SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ अट्ठावीसइमं आहारपयं चउवीसदंडएसु मणभक्खीदारं श्री प्रज्ञापना सूत्र भाग २ (મૂ૦) હે ભગવન્! નરયિકો ઓજઆહારવાળા અને મનોભક્ષી હોય છે? હે ગૌતમ! ઓજઆહારવાળા હોય છે પણ મનોભક્ષી હોતા નથી. એમ બધા ઔદારિક શરીરવાળા પણ જાણવા. વૈમાનિક સુધીના બધા દેવો ઓજઆહારવાળા અને મનોભક્ષી હોય છે. તેમાં જે મનોભક્ષી દેવો છે તેઓને ‘અમે મન વડે ભક્ષણ કરવાને ઇચ્છીએ છીએ'. એવું ઈચ્છાપ્રધાન મન થાય છે. તે દેવો જ્યારે એવો વિચાર કરે છે ત્યારે તરત જ પગલો ઈષ્ટ, કાન્ત યાવતું મનને અનુકૂલ છે તે તેઓને મનોભક્ષણ રૂપે પરિણમે છે. જેમ શીત યુગલો શીતયોનિ વાળા જીવને આશ્રયી શીત રૂપ પરિણમીને રહે છે, ઉષ્ણ પગલો ઉષ્ણયોનિવાળા જીવને આશ્રયી ઉષ્ણરૂપે થઈને રહે છે, એમ તે દેવો મનોભક્ષણ કરે છે ત્યારે તેઓનું આહારનું ઈચ્છાપ્રધાન મન નિવૃત્ત–શાંત થાય છે. 7/૧૦૬૫૧//. પ્રજ્ઞાપનામાં આહારપદનો પ્રથમ ઉદેશક સમાય. (ટી) હવે મનોભક્ષણ૩૫ છેલ્લા અર્થાધિકારને કહેવાની ઇચ્છાવાળા સત્રકાર કહે છે તેવા જ બી લિંક મોયાદા મળમવલી'? હે ભગવન્! નરયિકો ઓજાહારવાળા અને મનોભક્ષી હોય છે? ઇત્યાદિ. ઓજસ્-ઉત્પત્તિ સ્થાને આહારયોગ્ય પુદ્ગલનો સમૂહ, જેનો ઓજસુરૂપ આહાર છે તે ઓજાહારવાળા કહેવાય છે. મન વડે ભક્ષણ કરવાના સ્વભાવવાળા મનોભક્ષી કહેવાય છે. તેમાં નૈરયિકો ઓજાહારવાળા હોય છે. કારણ કે તેઓને અપર્યાપ્તાવસ્થામાં ઓજાહારનો સંભવ છે. તેઓ મનોભક્ષી નથી. મનોભક્ષણ રૂપ આહાર તે કહેવાય કે જે તેવા પ્રકારની શક્તિથી મન વડે પોતાના શરીરની પુષ્ટિ કરનારાં પુદ્ગલોનો આહાર કરાય અને જેનો આહાર કર્યા પછી તૃપ્તિપૂર્વક પરમ સંતોષ પ્રાપ્ત થાય. તે મનોભક્ષણરૂપ આહાર નૈરયિકોને નથી, કારણ પ્રતિકળ (અસાતા વેદનીય) કર્મ વડે તેવા પ્રકારનાં મન વડે ઇષ્ટ આહાર ગ્રહણ કરવારૂપ શક્તિનો અભાવ છે. “પર્વ સળે મોરાનિયરી વિ' એ પ્રમાણે-નૈરયિકોને કહ્યા પ્રમાણે પૃથિવીકાયિકથી માંડી મનુષ્ય સુધીના બધા ઔદારિક શરીરવાળા જાણવા.તે આ પ્રમાણ—“પુદ્ધવિરૂયા નું બં!f ગોયાણી મળમવરવી? યમ ગોયાહાર, નો મામલ્લી'–હે ભગવન્! બધા પૃથિવીકાયિકો ઓજ આહારવાળા અને મનોભક્ષી હોય છે? હે ગૌતમ! ઓજ આહારવાળા હોય છે, પણ મનોભક્ષી હોતા નથી-ઇત્યાદિ. તેવા સવ્વવિ' ઇત્યાદિ. અસુરકુમારથી આરંભી વૈમાનિક સુધીના બધા દેવો ઓજાહારવાળા અને મનોભક્ષી હોય છે. તે આ પ્રમાણે- હે ભગવન્! અસુરકુમારો શું ઓજાહારવાળા અને મનોભક્ષી હોય છે? હે ગૌતમ!ઓજાહારવાળા અને મનોભક્ષી હોય છે. યાવત વૈમાનિકો પણ ઓજાહારવાળા અને મનોભક્ષી હોય છે. હવે દેવો મનોભક્ષી જે પ્રકારે છે તે પ્રકારે બતાવે છે- “તત્વ ' ઇત્યાદિ. તે સંસારી જીવોમાં જે મનોભક્ષી દેવો છે તેઓનું મન આહારનો પ્રસ્તાવ હોવાથી આહાર વિષે આવા પ્રકારે થાય છે કે “અમે મન વડે ખાવાને ઇચ્છીએ છીએ આવું મન થાય છે એટલે તેવા પ્રકારના શુભ કર્મના ઉદયથી ક્ષિપ્રમેવ' તત્કાળજ જે ઇષ્ટ, કાન્ત, પ્રિય, મનોજ્ઞ અને મણા-મનને અનુકૂલ પુદ્ગલો છે તે દેવોને મનોભક્ષરૂપે પરિણમે છે. કેવી રીતે પરિણમે છે? એ સંબંધે દૃષ્ટાંત કહે છે-“સે' શબ્દ અથશબ્દના અર્થમાં છે; અને તે અથશબ્દ વાક્યના પ્રારંભમાં વપરાય છે, જેમ કે નામ' વિવણિત શીત પુદ્ગલો' શીત'–શીતયોનિ વાળા પ્રાણીને પ્રાપ્ય આશ્રયી શીતપણું અતિવ્રન્ય' અતિશયપણે પામીને રહે છે, તાત્પર્ય એ છે કે વિશેષતઃ શીત થઈને શીતયોનિ વાળા પ્રાણીના સુખને માટે થાય છે, તથા ઉષ્ણ પુદ્ગલો ‘૩M'ઉષ્ણયોનિવાળા પ્રાણીને આશ્રયી ઉષ્ણપણું અતિશયપણે પામીને રહે છે. એટલે વિશેષતઃ સ્વરૂપની પ્રાપ્તિથી તેના સુખને માટે થાય છે એ ભાવાર્થ છે. પવમેવ' એ પ્રમાણે તે દેવોએ પૂર્વે કહેલી રીતિ વડે મનોભક્ષણ કર્યું એટલે તે દેવોનું રૂછી મનઃ'-ઇચ્છા પ્રધાન જેમાં છે એવું મન fક્ષપ્રમેવાતિ' તુરત તૃપ્તિ થવાથી નિવૃત્ત થાય છે, શાંત થાય છે. ભાવાર્થ આ પ્રમાણે છે-જેમ શીત પુદ્ગલો શીતયોનિ વાળા પ્રાણીને સુખરૂપ થાય છે અને ઉષ્ણપુગલો ઉષ્ણયોનિવાળા પ્રાણીને સુખરૂપ થાય છે તેમ દેવોએ પણ મન વડે આહાર કરાતા પુગલો તેઓની તૃપ્તિ માટે અને તેઓના પરમ સંતોષને માટે થાય છે. અને તેથી આહારના અભિલાષની નિવૃત્તિ થાય છે. અહીં ઓજાહારાદિના વિભાગને જણાવનારી સૂત્રકૃતાંગ નિયુક્તિની આ ગાથાઓ છે- ' . “સરીખોયાદારો તથા શાસેળ તોમગાહીરો પવષેવહારો પુખ વહ્નિો હોડ નાયબ્બો શા . – 271
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy