથી થોડા પ્રદેશવાળું આયુષ્યકર્મ હોય છે ત્યારે તે ‘વંથળેર્દિ વિËિ'તિ-બન્ધન અને સ્થિતિ વડે, વધ્યુતે ગૈસ્તે-ભવરૂપી કારાવાસથી નીકળતો પ્રાણી જે વડે પ્રતિબંધ પામે તે બન્ધનો, અહીં કરણમાં “અન” પ્રત્યય થયો છે. અથવા ‘વધ્યન્તે' ઇતિ યોગનિમિત્તે આત્મપ્રદેશોની સાથે લોલીભાવ–તાદાત્મ્ય સ્વરૂપે બંધાય–સંશ્લેષને પ્રાપ્ત થાય તે બન્ધનો, અહીં કર્મમાં ‘અન' પ્રત્યય થયો છે. બન્ને પ્રકારની વ્યુત્પત્તિમાં કર્મપરમાણુઓ જાણવા. સ્થિતિ–કર્મના અનુભવનો કાળ, તે પ્રમાણે ભાષ્યકારે કહ્યું છે કે—“વિસમં સ રેડ્ સમેં સમોદો બંધોન્હેિં નિશ્ યા મર્ાફ અંધળાતિ જાતો વિરૂં તેસિં।" સમુદ્દાતને પ્રાપ્ત થયેલો બન્ધનો અને સ્થિતિ વડે વિષમને સમાન ક૨ે છે. બન્ધનો એટલે કર્મદ્રવ્યો અને તેઓનો કાળ તે સ્થિતિ જાણવી. તેથી તે બન્ધનો અને સ્થિતિ વડે વિષમ એવા વેદનીયાદિક કર્મને સમુદ્દાત કરવા વડે આયુષ્યના સમાન કરે છે. એ પ્રમાણે કેવલી ખરેખર બન્ધનો વડે અને સ્થિતિ વડે વિષમતાને પ્રાપ્ત થયેલા વેદનીયાદિક કર્મને ‘સમીરળયાÇ' સમાન કરવા માટે (અહીં તા પ્રત્યય સ્વાર્થિક છે.) ‘સમોહન્નક્’–સમુદ્દાત કરે છે, સમુદ્દાત કરવાનો પ્રયત્ન કરે છે અને એ પ્રમાણે તે સમુદ્દાતને પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે—“આયુત્તિ સમાપ્યમાને શેષાળાં ધર્મનાં હૈં યવિ સમાપ્તિ: न स्यात् स्थितिवैषम्यात् गच्छति स ततः समुद्घातम् ॥१॥ स्थित्या बन्धनेन च समीक्रीयार्थं हि कर्मणा तेषाम्। અન્તમુતશેષ તવાયુષિ સમુન્ગિયાંમતિ સા" આયુષ્ય પુરું થતાં બાકીના બીજા કર્મોની જો સમાપ્તિ ન થાય તો તે સ્થિતિના વિષમપણાથી તે સમુદ્દાતને પ્રાપ્ત થાય છે: સ્થિતિ અને બન્ધન વડે તે કર્મોને સમાન ક૨વા માટે તેનું આયુષ્ય જ્યારે અન્તર્મુહૂર્ત બાકી હોય ત્યારે તે સમુદ્દાત કરવાને ઇચ્છે છે. (પ્ર0)—વધારે સ્થિતિવાળાં વેદનીયાદિ કર્મને આયુષ્યના સમાન ક૨વા માટે સમુદ્દાત કરે છે' એમ કહ્યું તે યુક્ત નથી, કારણ કે મૃતનાશાદિ દોષનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે-લાંબા કાળ સુધી ભોગવવા યોગ્ય વેદનીયાદિ કર્મનો થોડા કાળમાં નાશ થવાનો સંભવ હોવાથી કૃતનાશ દોષ પ્રાપ્ત થાય છે, અને વેદનીયાદિ કર્મની પેઠે કરેલા કર્મક્ષયનો પણ ફરી નાશ થવાનો સંભવ હોવાથી મોક્ષને વિષે પણ અવિશ્વાસ–અશ્રદ્ધાનો પ્રસંગ પ્રાપ્ત થશે. (ઉ0)—તે સત્ય નથી, કારણ કે કૃતનાશાદિ દોષનો પ્રસંગ નથી. તે આ પ્રમાણે–અહીં જેમ પ્રતિદિવસ સેતિકા–એક શેર ખોરાક ખાવા વડે સો વરસ ચાલે તેટલા ખોરાકને ભસ્મક વ્યાધિ વડે તેના સામર્થ્યથી થોડા દિવસમાં બધો ખોરાક ખાઇ જવાથી કૃતનાશ દોષની પ્રાપ્તિ થતી નથી, તેમ વેદનીયાદિ કર્મનો પણ તથાવિધ શુભ અધ્યવસાયના અનુબંધથી ઉપક્રમ—ઘાત થવા વડે બધાનો ઉપભોગ થવાથી કૃતનાશરૂપ દોષનો પ્રસંગ નથી. કારણ કે બે પ્રકારે કર્મનો અનુભવ થાય છે—વિપાકથી અને પ્રદેશથી. તેમાં પ્રદેશથી બધાય કર્મ ભોગવાય છે. એવું કોઇ કર્મ નથી કે જે પ્રદેશથી અનુભવ કર્યા સિવાય ક્ષય પામે. તેથી શી રીતે કૃતનાશ દોષનો પ્રસંગ પ્રાપ્ત થાય?વિપાકથી કોઇ કર્મ ભોગવાય છે અને કોઇ કર્મ ભોગવાતું નથી. જો એમ ન હોય તો, એટલે બધું વિપાકથી જ ભોગવાય તો મોક્ષના અભાવનો પ્રસંગ થાય. તે આ પ્રમાણે–જો વિપાકાનુભવથી જ બધું કર્મ ક્ષય કરવું જોઇએ એવો નિયમ હોય તો અસંખ્યાતા ભવોમાં તેવા પ્રકારના વિચિત્ર અધ્યવસાય વિશેષ વડે જે નરકગત્યાદિ કર્મ બાંધ્યું હોય તેનો એક મનુષ્યાદિ ભવમાં વિપાક વડે અનુભવ ન થાય. કારણ કે તેવા પ્રકારના વિપાકાનુભવનું નિમિત્ત પોતપોતાનો ભવ હોય છે. તેથી અનુક્રમે પોતપોતાના ભવના નિમિત્ત વડે વેદવામાં નારકાદિ ભવોમાં ચારિત્રના અભાવ વડે ઘણા કર્મનો ઉપચય થવાથી અને તેનો પણ પોતપોતાના ભવરૂપ નિમિત્ત વડે અનુભવ કરવાનો હોવાથી ક્યાંથી મોક્ષ થાય? તે માટેસર્વ કર્મનોવિપાકથી અનુભવ ભજનાએ– વિકલ્પે જાણવો અને પ્રદેશથી અવશ્ય ભોગવવું જોઇએ એમ માનવું. તેથી કોઇ પણ દોષ નથી. (પ્ર0)—એમ છતાં દીર્ધ કાળ સુધી ભોગવવા યોગ્યપણે તે વેદનીયાદિ કર્મ બાંધેલું છે અને ઉપક્રમ વડે તેના પરિમાણ કરતાં 382
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy