SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ छत्तीसइमं समुग्घायपयं कसायसमुग्घायवत्तव्वया ૨ માનસમુદ્યાત, ૩ માયાસમુદ્યાત અને ૪ લોભસમુદ્યાત. હે ભગવન્! નરયિકોને કેટલા કષાયસમુદ્ધાતો કહ્યા છે? હે ગૌતમ! ચાર કષાયસમુદ્ધાતો કહ્યા છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! એક એક નૈરયિકને કેટલા ક્રોધસમુદ્ધાતો અતીતકાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યકાળે થવાના છે? હે ગૌતમ! કોઈને થવાના છે અને કોઈને થવાના નથી. જેને થવાના છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા થવાના છે. એ પ્રમાણે યાવત્ વૈમાનિકને જાણવું. એમ યાવત્ લોભસમુદ્યાત સુધી જાણવું. એ પ્રમાણે ચાર દડકો થાય છે. હે ભગવન્! નરયિકોને કેટલા ક્રોધસમુદ્યાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! અનન્ના થયેલા છે. કેટલા ભવિષ્યકાળ થવાના છે? હે ગૌતમ! અનન્ના થવાના છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. એમ લોભસમુદ્યાત સુધી કહેવું. એ પ્રમાણે એ પણ ચાર દકો થાય છે. હે ભગવન્! એક એકરયિકને નૈરયિકપણામાં કેટલા ક્રોધસમુદ્ધાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. એ પ્રમાણે જેમ વેદનાસમુદ્યાત સંબન્ધ કહ્યું તેમ ક્રોધસમુદ્યાત સંબન્ધ પણ બધું યાવત્ વૈમાનિકપણામાં કહેવું. માનસમુઘાત અને માયાસમુદ્યત સંબન્ધ પણ જેમ મારણાન્તિકસમુદ્દઘાત સંબધે કહ્યું તેમ બધું કહેવું. લોભસમુદ્યાત કષાયસમુદ્યાતની જેમ કહેવો. પરન્તુ અસુરાદિ સર્વ જીવો નરયિકોમાં લોભકષાયવડે એકોત્તરપણે-એકથી માંડી અનન્ત સુધી કહેવા. હેભગવાનૈરયિકોને નૈરયિકપણામાં કેટલાક્રોધસમુદ્ધાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યમાં થવાના છે? હે ગૌતમ! અનન્તા થવાના છે. એ પ્રમાણે યાવત્ વૈમાનિકપણામાં જાણવું. એમ સ્વસ્થાન અને પરસ્થાનમાં બધા કહેવા. સર્વ જીવોને ચાર સમુદ્ધાતો લોભસમુદ્યાત સુધી જાણવા. યાવત્ વૈમાનિકોને વૈમાનિકપણામાં કહેવું. /૧૫/૭૦૬// (ટી.) હવે કષાયસમુદ્યાત સંબધે વિશેષ વક્તવ્યતા કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે–“ ' ઇત્યાદિ. “હે ભગવન્! કેટલા કષાયસમદુઘાતો કહ્યા છે? ઇત્યાદિ, સામાન્ય રીતે કષાય સમુદદ્યાત સંબન્ધ અને ચોવીશ દંડકના ક્રમ સંબધે આ સુત્ર સુપ્રસિદ્ધ છે, હવે ચોવીશ દંડકના ક્રમ વડે વૈમાનિક પર્યન્ત એક એક નરયિકાદિની કષાયસમુદ્દઘાત સંબધે વ્યક્તવ્યતા કહે છે-‘ પાસ અંતે!' ઇત્યાદિ. હે ભગવન્! એક એક નૈરયિકને કેટલા ક્રોધસમુદ્ધાતો અતીત કાળે થયેલા છે? અહીં અતીતકાળ સંબન્ધ સૂત્ર સ્પષ્ટ છે. ભવિષ્ય કાળના સૂત્રમાં કાળના સૂત્રમાં “કોઈને થવાના છે અને કોઇને થવાના નથી.” જે નરકભવના પ્રાન્ત કાળે વર્તતો સ્વભાવથી જ અલ્પકષાયવાળો કષાયસમુદ્ધાત સિવાય કાળ કરીને નરકથી નીકળી મનુષ્યભવને પામી કષાયસમુદ્ધાતને પ્રાપ્ત થયા સિવાય જ સિદ્ધ થાય તેને ભવિષ્યમાં એક પણ કષાયસમુદ્ધાત થવાનો નથી. જેને થવાના છે તેને પણ જઘન્યથી એક, બે કે ત્રણ હોય છે અને પૂર્વે જેનું સ્વરૂપ બતાવ્યું છે એવા અને એકવાર કષાયસમુદ્યતને પ્રાપ્ત થવાવાળાને જાણવા. ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા અને અનન્તા હોય છે. તેમાં સંખ્યાતા કાળ સુધી સંસારમાં રહેનારને સંખ્યાતા, અસંખ્યાતા કાળ સુધી રહેનારને અસંખ્યાતા અને અનન્ત કાળ સુધી રહેનારને અનન્ત ભાવી સમુદ્ધાતો હોય છે. એ પ્રમાણે અસુરકુમારાદિના ક્રમ વડે યાવત્ વૈમાનિકને કહેવું. એમ ચોવીશ દંડકના ક્રમ વડે માનાદિ સમુદ્યાતવાળા લોભસમુદ્યાત સુધી કહેવા. એ પ્રમાણે ચાર ગુણા ચોવીશ દંડકો થાય છે. એ એકએક નરયિકાદિ સંબન્ધ કહ્યા હવે સકલ નારકાદિ સંબન્ધ એ ચારગુણા ચોવીશ દંડકોને કહે છે–અનેરા ' ઇત્યાદિ. હે ભગવાનેરયિકોને અતીત કાળે કેટલા ક્રોધસમુદ્ધાતો હોય? ઇત્યાદિ.અતીત સૂત્ર સ્પષ્ટ છે. અને ભાવી અનન્તા સમુદ્ધાતો હોય. કારણ કે પ્રશ્નસમયે વર્તમાનનારકોમાં ઘણા અનન્તા કાળ સુધી રહેવાના હોય છે. 'પર્વ' એમ નૈરયિકને કહેલા પ્રકાર વડેયાવત્ વૈમાનિકો સુધી કહેવું.જેમ આક્રોધસમુદ્યાત ચોવીશ દંડકના ક્રમથી કહ્યો, એમ માનાદિ સમુદ્ધાતો પણ લોભ સમુદ્યાત સુધી કહેવાય એ રીતે એ પણ બધા નારકો સંબંધે ચાર ગુણા ચોવીશ દંડકો થાય છે. હવે એક એક નૈરયિકાદિને નરયિકાદિ ભાવોમાં વર્તતા કેટલા ક્રોધસમુદ્ધાતો અતીત કાળે હોય અને કેટલા ભવિષ્ય કાળ થવાના હોય-એ નિરુપણ કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે–‘પણા ' ઇત્યાદિ. હે ભગવન્! વિવણિત પ્રશ્ન સમયની પૂર્વે સંપૂર્ણ અતીત કાળની અપેક્ષાએ તે તે કાળે નૈરયિકપણાને પ્રાપ્ત થયેલા એક એકનૈરયિકને સર્વસંખ્યા વડે કેટલા ક્રોધસમુદ્ધાતો • 360
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy