SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ छत्तीसइमं समुग्घायपयं केवलिसमुग्घायवत्तव्वया श्री प्रज्ञापना सूत्र भाग २ અર્થ થાય છે—જેટલા કાળે ત્રણ ચપટી વગાડાય તેટલા કાળમાં ‘ત્રિસપ્તશ્રૃત્વઃ' એકવીશ વાર ‘અતિપરિવર્ત્ય’ ચારે તરફ ભમીને ‘હદ્અં’શીઘ્ર આવે,સે શબ્દ મગધ દેશની પ્રસિદ્ધિ વડે અથશબ્દના અર્થમાં છે અને અથશબ્દનો અર્થ વાક્યનો પ્રારંભ વગે૨ે છે. કહ્યું છે કે-‘અથ પ્રક્રિયાપ્રશ્નાનન્તર્યમાધિારવાવ્યોપન્યાસેવુ' અથ શબ્દ પ્રક્રિયા, પ્રશ્ન આનન્તર્ય (પછી) મંગલ, અધિકાર અને વાક્યોપન્યાસ–રૂપ અર્થમાં વપરા૫ છે. તેમાં અહીં વાક્યના પ્રારંભમાં છે. તેની ભાવના આ પ્રમાણે છે–‘વં’ એમ પ્રથમ વિવક્ષિત અર્થના બોધનું કારણ દૃષ્ટાંતનો પીઠિકાબંધ કહ્યો, હવે વિવક્ષિત અર્થના બોધનું કારણ દૃષ્ટાન્તવાક્ય કહેવાય છે. ‘દુનં’ ખરેખર હે ગૌતમ! તે સંપૂર્ણ જંબુદ્રીપ તે ગન્ધના ડાભડાથી નીકળેલા ઘણા ગન્ધના પુદ્ગલો વડે સૃષ્ટ-વ્યાપ્ત થાય? કાકુપ્રશ્નધ્વનિ વડે આ સૂત્ર કહેવાય છે અને તેથી પ્રશ્નસૂત્ર જણાય છે. અથવા ‘સે’પ્રશ્નના અર્થમાં છે. તેથી શીઘ્ર પ્રશ્ન ક૨ે છે. હવે ગૌતમ કહે છે—હા, સૃષ્ટ-વ્યાપ્ત થાય, કારણ કે ગન્ધપુદ્ગલો ચારે તરફ અતિ પ્રસરવાના સ્વભાવવાળાં હોય છે. ફરીથી ભગવાન કહે છે–‘છડમત્યે ખં’ઇત્યાદિ સુગમ છે. અહીં આ ભાવાર્થ છે—જેમ તે સંપૂર્ણ જંબુદ્વીપમાં વ્યાપ્ત થયેલા ગન્ધ પુદ્ગલો સૂક્ષ્મ હોવાથી છદ્મસ્થોને ચક્ષુ આદિ ઇન્દ્રિયગોચર થતા નથી તેમ સર્વલોકવ્યાપી નિર્જરા પુદ્ગલો પણ ઇન્દ્રિયગમ્ય નથી. ઉપસંહાર કહે છ— ્ સુહુમાળ' ઇતિ. એટલા સૂક્ષ્મ નિર્જરા પુદ્ગલો કહ્યાં છે. II૨૫૭૧૬॥ म्हाणं भंते! केवली समुग्घायं गच्छति ? गोयमा ! केवलिस्स चत्तारि कम्मंसा अक्खीणा अवेदिया अणिज्जिण्णा મવંતિ, તં નહા—વેખિત્ત્વે, આસ, નામે, શોષ, સવ્વવદુખશે તે વેગિન્ગે જમ્મુ વતિ, સવ્વત્થોવે તે આર્ कम्मे हवइ, (भवति)। विसमं समं करोति बंधणेहिं ठितीहि य, विसमसमीकरणयाए बंधणेहिं ठितीहि य। एवं खलु केवल समोहण्णति, एवं खलु समुग्घायं गच्छति । सव्वेवि णं भंते! केवली समोहण्णंति, सव्वे वि णं भंते! केवली समुग्घातं गच्छति ? गोयमा ! णो इणट्ठे समट्ठे । जस्साउएण तुल्लाइं, बंधणेहिं ठितीहि य। भवोवग्गहकम्माई, समुग्धायं से ण गच्छति ।। १ ।। જંતુળ સમુ ખાય, અનંતા જેવતી નિખાા નર-માવિષ્પમુઢ્ઢા, સિદ્ધિ વાતિ ગત IIRI IIસૂ॰-૨૬||૭|| (મૂળ) હે ભગવન્! કેવલજ્ઞાની શા હેતુથી સમુદ્દાતને પ્રાપ્ત થાય છે? હે ગૌતમ! કેવલજ્ઞાનીને ચાર કર્મના અંશો અક્ષીણ-નહિ ક્ષય પામેલા, નહિ વેદેલા અને નહિ નિર્જરેલા હોય છે. તે આ પ્રમાણ—વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. તેમાં તે કેવલીને સૌથી બહુ પ્રદેશવાળું વેદનીય (અને નામ, ગોત્ર) કર્મ હોય છે અને સૌથી થોડા પ્રદેશવાળું આયુષ્ય કર્મ હોય છે ત્યારે તેને બન્ધન—કર્મ પ્રદેશો વડે અને સ્થિતિ વડે વિષમ હોય તેને સમાન ક૨ે છે બન્ધન-કર્મ પ્રદેશો અને સ્થિતિ વડે વિષમને સમાન કરવા માટે કેવલી સમુદ્દાત કરે છે. એ પ્રમાણે ખરેખર કેવલી સમુદ્ધાતને પ્રાપ્ત થાય છે હે ભગવન્!બધા ય કેવલી સમુદ્દાત કરે છે, બધા ય કેવલી સમુદ્દાતને પ્રાપ્ત થાય છે? હે ગૌતમ! એ અર્થ યુક્ત નથી. “જેને આયુષ્યના તુલ્ય બન્ધન–પ્રદેશો અને સ્થિતિ વડે ભવોપગ્રહ—ભવના હેતુભૂત કર્મ છે તે સમુદ્દાત કરતો નથી. સમુદ્દાતને પ્રાપ્ત થયા સિવાય અનન્તા કેવલી જિનો જરા અને મરણથી મુક્ત થયેલા શ્રેષ્ઠ ગતિ રૂપ સિદ્ધિને પ્રાપ્ત થયેલા હોય છે.” રર૬૭૧૭॥ (ટી૦) હવે જે કારણથી કેવલીસમુદ્દાતનો આરંભ કરે છે તે સંબન્ધે પ્રશ્ન કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર આ પ્રશ્નસૂત્ર કહે છે— ‘મ્હા નં’ઇત્યાદિ. શા કારણથી હે ભગવન્! કેવલી–કેવલજ્ઞાનસહિત સમુદ્દાતને પ્રાપ્ત થાય છે? સમુદ્દાતનો આરંભ કરે છે? કારણ કે તે કૃતકૃત્ય છે. ભગવાન્ ઉત્તર આપે છ—‘ગૌતમ !' ઇત્યાદિ. હે ગૌતમ ! કેવલીને ચાર કશો-કર્મના ભેદો ‘અક્ષીળા: 'ક્ષય નહિ પામેલા, શાથી? એ કહે છ—– વેવિતા: 'નહિ વેદેલા છે તેથી. અહીં ‘નિમિત્ત, કારણ અને હેતુમાં પ્રાયઃ સર્વ વિભક્તિઓ થાય છે’ એ વ્યાકરણના નિયમને અનુસરી અહીં હેતુમાં પ્રથમા વિભક્તિ થયેલી છે. તેથી આ અર્થ થાય છે—જેથી વેદેલા નથી તેથી ક્ષય પામેલા નથી. કર્મનો ક્ષય પ્રદેશ વડે કે વિપાક વડે કર્મને વેદવાથી થાય છે—“સર્વાં ન્ન પણ્ણતયા મુન્નરૂં મ્મમગુમાવતો 381
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy