SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ तेत्तीसइमं ओहिपयं अत्थाहिगार परूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ અવવિજ્ઞાન વિષયભૂત ક્ષેત્રને પર્યન્ત ગત-રહેલું છે માટે “અન્તગત' અવધિ કહેવાય છે. અન્તગત અવધિજ્ઞાન ત્રણ પ્રકારે છે. જેમકે–પુરતઃ અન્તગત, પૃષ્ટતઃ અત્તગત અને પાર્વતઃ અન્તગત. તેમાં જેમ કોઈ પુરુષ હાથમાં ગ્રહણ કરેલી અને આગળ ચાલતી દીવી વડે આગળના ભાગને જ જુએ છે, બીજે જોઈ શકતો નથી, એ પ્રમાણે જે અવધિજ્ઞાન વડે તેવા પ્રકારનો ક્ષયોપશમ થવાથી આગળજ સંખ્યાતા કે અસંખ્યાતા યોજન સુધી દેખે છે, બીજે દેખતો નથી તે પુરતઃ અન્તગત' અવધિ કહેવાય છે. તથા તેજ પુરુષ જેમ પાછળ હાથમાં ગ્રહણ કરેલી દીવી વડે પાછળના ભાવનેજ દેખે છે તેમ જે અવધિજ્ઞાન વડે પાછળથીજ સંખ્યાતા કે અસંખ્યાતા યોજન સુધી દેખે છે તે ‘તે પૃષ્ટત અન્તગત અવધિ કહેવાય છે. જે અવધિજ્ઞાન વડે એક પડખે અથવા બન્ને પડખે સંખ્યાતા કે અસંખ્યાતા યોજન સધી દેખે છે તે પાર્વત અન્તગત' અવધિ કહેવાય છે. એ સંબધે નદિ અધ્યનયની ચૂર્ણિમાં કહ્યું छ-"पुरओ अन्तगएणं पुरतो चेव संखेज्जाणि वा असंखेज्जाणि वा जोयणाई जाणइं पासइ, मग्गतोऽन्तगएणं ओहिनाणेणं મતો વેવ” ઇત્યાદિ.-પુરતઃ અન્તગત અવધિજ્ઞાન વડે આગળ સંખ્યાતા કે અસંખ્યાતા યોજન સુધી જાણે છે અને દેખે છે. માર્ગતઃ–પૃતઃ અન્તગત અવધિજ્ઞાન વડે પાછળ રહેલા સંખ્યાતા કે અસંખ્યાતા યોજન સુધી જાણે દેખે' ઇત્યાદિ, મધ્યગત' અવધિનું પણ ત્રણ પ્રકારે વ્યાખ્યાન છે–અહીં દંડાદિના મધ્ય ભાગની પેઠે મધ્ય પ્રસિદ્ધ છે. તેમાં આત્મપ્રદેશોનો મધ્ય ભાગમાં એટલે મધ્યવર્તી આત્મપ્રદેશોમાં રહેલ અવધિ “મધ્યગત' કહેવાય છે. આ અવધિજ્ઞાન સ્પર્ધકરૂપ છે અને સર્વ દિશામાં બોધનું કારણ મધ્યવર્તી આત્મપ્રદેશોનું અવધિજ્ઞાન જાણવું. અથવા સર્વ આત્મપ્રદેશોનો ક્ષયોપશમ હોવા છતાં પણ દારિક શરીરના મધ્યભાગ વડે જ્ઞાન થાય છે, તે માટે મધ્યમાં રહેલું હોવાથી “મધ્યગત’ અવધિ કહેવાય છે. નન્તિ અધ્યયનની ચૂર્ણિમાં કહ્યું છે કે મોતિયસીરમ વિશુદ્ધીનો સબ્રતિસોવર્તમત્તાગો માતાત્તિ મ” ઈતિ-દારિક શરીરના મધ્ય ભાગમાં સ્પર્ધ્વકની વિશુદ્ધિથી અથવા સર્વ આત્મપ્રદેશોની વિશુદ્ધિથી સર્વ દિશામાં જ્ઞાન થવાથી “મધ્યગત' અવધિ કહેવાય છે.” અથવા તે અવધિ વડે જે ક્ષેત્ર પ્રકાશિત છે, તે ક્ષેત્રની સર્વદિશાઓમાં મધ્ય ભાગને વિષે રહેલું તે મધ્યગત અવધિ કહેવાય છે, કારણ કે અવધિજ્ઞાની તે વડે પ્રકાશિત ક્ષેત્રના મધ્ય ભાગમાં રહેલો છે. એ સંબન્ધનન્દિસૂત્રના ચૂર્ણિકાર કહે છે-“હવા ૩વરદ્ધિવેત્ત અવદિપુરતો મજ્જાતો ત્તિ મતો વા મન્નતો મોદી મળg" અથવા ઉપલબ્ધિના-જ્ઞાનના વિષયભૂત ક્ષેત્રના મધ્ય ભાગમાં અવધિજ્ઞાની પુરુષ હોય છે માટે મધ્યગત અવધિ કહેવાય છે. આ ત્રણે વ્યાખ્યાનમાં પણ જ્યારે અવધિજ્ઞાન વડે પ્રકાશિત ક્ષેત્રનો અવધિજ્ઞાની સાથે સંબંધ હોય છે ત્યારે તે અભ્યન્તરાવધિ કહેવાય છે. કારણ કે સર્વ દિશામાં પ્રકાશિત ક્ષેત્રના મધ્યભાગમાં રહેલો છે, આ ભેદ આ બાહ્યાવધિમાં ન ગ્રહણ કરવો, કારણ કે તેનો અભ્યત્તરાવધિમાં અન્તર્ભાવ થાય છે. પરન્ત જ્યારે અવધિજ્ઞાન વડે પ્રકાશિત ક્ષેત્ર વચ્ચે ત્રટિત થયેલું હોવાથી અવધિજ્ઞાની સાથે તેનો સંબન્ધ ન હોય ત્યારે ‘બાહ્ય અવધિ' કહેવાય છે. આ ભેદ અહીં ગ્રહણ કરવો, કારણ કે તે પ્રસ્તુત છે. તથા તે પછી સોરી' દેશાવધિ કહેવાનો છે, અને ઉપલક્ષણથી તેના પ્રતિપક્ષ રૂપ સર્વાવધિ પણ કહેવાનો છે. હવે દેશાવધિ અને સર્વાવધિનું શું સ્વરુપ છે?તેનો ઉત્તર એ છે કે અહીં અવધિ ત્રણ પ્રકારે છે. જેમકે-સર્વજઘન્ય, મધ્યમ અને સર્વોત્કૃષ્ટ. તેમાં સર્વ જઘન્ય અવધિ છે તે દ્રવ્યથી તૈજસ અને ભાષા વર્ગણા વચ્ચે રહેલા અનન્ત દ્રવ્યોને, ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્રને,કાળથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અતીત અને અનાગત કાળને જાણે છે. અહીં અવધિ ક્ષેત્ર અને કાળને સ્વરૂપથી સાક્ષાત્ જાણતું નથી, કારણ કે તે અમૂર્ત છે, અને અવધિનો વિષય રૂપી દ્રવ્યો છે. ‘પષ્યપે:' (અ. ૧. સૂ. ૨૮) એવું તત્ત્વાર્થનું વચન છે. અહીં ક્ષેત્ર અને કાળનું જ્ઞાન ઉપચારથી જાણવું, તાત્પર્ય એ છે કે એટલા ક્ષેત્ર અને કાળમાં રહેલા જે દ્રવ્યો છે તેને જાણે છે. ભાવથી અનન્ત પર્યાયોને જાણે છે. કારણ કે દરેક દ્રવ્યોના જઘન્ય પદે પણ રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શરૂપ ચાર પર્યાયોને જાણે છે. “ો પગ ટુળ બ્રાહvળે ૩ fપણ (મોદી) તે ૩ વત્રા વડો” કારણ કે ‘સર્વ જઘન્ય અવધિ બમણા બે પર્યાયોને એટલે વર્ણાદિ ચાર પર્યાયોને જાણે છે એવું શાસ્ત્રવચન છે. અને દ્રવ્યો અનન્ત છે. આથી ઉપર પ્રદેશની વૃદ્ધિ વડે, સમયની વૃદ્ધિ વડે અને પર્યાયની વૃદ્ધિ વડે વધતું અવધિજ્ઞાન મધ્યમ સમજવું. તે ત્યાં સુધી જાણવું કેયાવત્ સર્વોત્કૃષ્ટપરમાવધિ ન થાય. સર્વોત્કૃષ્ટ પરમાવધિદ્રવ્યથી સર્વ રૂપીદ્રવ્યોને જાણે છે, ક્ષેત્રથી અલોકમાં લોક 305
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy