SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ छत्तीसइमं समुग्घायपयं एगत्तेणं अतीताइसमुग्घाय परूवणं કેતેને નરકાદિસ્થાનો અનન્તવાર પ્રાપ્ત થયેલા છે. અને એક એકનારકાદિ સ્થાનની પ્રાપ્તિ સમયે પ્રાયઃ અનેકવાર વેદનાસમુદ્દઘાત થાય છે. આ હકીકત ઘણા જીવોની અપેક્ષાએ કહેવામાં આવી છે. કારણ કે ઘણા જીવો અવ્યવહારરાશિથી નીકળેલા અનન્તકાળ સુધી હોય છે, તેથી તેની અપેક્ષાએ એક એકનૈરયિકોને અતીત કાળે અનન્તવેદના સમુદ્યાતો થયેલા ઘટે છે. પરન્તુ જેઓ થોડાક કાળથી અવ્યવહાર રાશિથી નીકળેલા હોય છે. તેઓને યથા સંભવ સંખ્યાતા કે અસંખ્યાતા વેદનાસમુદ્દઘાતો જાણવા. પણ તેઓ થોડાક જ હોય છે. માટે તેની વિવક્ષા કરી નથી. ‘છેવા પુરેમ' ત્તિ કેટલા પુરસ્કૃત-ભવિષ્ય કાળે થવાના છે? આ સૂત્રપાઠનું સૂચનમાત્ર છે. સૂત્રપાઠતો આ પ્રમાણે છે–ાને નેસ્ત vi અંતે! છેવા તેયામુપાયા પુર્ણા ? હે ભગવન્! એક એક નૈરયિકને કેટલા વેદના સમુઘાતો ભવિષ્ય કાળે થવાના છે? એ સુગમ છે. પરન્ત પુરઆગળ કૃત-તે પરિણામની પ્રાપ્તિની યોગ્યતા વડે કરેલા છે? અર્થાત્ “તેના કરનાર જીવે એ અધ્યાહાર છે. એટલે પુરસ્કૃત અનાગત કાળ થવાના છે એ તાત્પર્ય છે. અહીં ભગવાનું કહે છે-કોઈને થવાના હોય છે અને કોઈને હોતા નથી”. જેને થવાના હોય છે તેને પણ જઘન્યથી એક, બે અને ત્રણ થવાના હોય છે. અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા અને અનન્તા થવાના હોય છે. તાત્પર્ય એ છ–જે કોઈ જીવા વિવણિત પ્રશ્ન સમય પછી વેદના સમુઘાત કર્યા સિવાય જ નરકથી નીકળી પછીના મનુષ્ય ભવમાં વેદના સમુદ્ધાતને નહિ પ્રાપ્ત થયેલા જ સિદ્ધ થાય તેને આગળ ભવિષ્ય કાળમાં એક પણ વેદના સમુદ્યાત થવાનો નથી. પણ જે જીવ વિવક્ષિત પ્રશ્ન સમય પછી બાકીના આયુષ્ય કાળમાં કેટલાક કાળ સુધી નરકભવમાં આવીને ત્યારબાદ મનુષ્ય ભવ પામી સિદ્ધ થાય તેને એકાદિ સમુદ્ધાતનો સમ્ભવ છે. સંખ્યાતા કાળ સુધી સંસારમાં રહેનારાને સંખ્યાતા,અસંખ્યાતા કાળ સુધી સંસારમાં રહેનારને અસંખ્યાતા અને અનન્ત કાળ સંસારમાં રહેનારને અનન્તા વેદના સમુઘાતો થાય છે. “એવ' ઇત્યાદિ. એ પ્રમાણે નૈરયિકો કહ્યા પ્રમાણે અસુરકુમારને થાવત્ સ્વનિતકુમારને પણ કહેવું. ત્યાર બાદ ચોવીશ દણ્ડકના ક્રમથી વૈમાનિક સુધી નિરંતર કહેવું. તાત્પર્ય એ છે કે બધાય અસુરકુમારાદિ સ્થાનોમાં અતીત કાળે અનન્ત વેદના સમુદ્દઘાતો કહેવા, અને અનાગત કાળે વેદના સમુદ્યાતો કોઇને થવાના હોય છે અને કોઇને હોતા નથી. જેને હોય છે તેને પણ જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા અને અનન્ત સમુદ્ધાતો કહેવા. તેનો વિચાર પણ પૂર્વે કહ્યા પ્રમાણે સ્વયં કરી લેવી, એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમથી કષાય સમુદ્દઘાત, મારણાન્તિક સમુદ્દઘાત, વૈક્રિય સમુદ્યાત અને તેજસસમુદ્ઘાંત પ્રત્યેક દંડકે કહેવા, તેથી એકસો વીશ દંડકસૂત્રો થાય છે. તે પ્રમાણે સૂત્રકાર કહે છ–‘વે નાવ તેયામુપા' ઇત્યાદિ. “એમ તેજસ સમુદ્ધાત સુધી જાણવું.' એટલે વેદના સમુદ્દઘાત સંબધે કહ્યું છે કે તે પ્રકારે બાકીના બધા સમુદ્યાત વિષે પણ પ્રત્યેકસમુદ્યતને આશ્રયી યાવત્ તૈજસ સમુદ્યાત સુધી કહેવું. બાકી બધું સુગમ ' “પાસ ' ઇત્યાદિ. હે ભગવન્! એક એક નૈરયિકને પુર્વના સર્વ અતીતકાળની અપેક્ષાએ કેટલા આહારક સમદુધાતો પૂર્વે થયેલા છે? ભગવાન્ ઉત્તર આપે છે– હે ગૌતમ! કોઇને હોય છે. અહીં “અસ્થિ-અસ્તિ એ નિપાત-અવ્યય સર્વલિક અને સર્વવચનમાં હોય છે. એ સંબન્ધ શાકટાયનન્યાસકાર કહે છ–મસ્તીતિ નિપાત સર્વનિવરનેષ્યિતિ' ‘અસ્તિ' એ નિપાત સર્વલિજ્ઞ અને વચનોમાં હોય છે. તેથી આ અર્થ થાય છે—કોઇને આહારક સમુદ્યાતો પૂર્વે થયેલા હોય છે અને કોઇને હોતા નથી. જેણે પૂર્વે મનુષ્યપણું પામીને તેવા પ્રકારની સામગ્રીના અભાવથી ચૌદ પૂર્વનું અધ્યયન કર્યું નથી, ચૌદ પુર્વનું જ્ઞાન હોવા છતાં પણ આહારક લબ્ધિના અભાવથી કે તથાવિધ પ્રયોજનના અભાવથી આહારક શરીર કર્યું નથી તેને હોતા નથી. જેને હોય છે તેને પણ જઘન્યથી એક અને બે અને ઉત્કૃષ્ટથી ત્રણ હોય છે, પણ ચાર હોતા નથી. જેણે ચાર વાર આહારક શરીર કર્યું છે તેનું નરકમાં ગમન થતું નથી. એ સંબધે મૂલ ટીકાકાર કહે છે– “કાહારસમુધાયા ૩ોસેને તિત્રિ, તતુવર નિયમ નર ન નસ્લ વરિ અતિ"ત્તિા આહારક સમુધ્ધાતો ઉત્કૃષ્ટથી ત્રણ હોય છે. તેના ઉપર જેને ચાર સમુદ્યાતો થાય છે તે અવશ્ય નરકમાં જતો નથી. ભવિષ્યકાળે પણ કેટલાકને હોય છે અને કેટલાકને હોતા નથી. તેમાં જે મનુષ્યપણું પામી તેવા પ્રકારની સામગ્રીના અભાવથી ચૌદ પૂર્વનું જ્ઞાન અને આહારક સમદુધાત વિના થાય છે તેને હોતા નથી. બાકીના જીવને યથાસંભવ 338
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy