SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ अट्ठावीसइमं आहारपयं बीओ उद्देसो णाणदारे आहारयाइपरूवणं જાણવા, કારણ કે દેવો સ્વભાવથીજ ઘણા લોભવાળા હોય છે પણ બહુ ક્રોધાદિવાળા હોતા નથી. તેથી ક્રોધકષાયી એકાદિ પણ હોય છે, માટે છ ભાંગા થાય છે, જેમકે-૧કદાચિત્ ક્રોધકષાયી બધાય આહારકો હોય, કારણ કે એક પણ ક્રોધકષાયી વિગ્રહગતિને પ્રાપ્ત થયેલો ન હોય, ૨ કદાચિત્ બધાય અનાહારકો હોય. કારણ કે એક પણ ક્રોધકષાયી છતાં આહારકન હોય. અહીં ક્રોધનો ઉદય માનાદિના ઉદયથી જુદો જ વિવક્ષિત છે, પણ માનાદિના ઉદયસહિત વિવક્ષિત નથી. તેથી કદાચિત્ ક્રોધકષાયી છતાં આહારકનો સર્વથા પણ અભાવ હોય, ૩ તથા કદાચિત્ એક આહારક હોય અને એક અનાહારક હોય. ૪ કદાચિત્ એક આહારક હોય અને ઘણા અનાહારક હોય. ૫ કદાચિત્ ઘણા આહારકો હોય અને એક અનાહારક હોય. ૬ કદાચિત્ ઘણા આહારક હોય અને ઘણા અનાહારક હોય. માનકષાય સૂત્ર અને માયાકષાય સૂત્ર એક વચનમાં પૂર્વની પેઠે જાણવું. બહુવચનમાં વિશેષતા કહે છ– માણસાલું' ઇત્યાદિ માનકષાયી અને માયાકષાયીનો બહુવચન વડે વિચાર કરતા દેવો અને નૈરયિકોમાં પ્રત્યેકને આશ્રયી છે ભાંગા જાણવા, નરયિકો ભવસ્વભાવથી બહુક્રોધવાળા અને દેવો બહુલોભવાળા હોય છે. તેથી દેવો અને નારકોને માનકષાય અને માયાકષાય સ્વલ્પ હોય છે. તેથી પૂર્વે કહ્યા પ્રમાણે છ ભાંગા થાય છે. જીવપદમાં અને પૃથિવ્યાદિ પદોમાં પ્રત્યેકને આશ્રયી અન્ય ભાંગા થતા નથી. કારણ કે આહારક અને અનાહારક માનકષાયી અને માયાકષાયી પ્રત્યેક હમેશાં તે તે સ્થાનકોમાં ઘણા હોય છે. બાકીના સ્થાનોમાં ત્રણ ભાંગા જાણવા, લોભકષાયસૂત્ર પણ એકવચનમાં તેમજ સમજવું. બહુવચનમાં વિશેષતા જણાવે છે તો સારું' ઇત્યાદિ. લોભકષાયવાળા નૈરયિકોમાં છ ભાંગા જાણવા, કારણ કે તેઓમાં લોભકષાય અલ્પ છે. બાકીના જીવ અને એકેન્દ્રિય સિવાયના સ્થાનોમાં પણ ત્રણ ભાંગા જાણવા. દેવોમાં પણ ત્રણ ભાંગા સમજવા. કારણ કે તેમાં લોભની અધિકતા હોવાથી ભાંગાઓનો સંભવ નથી. જીવ અને એકેન્દ્રિયોમાં પૂર્વની પેઠે એકજ ભાંગો જાણવો. “આહારકો પણ હોય અને અનાહારકો પણ હોય. નાની-નોસળીનો સળી' અકષાયી જેમ નોસંજ્ઞી-નોઅસંશી કહ્યા તેમ કહેવા તાત્પર્ય એ છે કે અકષાયી મનુષ્યો અને સિદ્ધી હોય છે. અકષાયી મનુષ્યો ઉપશાન્તકષાયાદિ જાણવા, કારણ કે તેથી બીજા સકષાયી હોય છે. તેથી એઓના પણ ત્રણ પદો હોય છે. જેમકે સામાન્યથી જીવપદ, મનુષ્યપદ અને સિદ્ધપદ. તેમાં સામાન્ય જીવપદમાં અને મનુષ્યપદમાં પ્રત્યેકને આશ્રયી એકવચનની અપેક્ષાએ “કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય” એમ કહેવું. સિદ્ધપદમાં તો અનાહારક હોય છે. બહુવચનની અપેક્ષાએ જીવપદમાં આહારકો પણ હોય અને અનાહારકો પણ હોય, કારણ કે કેવલજ્ઞાની આહારકો અને સિદ્ધો અનાહારકો હમેશાં ઘણા હોય છે. મનુષ્યપદમાં ત્રણ ભાંગા જાણવા.-૧ બધાય આહારકો હોય. ૨ અથવા બધા આહારકો હોય અને એક અનાહારક હોય. ૩ અથવા આહારકો અને અનાહારકો હોય. કષાયદ્વાર સમાપ્ત. l/૧૬૬૫૭ || બાળવારે ભાદરવરૂqui ||૮ णाणी जहा सम्मद्दिट्टी। आभिणिबोहियणाणी सुयणाणीसु य बेइंदिय-तेइंदिय-चउरिदिएसु छब्भंगा, अवसेसेसु जीवादीओ तियभंगोजेसिं अत्थि। ओहिणाणी पंचिंदियतिरिक्खजोणिया आहारगा, णो अणाहारगा, अवसेसेसु जीवादीओ तियभंगो जेसिं अस्थि ओहिनाणं, मणपज्जवनाणी जीवा मणूसा य एगत्तेण वि पुहत्तेण वि आहारगा, णो अणाहारगा। केवलनाणी जहा णोसण्णी-णोअसण्णी दारं। ७।। अण्णाणी मइअण्णाणी सुयअण्णाणी जीवेगिदियवज्जो तियभंगो। विभंगनाणी पंचिंदियतिरिक्खजोणिया मणूसा य आहारगा, णो अणाहारगा, अवसेसेसु जीवादीयो तियभंगो। दारं ८||सू०-१७।।६५८।। (મૂળ) જ્ઞાની સમ્યગ્દષ્ટિની જેમ જાણવો. આભિનિબોધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાની બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયને વિષે છ ભાંગા સમજવા. બાકીનો જીવો વીશે જેઓને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન છે તેઓને જીવાદિ સંબન્ધ ત્રણ ભાંગા સમજવા. અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચયોનિકો આહારકો હોય છે પણ અનાહારક હોતાં નથી. બાકીના જીવોમાં જેઓને 282
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy