SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ तेत्तीस ओहियं अत्थाहिगारपरूवणं || તેત્તીમાં મોડિયું || || અત્યાાિરવવપ્ન || भेदविसंयसंठाणे ॲब्भितर - बाहिरे य देसोही ' । ओहिस्स य खय- वुड्डी' पडिवाई चेव अपडिवाई IR-3||૬૬૧|| તેત્રીશમું અવધિ પદ. (મૂ0) અવધિજ્ઞાનના ભેદ ૧, વિષય ૨, સંસ્થાન ૩, અભ્યન્તરાવધિ-બાહ્યાવધિ ૪, દેશાવિધ પ, ક્ષય—હીયમાન અવધિ, વૃદ્ધિવર્તમાન અવધિ ૬, પ્રતિપાતી અને અપ્રતિપાતી ૭ એ તેત્રીશમાં પદમાં સાત દ્વારો છે. ૧૬૬૯।। (ટી૦) ‘મેય–વિક્ષય' ઇત્યાદિ. ૧ જેનો શબ્દાર્થ પૂર્વે કહ્યો છે તે અવધિજ્ઞાનનો પ્રથમ ભેદ કહેવાનો છે. ૨ તે પછી વિષય, ૩ તે પછી સંસ્થાન-અવધિજ્ઞાને પ્રકાશિત કરેલા ક્ષેત્રના જે ત્રાપા વગેરેના આકાર વિશેષરૂપ છે, તેનું કારણ અવધિજ્ઞાન હોવાથી અવધિના સંસ્થાન તરીકે કહેવાય છે. તથા અવધિજ્ઞાન બે પ્રકારનું છે–અભ્યન્તરાવધિ અને બાહ્યાવધિ. ૪ તેમાં જે અવિધ સર્વ દિશામાં પોતાના વિષયભૂત ક્ષેત્રનો પ્રકાશ ક૨ે અને તેથી અવધિજ્ઞાનીની સાથે નિરંતર પોતાના વડે પ્રકાશ કરવા યોગ્ય ક્ષેત્ર સંબંધવાળુ હોય તે અભ્યન્તરાવધિ, ૫ એથી વિપરીત તે બાહ્યાવધિ. અભ્યન્તરાવધિ બે પ્રકારે છે. જેમકે–અન્તગત અને મધ્યગત. હવે અન્તગતનો શબ્દાર્થ શો છે? ઉત્તર–આ સંબન્ધ પૂર્વાચાર્યોએ ત્રણ અર્થ બતાવેલા છે–આત્મપ્રદેશોને અન્ને રહેલું અવધિ તે અન્તગત અવધિ. તાત્પર્ય એ છે કે—અહીં ઉત્પન્ન થતું કોઇ પણ અવધિજ્ઞાન સ્પર્ધકરૂપે ઉત્પન્ન થાય છે. સ્પર્ધક એટલે ગવાક્ષના જાળીઆ વગેરે દ્વારા બહાર નીકળેલા દીવાના પ્રકાશની પેઠે અવધિજ્ઞાનના પ્રકાશનો ભાગ વિશેષ. તે સંબન્ધે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ સ્વોપજ્ઞ ભાષ્યની ટીકામાં કહે છે—“દ્ધમિિવચ્છેવિશેષ” ઇતિ-સ્પÁક અવધિજ્ઞાનનો ભાગ વિશેષ છે. તે સ્પર્શ્વકો એક જીવને અસંખ્યાતા કે સંખ્યાતા હોય છે. કારણ કે મૂલાવશ્યકની પ્રથમ પીઠિકામાં કહ્યું છે—“ઠ્ઠા ય અસંવેન્ગા સંધિન્ના યા વિ ળ નીવKા"-સ્પર્ધકો અસંખ્યાતા કે સંખ્યાતા એક જીવને હોય છે, અને તે વિચિત્ર સ્વરૂપવાળા હોય છે. તેમાંના કોઇ પર્યન્તવર્તી આત્મપ્રદેશોમાં ઉત્પન્ન થાય છે. તેમાં પણ કેટલાક આગળના ભાગમાં,કેટલાક પૃષ્ઠ ભાગમાં, કેટલાક અધો ભાગે, કેટલાક ઉપરના ભાગમાં અને કેટલાક મધ્યવર્તી આત્મપ્રદેશમાં હોય છે. એ પ્રમાણે જે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે આત્માના અંત ભાગમાં રહેલું હોવાથી ‘અન્તગત’ કહેવાય છે. કારણ કે અન્તમાં રહેલા તે આત્મપ્રદેશો વડે સાક્ષાત્ અવબોધ થાય છે. અથવા ઔદારિક શરીરના અન્તે રહેલુ અવધિજ્ઞાન ‘અન્તગત’ અવધિ કહેવાય છે. કારણ કે ઔદારિક શરીરની અપેક્ષાએ એક દિશામાં રહેલા દ્રવ્યોનો બોધ થાય છે, આ પણ સ્પÁકરૂપ અવધિજ્ઞાન છે, અથવા બધાય આત્મપ્રદેશોનો ક્ષયોપશમ હોવા છતા પણ ઔદારિક શરીરના અન્તે કોઇ પણ એક દિશામાં જેથી બોધ થાય તે પણ અન્તગત કહેવાય છે. (પ્ર0)—જો બધાય આત્મપ્રદેશોનો ક્ષયોપશમ હોય તો ચારે તરફ કેમ જોતો નથી? (60)—એક દિશામાંજ ક્ષયોપશમનો સંભવ છે. દેશાદિની અપેક્ષાએ કર્મનો ક્ષયોપશમ વિચિત્ર હોય છે તેથી બધાય આત્મપ્રદેશોનો સ્વ સામગ્રીની વશથી આવા પ્રકારનોજ ક્ષયોપશમ થાય છે, જેથી ઔદારિક શરીરની અપેક્ષાએ એક વિવક્ષિત દિશામાં દેખે છે. એ સંબન્ધ નંદિ સૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે “ઓશનિયસરીરતે યિ તિ પાક, તે વા અપક્ષ ઝુદ્દિષ્ણસિોવનુંમાઓ अंतगयमोहिणाणं भन्नई, अहवा सव्वपएसु सुद्धेसु वि ओरालियसरीरंगतेण एगदिसि पासण्णागयं ति अंतगयं ति भण्णइ " ઇતિ.—“ઔદારિક શરીરના અંતે સ્થિત–ગત એ એકાર્થવાચી છે, એટલે રહેલું, તે આત્મપ્રદેશના સ્પÁક વડે મર્યાદિત એક દિશાને જાણે છે તેથી તે ‘અન્તગત' કહેવાય છે, અથવા સર્વ આત્મપ્રદેશો વિશુદ્ધ છતાં ઔદારિકશરીરના અન્તે એક દિશાને જોવામાં • રહેલું છે માટે અન્તગત કહેવાય છે. આ બીજો પક્ષ છે. ત્રીજો આ પક્ષ છે—એક દિશામાં રહેલા તે અવધિજ્ઞાન વડે જે ક્ષેત્ર પ્રકાશિત થયેલું છે તે ક્ષેત્રના અન્તે અવધિ વર્તે છે, કારણ કે તે ક્ષેત્રના અન્તે અવધિજ્ઞાની રહેલો છે, તેથી અન્ને એટલે એક દિશામાં રહેલા 304
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy