SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ छत्तीसइमं समुग्घायपयं समुग्घायसमोहयासमोहयाणं जीवाईणमप्पाबहुयं श्री प्रज्ञापना सूत्र भाग २ बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा!सव्वत्थोवा जीवा आहारगसमुग्घाएणंसमोहया,केवलिसमुग्घारणं समोहतासंखेज्जगुणा, तेयगसमुग्घाएणंसमोहया असंखेज्जगुणा, वेउव्वियसमुग्घाएणंसमोहया असंखेज्जगुणा, मारणंतियसमुग्घाएणं समोहया अणंतगुणा, कसायसमुग्घाएणं समोहया असंखेज्जगुणा, वेदणासमुग्घाएणं समोहया विसेसाहिया, असमोहया असंखिज्जगुणा ।।सू०-१३।।७०४।। (મૂળ) હે ભગવન્! વેદનાસમુદ્યાતવાળા, કષાયસમુદ્યાતવાળા, મારણાન્તિકસમુદ્યાતવાળા, વૈક્રિયસમુદ્દઘાતવાળા, તેજસસમુદ્યાતવાળા, આહારકસમુદ્યાતવાળા, કેવલિસમુદ્દઘાતવાળા અને સમુદ્દઘાત રહિત એ જીવોમાં કયા જીવો કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા જીવો આહારકસેમુદ્યાતવાળા છે, તેથી કેવલિસમુદ્દઘાતવાળા સંખ્યાતગુણા છે, તેથી તેજસસમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે, તેથી વૈક્રિયસમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે, તેથી મારણાન્તિકસમુદ્યાતવાળા અનન્તગુણા છે, તેથી કષાયસમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે, તેથી વેદનાસમુદ્યાતવાળા વિશેષાધિક છે અને તેથી સમુદ્યત રહિત અસંખ્યાતગુણા છે. હે ભગવન્!વેદનાસમુદ્યાતવડે, કષાયસમુદ્યાતવડે, મારણાન્તિકસમુદ્યુતવડે અને વૈકિયસમુદ્યાતવડે સમુદ્યાત વાળા અને સમુઘાતરહિત નરયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા નૈરયિકો મારણાન્તિકસમુદ્યાતવાળા છે, તેથી વૈક્રિયસમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે, તેથી કષાયસમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે, તેથી વેદના સમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે અને તેથી સમુદ્યાત રહિત સંખ્યાતગુણા હોય છે. l/૧૩૭૦૪ll , (ટી) હવે તે તે સમુદ્યાત વડે યાવકેવલિ સમુદ્યાત વડે સમુદ્યાતવાળા અને સમુદઘાત રહિત જીવોનું પરસ્પર અલ્પબહુત કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે—'પ્રસિ ' ઇત્યાદિ. હે ભગવન્! જેઓનું પૂર્વે યથાસંભવ સમુદ્દઘાત વડે અને . સમુદ્યાતરહિતપણે પ્રતિપાદન કર્યું છે એવા, વેદના સમુદ્યાતવાળા યાવત્ કેવલિસમુઘાતવાળા અને સમુદ્યાત રહિત એવા સામાન્યપણે જીવોના મળે ‘તરે' કયા જીવો ‘તમ્યઃ' કોનાથી અલ્પ હોય? કયા જીવો કોનાથી બહુ–સંખ્યાતગુણા, અસંખ્યાતગુણા ઇત્યાદિ ઘણા હોય? કયા જીવો કોના તુલ્ય-સમાન સંખ્યાવાળા હોય, કયા જીવો કોનાથી વિશેષાધિક-કાંઈક અધિક હોય? અહીં સૂત્રમાં વા શબ્દનો પ્રયોગ વિકલ્પાર્થક સમજવો. ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! સૌથી થોડા જીવો આહારકસમુઘાતવાળા છે. કારણ કે આહારક શરીરો કદાચિત્ આ લોકમાં છ માસ સુધી હોતા પણ નથી. જ્યારે હોય છે ત્યારે પણ જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સહસપૃથક્વે-બે હજારથી માંડી નવ હજાર સુધી હોય છે. કેવળ આહારક સમુઘાત આહારક શરીરના પ્રારંભ કાળે હોય છે, બાકીના કાળે હોતા નથી. માટે એક કાળે થોડાક જ આહાંરક સમુધાતો હોય છે, તેથી સૌથી થોડા આહારક સમુદ્ધાતવાળા છે. તેથી કેવલિસમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે. કારણ કે તેઓ એક કાળે શતપૃથક્તબસોથી નવસો સુધી હોય છે. યદ્યપિ આહારક શરીરવાળા વિદ્યમાનપણે જઘન્યથી એક કાળે એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી બે હજારથી નવ હજાર સુધી હોય છે, તો પણ આહારક શરીરના પ્રારંભ કાળે જ આહારકસમુદ્ધાતો હોય છે. તેથી થોડાને જ આહારક સમુઘાતનો સંભવ હોવાથી એક કાળે અત્યંત થોડા આહારક સમુદ્ધાતવાળા હોય છે, માટે તેથી કેવલિસમુઘાતવાળા સંખ્યાતગુણા હોવામાં વિરોધ નથી. કેવલિ સમુઘાતવાળાથી તૈજસ સમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે, કારણ કે પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો અને દેવોને પણ તૈજસ સમુઘાતનો સંભવ છે. તેથી પણ વૈક્રિય સમુદ્દઘાતવાળા અસંખ્યાતગુણા છે, કારણ કે નારકો અને વાયુકાયિકોને પણ વૈક્રિય સમુદ્યાતનો સંભવ છે, અને વૈક્રિય લબ્ધિવાળા વાયુકાયિકો થોડા નથી, પરતુ દેવોથી પણ અસંખ્યાતગુણા છે. કેવી રીતે છે? ઉત્તર–અહીં બાદર પર્યાપ્ત વાયુકાયિકો સ્થલચર પંચેન્દ્રિયોથી અસંખ્યાતગુણા છે. કારણ કે તે પ્રમાણે મહાદણ્ડકમાં કહ્યું છે. સ્થલચર પંચેન્દ્રિયો દેવોથી પણ અસંખ્યાતગુણા છે. તેથી જો કે બાદર પર્યાપ્ત વાયુકાયિકના સંખ્યામાં ભાગ માત્રને વૈક્રિયલબ્ધિનો સમ્ભવ છે. જેથી કહ્યું છે કે “તિરું તાવ રાણીને વેશ્વિયની વેવ નત્વિ, 355
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy