SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ छत्तीसइमं समुग्घायपयं एगत्तेणं अतीताइसमुग्घाय परूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર સમુદ્ધાતો હોય છે. ત્યારબાદ અવશ્ય બીજી ગતિમાં ઉત્પન્ન નહિ થવાને લીધે આહા૨ક સમુદ્દાત સિવાય સિદ્ધિગમન થાય છે. ‘વં’ ઇત્યાદિ. એ પ્રમાણે–નૈરયિકને કહ્યા પ્રમાણે ચોવીશં દંડકના ક્રમવડે નિરંતર વૈમાનિક સૂત્ર સુધી કહેવું. પરંતુ મનુષ્યને અતીતકાળે પણ અને અનાગતકાળે પણ જેમ નૈરયિકોને ભવિષ્યકાળે થવાના સમુદ્ધાતો કહ્યા છે તેમ કહેવા. એટલે અતીતકાળે પણ ચાર અને અનાગતકાળે પણ ચાર સમુદ્ધાતો ઉત્કૃષ્ટથી કહેવા. સૂત્રપાઠ આ પ્રમાણે છ—‘ગમેTH નું મજૂસસ્ય ખંતે! જેવડ્યા આહારસમુ ખાયા અતીતા? ગોયમા! સદ્ અસ્થિ, જાફ નસ્થિ, નસ્લ અસ્થિ નહન્ને પ્રશ્નો વા નો વા તિત્રિ વા ડોમળે પત્તારી' હે ભગવન્! એક એક મનુષ્યને કેટલા આહા૨ક સમુદ્દાતો પૂર્વે થયેલા છે? હે ગૌતમ! કોઇને હોય છે અને કોઇને હોતા નથી. જેને હોય છે તેને જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ ચાર સમુદ્ધાતો હોય છે. કેટલા ભવિષ્યકાળે થવાના હોય છે? હે ગૌતમ! કોઇને હોય છે અને કોઇને હોતા નથી. જેને છે તેને એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર સમુદ્દાતો હોય છે. તાત્પર્ય એ છે કે જે ચોથી વેળા આહા૨ક શરીર ક૨ે છે તે અવશ્ય તે ભવે જ મુક્તિ પ્રાપ્ત ક૨ે છે પણ બીજી ગતિમાં જતો નથી. એ શી રીતે જણાય? ઉત્તર—સૂત્રના પૂર્વાપર વિચારથી જાણી શકાય છે. તે આ પ્રમાણે—જો ચોથી વેળા આહારક શરી૨ કરીને બીજી ગતિમાં જાય તો નરકાદિ કોઇપણ ગતિમાં અતીતકાળે ચાર આહારક સમુદ્દાતો કહ્યા હોત, પણ કહ્યા નથી, તેથી જાણી શકાય છે કે ચોથી વેળા આહારક શરીર કરીને અવશ્ય તે ભવમાં જ મુક્તિગામી થાય છે, પરન્તુ. બીજી ગતિમાં જતો નથી. તેમાં જેણે પૂર્વે આહારકશ૨ી૨ કદિ પણ કર્યું નથી તેને અતીત કાળે આહા૨ક સમુદ્દાત હોતો નથી. તેથી તેની અપેક્ષાએ કહ્યું છે ક—કોઇને નથી’. જેને છે તેણે પણ જો પૂર્વે આહા૨ક શરીર એક વાર કર્યું હોય તો તેને એક અતીત કાળે આહા૨ક સમુદ્દાત થયેલ છે, બે વાર જેણે કર્યું હોય તેને બે, ત્રણ વાર કર્યું હોય તેને ત્રણ આહા૨ક શરીરો અતીતકાળે થયેલા છે, ચોથી વેળા આહારક શરી૨ કરીને આહા૨ક સમુદ્દાતથી નિવૃત્ત થયેલા છે અને હજી મનુષ્યભવનો ત્યાગ કર્યો નથી તેને ચાર સમુદ્ધાતો હોય છે. પુરસ્કૃત-ભવિષ્યકાળે થવાના પણ સમુાતો કોઇને હોય છે અને કોઇને હોતા નથી. તેમાં જે ચોથી વેળા આહારક શરી૨ કરીને આહા૨ક સમુદ્ઘાતથી નિવૃત્ત થયેલા છે, અથવા જેણે આહા૨ક શરીર ક્યું નથી એવો, અથવા જેણે એકવાર આહારક શરી૨ કર્યું છે એવો, અથવા જેણે બે વાર આહા૨ક શ૨ી૨ કર્યું છે એવો, અથવા જેણે ત્રણવાર આહારક શરી૨ કર્યું છે એવો પણ તેવા પ્રકારની સામગ્રીના અભાવથી ત્યાર પછી આહારક શરીર કર્યા સિવાય જ મુક્તિ પામશે, તેને ભવિષ્યમાં આહારક સમુદ્ધાતો કરવાના હોતા નથી. જેને કરવાના હોય છે તેને પણ જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર સમુદ્ધાતો કરવાના હોય છે. તેમાં એકાદિ સમુદ્દાતનો સંભવ પૂર્વે કહેલી ભાવનાને અનુસારે સ્વયં જાણવો. જેણે પૂર્વ કાળે એકવાર પણ આહારક શરીર કર્યું નથી, પણ પછી તથાવિધ સામગ્રીથી જેટલા સંભવે તેટલા શ૨ી૨ ક૨શે તેને ચાર સમુદ્ધાતો હોય છે બીજાને હોતા નથી. હવે કેવલી સમુદ્દાત સંબન્ધે દંડકસૂત્ર કહે છ—‘રૂમેસ્ક મંતે'! ઇત્યાદિ. હે ભગવન્! એક એક નૈયિકને નિરધિકઅનન્ત અતીત કાળને આશ્રયી કેટલા કેવલિસમુદ્ધાતો પૂર્વે થયેલા છે? ભગવાન કહે છે—‘નૈસ્થિ’ત્તિ અતીતકાળે એક પણ કેલિસમુદ્દાત થયેલો નથી. કારણ કે કેવલિસમુદ્દાત કર્યા પછી અન્તર્મુહૂર્તમાં અવશ્ય જીવો પરમ પદને પામે છે. તેથી જો કેવલિસમુદ્દાત થયો હોત તો નરકે જ ન જાત, પણ અત્યારે નરકમાં છે માટે એક પણ નારકને અતીતકાળે કેલિસમુદ્દાત થયેલો નથી. ‘òવડ્યા પુરેવડ’ત્તિ કેટલા કેવલિસમુદ્દાત પુરસ્કૃત-ભવિષ્યકાળે થવાના છે? એ પ્રશ્ન છે. ભગવાન કહે છે—‘હે ગોતમ! ‘સ્સ ્ અસ્થિ, સ્લફ્ નથૅિ'ત્તિ હે ગૌતમ! કોઇને હોય છે અને કોઇને હોતો નથી. અહીં કેલિસમુદ્દાત એક પ્રાણીને સર્વદા એકવાર જ થાય છે, પણ બે ત્રણવાર થતા નથી. તેથી ‘અસ્તિ' એ અવ્યય એકવચનાન્ત જાણવો. તેથી આ અર્થ થાય છે—કોઇને પણ કેવલિસમુદ્દાત પુરસ્કૃત-ભવિષ્યકાળે થવાનો હોય છે જે લાંબા કાળે પણ મુક્તિપદની પ્રાપ્તિ સમયે આયુષ્ય કરતાં વિષમ-અધિક સ્થિતિવાળાં કર્મસહિત હોય. કોઇને થવાનો પણ નથી. જે મુક્તિપદ પ્રાપ્ત કરવાને અયોગ્ય હોય, અથવા યોગ્ય હોય તો પણ, જે કેવલિસમુદ્દાત સિવાય મુક્તિપદને ભવિષ્યમાં પ્રાપ્ત કરશે. તે સંબન્ધુ સૂત્રકાર કહેશે—“અતૂળ સમુ ખાયમાંતા જેવિિના નરમરવિમુળા સિદ્ધિ વરૂં યાા" સમુદ્ધાતને પ્રાપ્ત થયા સિવાય અનન્તા કેવલી જિનો જરા અને 339
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy