SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ छत्तीसइमं समुग्घायपयं एगत्तेणं अतीताइसमुग्घाय परूवणं અતીત કાળે થયેલાં છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યકાળ થવાના છે? હે ગૌતમ! કોઈને હોય છે અને કોઈને હોતા નથી. જેને હોય છે તેને જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા હોય છે. એક એક નૈરયિકને અસુરકુમારપણામાં કેટલા વૈક્રિયસમઘાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યમાં થવાના છે? હે ગૌતમ! કોઇને હોય છે અને કોઇને હોતા નથી. જેને હોય છે તેને કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા અને કદાચ અનન્તા હોય છે. એ પ્રમાણે નરયિકને યાવત્ સ્વનિતકુમારપણામાં કહેવું. હે ભગવન્! એક એક નરયિકને પૃથિવીકાયિકપણામાં કેટલા વૈક્રિયસમુદ્યાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! થયેલા નથી. કેટલા ભવિષ્યકાળ થવાના છે? હે ગૌતમ! થવાના નથી. એ પ્રમાણે યાવત્ તેજસ્કાયપણામાં કહેવું. હે ભગવન્! નરયિકને વાયુકાયિકપણામાં કેટલા વૈક્રિયસમુદ્દઘાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યમાં થવાના છે? હે ગૌતમ! કોઇને થવાના છે અને કોઇને થવાના નથી. જેને થવાના છે તેને જઘન્યથી એક, બે, ત્રણે અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા થવાના છે. વનસ્પતિકાયિકપણામાં યાવત્ ચઉરિન્દ્રિયપણામાં જેમ પૃથિવીકાયિકપણામાં કહ્યું તેમ કહેવું. તિર્યંચ પંચેન્દ્રિયપણામાં અને મનુષ્યપણામાં જેમ વાયુકાયિકપણામાં કહ્યું તેમ કહેવું. વ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકપણામાં જેમ અસુરકુમારપણામાં કહ્યું તેમ કહેવું. અહીં જ્યાં વૈક્રિયસમુદ્ધાતનો સંભવ છે ત્યાં કષાયસમુદ્યાતની પેઠે વિચાર કરવો. બીજે તેનો પ્રતિષેધ સુપ્રસિદ્ધ છે. કારણ કે ત્યાં વૈક્રિયલબ્ધિનો જ અસંભવ છે. જેમ નૈરયિક સંબધે ચોવીશ દંડકના ક્રમથી સૂત્ર બતાવ્યું તેમ અસુરકુમારાદિ સંબધે પણ ચોવીશ દંડકના ક્રમથી પ્રત્યેક સૂત્ર જાણવું. પરન્તુ અસુરકુમારથી આરંભી સ્વનિતકુમાર સુધીમાં અને વન્તરાદિમાં પરસ્પર સ્વસ્થાને એકોત્તેરિકા-એકથી માંડી અનન્તા અને પરસ્થાને સંખ્યાતાદિ કહેવા.વાયુકાયિક, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યમાં પરસ્પર સ્વસ્થાને અને પરસ્થાને એકથી માંડી અનન્તા કહેવા. બાકી બધું તેમજ જાણવું. એ પ્રમાણે પ્રત્યેક દંડકના ચોવીશ એવા ચોવીશ દંડકસૂત્રો થાય છે. તે પ્રમાણે સૂત્રકાર કહે છે ‘પર્વ પ વડવી વસવીસ! રંs:// માળિયવ્યા'—એમ પ્રત્યેક દંડકના ચોવીશ એવા ચોવીશ દંડકો કહેવા. એ પ્રમાણે-ઉપર બતાવ્યા પ્રમાણે અહીં પણ–વૈક્રિયસમુઘાતના વિષયમાં પણ પ્રત્યેકના ચોવીશ-ચોવીશ દંડકસૂત્રો કહેવા. હવે તૈજસસમુઘાતને અતિદેશ-સમાનપણાથી કહે છે તેને' ઇત્યાદિ. જેમ મારણાન્તિક સમુઘાત કહ્યો તેમ તૈજસસમુદ્ધાત કહેવો. તાત્પર્ય એ છે કે તૈજસસમુદ્યાત સ્વસ્થાને અને પરસ્થાને એકોત્તરકાવડે–એકથી માંડી અનન્ત સંખ્યા વડે કહેવો. પરન્ત જેને તૈજસસમુદ્રઘાત સંભવતો નથી તેને ન કહેવો. બાકીનાને વિષે કહેવો, નેરયિક, પૃથિવી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઇન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયને વિષે સંભવતો નથી માટે ન કહેવો અને તે સિવાયના બીજાને કહેવો. તે આ પ્રમાણે-હે ભગવન્! એક એકનૈરયિકને નરયિકપણામાં કેટલા તૈજસસમુઘાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! થયેલા નથી. - કેટલા ભવિષ્યમાં થવાના છે? હે ગૌતમ થવાના નથી. હે ભગવન્! એક એકનેરયિકને અસુરકુમારપણામાં કેટલા તૈજસસમુદ્ધાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યમાં થવાના છે? હે ગૌતમ કોઈને થવાના છે અને કોઇને થવાના નથી. જેને થવાના છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા અને અનન્તા થવાના છે – ઇત્યાદિ સૂત્રમાં કહેલી વિશેષતાને આશ્રયી સ્વયં વિચાર કરવો. અહીં સૂત્રની સંખ્યા કહે છે–પર્વ' ઇત્યાદિ. એ પ્રમાણે માણાનિક સમુદ્યાત સંબન્ધ પાઠ વડે અને ક્વચિત્ સર્વથા નિષેધરૂપ પ્રકાર વડે એ તેજસસમુદ્યાત સંબન્ધ પણ પ્રત્યેકના ચોવીશ ચોવીશ દંડકો કહેવા. છા૬૯૭ી एगमेगस्स णं भंते! णेरइयस्स जेरइयत्ते केवइया आहारगसमुग्घाया अतीता? गोयमा! णत्थि। केवइया पुरेक्खडा? गोयमा! णत्थि,एवंजाव वेमाणियत्ते, णवरंमणूसत्ते अतीता कस्सइ अस्थिकस्सइ णत्थि,जस्सत्थि जहन्नेणं एक्को वा दो वा उक्कोसेणं तिण्णिा केवइया पुरेक्खडा? गोयमा! कस्सति अस्थिकस्सइ णत्थि,जस्सत्थि जहन्नेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं चत्तारि, एवं सव्वजीवाणं मणुस्साणं [मणूसेसु] भाणियव्वं। 350
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy