SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ तीसइमं पासणयापयं जीवाईसु पासणयाभेय-पभेय परूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ પ્રકારની છે?હે ગૌતમ! તેઓને એક શ્રુતજ્ઞાનસાકારપાસણયા હોય છે. એમ વનસ્પતિકાયિકો સુધી જાણવું. હે ભગવન! બેઇન્દ્રિયોને કેટલા પ્રકારની પાસણયા હોય છે? હે ગૌતમ! એક સાકાર પાસણયા હોય છે. એ પ્રમાણે તે ઈન્દ્રિયોને પણ જાણવું. ચઉરિન્દ્રિયો સંબન્ધ પૃચ્છા. હે ગૌતમ! તેઓને પાસણયા-પશ્યત્તા બે પ્રકારની કહી છે. તે આ પ્રમાણે–સાકાર પાસણયા અને અનાકાર પાસણયા. સાકાર પાસણયા બેઈન્દ્રિયોને કહી છે તેમ કહેવી. હે ભગવન્! ચઉરિન્દ્રિયોને અનાકાર પાસણયા કેટલા પ્રકારની છે? હે ગૌતમ! એક ચક્ષુદર્શનરૂપ અનાકાર પાસાયા હોય છે. મનુષ્યોને જીવોની પેઠે કહેવું. બાકીના જીવોને નૈરયિકોની જેમ વૈમાનિક સુધી કહેવું. ////૬૬૪ll (ટી) એ પ્રમાણે ઓગણત્રીશમું પદ કહ્યું. હવે ત્રીશમા પદનો પ્રારંભ થાય છે. એનો સંબન્ધ આ પ્રમાણે છે-પૂર્વના પદમાં જ્ઞાનના પરિમાણ વિશેષરૂપ ઉપયોગ કહ્યો, અહીં પણ જ્ઞાનના પરિણામવિશેષરૂપ ઉપયોગને વિષે પશ્યત્તાનો વિચાર કરાય છે. કારણ કે વૈકાલિક અથવા સ્પષ્ટ ઉપયોગને પશ્યત્તા કહે છે. તેમાં આ પ્રથમ સૂત્ર છે—હે ભગવન્! કેટલા પ્રકારે ‘પાસણયા'પશ્યત્તા કહેલી છે? અહીં ‘દ' ધાતુ જોવાના અર્થમાં છે. ‘પશ્યતિ'–અહીં વર્તમાન અર્થમાં કર્તરિ અતૃચ પ્રત્યય થાય છે અને અનન્ આદેશ થાય છે. દસ્ ધાતુનો પશ્ય’ આદેશ થાય છે. તો ભાવ: પથTI. અહીં ભાવ અર્થમાં તલુ પ્રત્યય થયો છે. ત્યાર પછી અકારાન્ત શબ્દથી આપૂ પ્રત્યય થવાથી ‘પાસણયા' શબ્દ કહેવાય છે. આ પાસણયા શબ્દ ઉપયોગની પેઠે સાકાર અને અનાકાર બોધનો પ્રતિપાદક છે. તથા ઉપયોગ વિષે પ્રશ્ન અને ઉત્તર આ પ્રમાણે છ– “હે ભગવન્! ઉપયોગ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ!બે પ્રકારનો ઉપયોગ કહ્યો છે, તે આ પ્રમાણે–સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ. તેમ પશ્યત્તા વિષે પ્રશ્ન અને ઉત્તરસૂત્ર આ પ્રમાણે– હે ભગવન્! કેટલા પ્રકારની પાસણયા કહી છે? હે ગૌતમ! બે પ્રકારની કહી છે. તે આ પ્રમાણે–સાકાર પશ્યત્તા અને અનાકાર પત્તા. (પ્ર) સાકાર અને અનાકાર ભેદ સમાન છતાં ઉપયોગ અને પાસણયામાં કઈ વિશેષતા છે કે જેથી ઉપયોગથી પાસણયા-પશ્યત્તા જુદી કહો છો? (૧૦) સાકાર અને અનાકાર ભેદના પેટાભેદની સંખ્યારૂપ વિશેષતા છે. જેમકે-પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એ આઠ પ્રકારનો સાકાર ઉપયોગ છે. અને સાકાર પશ્યત્તા છ પ્રકારની છે, કારણ કે મતિજ્ઞાન અને પ્રતિઅજ્ઞાનને પશ્યત્તા માનતા નથી. શા હેતુથી? ઉત્તર-અહીં પશ્યત્તા એટલે પશ્યતભાવઃ-જોનારનો ભાવ-પેક્ષણ જાણવું, જેમકે દ ધાતુ પ્રેક્ષણ-જોવાના અર્થમાં છે. અહીં સાકાર પશ્યત્તાનો વિચાર કરતાં પ્રકૃષ્ટ–અધિક દીર્ધ કાળ પર્યન્ત ઈક્ષણ અને અનાકાર પશ્યત્તાનો વિચાર કરતાં પ્રકૃષ્ટસ્પષ્ટરૂપ ઈક્ષણ તે અહીં રુઢિથી પ્રેક્ષણ જાણવું. તેથી જે જ્ઞાન વડે ત્રણ કાળનો બોધ થાય તેજ જ્ઞાન દીર્ધકાળનો વિષય હોવાથી સાકાર પશ્યત્તા શબ્દથી કહેવાય છે, અન્ય જ્ઞાન કહેવાતું નથી. મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન ઉત્પન્ન અને વિનાશને નહિ પ્રાપ્ત થયેલા અર્થનું ગ્રહણ કરનાર વર્તમાનકાલ વિષયક છે. આ સંબન્ધ મતિજ્ઞાનને આશ્રયી અન્ય સ્થળે કહ્યું છે કે નમવહારિવું VqનવઘુIIT નો વિયોનિમાં તમfપનિવધિ તિા' જે લોકમાં અવગ્રહાદિરૂપ, વર્તમાન વસ્તુને ગ્રહણ કરનાર ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જ્ઞાન થાય છે તેને આભિનિબોધિકજ્ઞાન કહે છે. તેથી તે બન્ને જ્ઞાન સાકારપશ્યત્તા શબ્દ વાચ્ય નથી. શ્રુતજ્ઞાનાદિ ત્રિકાલવિષયક છે. જેમકે શ્રુતજ્ઞાન વડે અતીત અને અનાગત ભાવો પણ જાણી શકાય છે. કહ્યું છે કે “ પુણ તિવાસ્તવિસર્ચ ના માંથાનુસાર વિના ફંડિયમ નિમિત્તે સુચના તં નીળા વેંતિi"ત્રિકાલવિષયક, આગમ ગ્રન્થને અનુસારે ઇન્દ્રિય અને મનનિમિત્તે જે વિજ્ઞાન થાય છે તેને જિનો શ્રુતજ્ઞાન કહે છે. અવધિજ્ઞાન પણ અતીત અને અનાગત અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ કાળ જાણે છે. મન:પર્યવજ્ઞાન પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અતીત અને ભવિષ્યકાળ જાણે છે અને કેવળજ્ઞાન સર્વકાળ વિષયક સુપ્રસિદ્ધ છે. શ્રુતઅજ્ઞાન અને વિભજ્ઞાન પણ ત્રિકાલવિષયક છે. કારણ કે તે વડે પણ અતીત અને અનાગત ભાવનું જ્ઞાન થાય છે. તેથી તે જ્ઞાનો સાકારપશ્યત્તા શબ્દ વડે કહેવાય છે. જેમાં પૂર્વોક્ત સ્વરૂપવાળા આકારની ફુરણા થાય તે બોધ વર્તમાનકાળ વિષયક હોય કે ત્રિકાલવિષયક હોય ત્યાં બધે ઉપયોગ શબ્દ પ્રવર્તે છે, - 295
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy