________________
एगतीसइमं सण्णीपयं जीवाईसु सण्णिआइभेय परूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २ સ્વભાવનો વિચાર કરતા નથી. પરન્તુ તેઓને બધા જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો ક્ષય થયેલો હોવાથી પર્યાલોચન સિવાયજ કેવલ જ્ઞાન અને કેવલ દર્શન વડે સાક્ષાત્ સર્વ વસ્તુને જાણે છે અને દેખે છે. તેથી તે સંજ્ઞી નથી, તેમ અસંજ્ઞી પણ નથી. પણ સર્વ ાજ્ઞાવલ્ઝેવેનસર્વકાળ વર્તી સર્વ દ્રવ્ય અને પર્યાયના સમૂહને પ્રત્યક્ષ ક૨વામાં સમર્થ જ્ઞાન વડે સહિત છે. સિદ્ધ પણ સંજ્ઞી નથી, કારણ કે તેને દ્રવ્ય મનનો પણ અભાવ છે, તેમ અસંશી પણ નથી, કારણ કે તે સર્વજ્ઞ છે. તેથી એ પ્રમાણે સામાન્યપણે જીવપદમાં સંશી, અસંજ્ઞી અને નોસંશી-નોઅસંજ્ઞી હોય છે. ભગવાન્ તેજ પ્રકારે સમાધાન કરે છે—‘હે ગૌતમ’ ઇત્યાદિ. જીવો સંશી પણ હોય છે, કારણ કે નૈરયિકાદિ સંશી હોય છે, જીવો અસંજ્ઞી પણ છે, કારણ કે પૃથિવ્યાદિ અસંજ્ઞી હોય છે. અને નોસંશી-નોઅસંશી પણ હોય છે. કારણ કે સિદ્ધ અને કેવલી નોસંશી–નોઅસંશી હોય છે.
હવે એઓનો ચોવીશ દંડકોના ક્રમથી વિચાર કરે છે—‘નેરડ્યા ં' ઇત્યાદિ. નૈરયિકો સંબન્ધે પૃચ્છા. અહીં જે નૈરયિકો સંશીથી આવી ઉત્પન્ન થાય છે તે સંશી કહેવાય છે અને બીજા અસંશી કહેવાય છે. નૈરયિકોને ચારિત્ર નહિ હોવાથી કેવલીપણું હોતુ નથી, તેથી કહ્યું છે કે–નૈરયિકો સંશી પણ હોય છે, અસંશી પણ હોય છે, પણ નોસંશી–નોઅસંશી હોતા નથી, એ પ્રમાણે અસુરકુમારથી આરંભી સ્તનિતકુમાર સુધીના ભવનપતિ દેવો કહેવા. કારણ કે તેઓ અસંશીથી પણ આવી ઉત્પન્ન થાય છે, અને તેઓને કેવલીપણાનો અભાવ છે. ‘મનૂત્તા નહા નીવા' મનુષ્યો જેમ પૂર્વે જીવો કહ્યા તેમ કહેવા. એટલે તેઓ સંશી પણ, અસંશી પણ અને નોસંશી–નોઅસંશી પણ કહેવા. તેમાં જેઓ ગર્ભજ છે તેઓ સંશી છે. સંમૂર્ચ્છમો અસંશી છે અને કેવલી નોસંશીનોઅસંશી છે. ‘પેંન્વિયિતિરિવષ્ણુનોળિયવાળમંતરા ના નેફ્યા'પંચેન્દ્રિયતિર્યંચો અને વ્યન્તરો જેમ નૈરયિકો કહ્યા તેમ કહેવા. અર્થાત્ તેઓ સંશી પણ હોય છે અને અસંશી પણ હોય છે પણ નોસંશી–નોઅસંજ્ઞી હોતા નથી. તેમાં સંમૂર્ચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચો અસંજ્ઞી છે. ગર્ભજ સંજ્ઞી છે. વ્યન્તરો અસંશીથી ઉત્પન્ન થયેલા અસંશી અને સંન્નીથી ઉત્પન્ન થયેલા સંજ્ઞી જાણવા. બન્ને પણ ચારિત્રના અભાવથી નોસંશી-નોઅસંજ્ઞી નથી. જ્યોતિષિક અને વૈમાનિકો સંજ્ઞીજ હોય છે. પણ અસંશી હોતા નથી, કારણ કે તે અસંશીથી આવી ઉત્પન્ન થતા નથી. તેમ તેઓને ચારિત્ર નહિ હોવાથી નોસંશી–નોઅસંૌ નથી. સિદ્ધો પૂર્વે કહેલી યુક્તિથી સંશી નથી, અસંજ્ઞી નથી, ૫૨ન્તુ નોસંશી-નોઅસંશી છે. આ સંબન્ધે સુખપૂર્વક બોધ થવા માટે સંગ્રહણી ગાથા કહે છે—‘નેરથ’ ઇત્યાદિ. નૈરયિકો, તિર્યંચ પંચેન્દ્રિયો, મનુષ્યો, વનચરો-વ્યન્તરો અને અસુરાદિ–સમસ્ત ભવનપતિઓ પ્રત્યેક સંશી અને અસંશી કહેવા. અને એઓનો હમણાંજ વિચાર કર્યો છે. વિકલેન્દ્રિયો–એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય અસંજ્ઞી હોય છે અને જ્યોતિષિકો અને વૈમાનિકો સંશી હોય છે. ૧૬૬૭।।
શ્રીમચાર્યમલયગિરિવિરચિત પ્રજ્ઞાપના સૂત્રની ટીકાના અનુવાદમાં એકત્રીશમું સંજ્ઞી પદ સમાપ્ત.
અરિહંત ભગવાન એમ માનતા હોય છે કે ઘણાં ભવોના કર્મરાયના ઋણ ભારથી હું દબાયેલો છું. હું તો ધીમે ધીમે એ ઋણને ચુકવતો હતો પણ આ ઉપકારીએ આવીને અતિશીઘ્રતાથી મને કર્મઋણથી મુક્તિ અપાવવામાં સહાય કરી છે. તો પછી એને મારી શક્તિનો પરચો બતાવાય જ કેમ?
અરિહંત ભગવંત પોતે પોતાના ચાર નહીં અનેક રૂપો બનાવવા શક્તિમાન હોય છે. પણ દેવોને ભક્તિનો લાભ મળે અને એમને કર્મનિર્જરાની સાથે શુભ પુણ્ય બંધ થાય એ માટે એ કાર્ય દેવતાઓને કરવા દે છે.
· જયાનંદ
301