SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ अट्ठावीसइमं आहारपयं भवणवासीसु २-८ आहारद्विआइदारसत्तगं એમ ગ્રહણ કરવું તથા સ્પર્શેન્દ્રિયરૂપે પરિણમે છે. ઇન્દ્રિયરૂપે પણ પરિણામ પામતાં તે પુદ્ગલો શુભરૂપ નથી પણ એકાન્ત અશુભરૂપ છે. જે હેતુથી કહે છે-“ખટ્ટા' અનિષ્ટપણે ઇત્યાદિ. ઈષ્ટ-મનવડે ઇચ્છેલાં, જેમકે આ સારું થયું જે આવી રીતે આ પુદ્ગલો પરિણત થયા, તેથી વિપરિત અનિષ્ટપણે પરિણમે છે, અહીં કોઈ વસ્તુ પરમાર્થથી શુભ છતાં કેટલાકને અનિષ્ઠલાગે છે, જેમ કે માખીઓને ચંદન કપૂર વગેરે, તેથી સૂત્રકાર કહે છે– જંતરા'એકાન્તપણે, અત્યંત અશુભવર્ણયુક્ત હોવાથી નહિ ઇચ્છવા લાયકપણે, એ હેતુથી જ 'પ્રિયતયા' અપ્રિયપણે-જોવા માત્રથી પણ પોતાને વિષે પ્રિય બુદ્ધિ નહિ ઉત્પન્ન કરનારા એવા અપ્રિયપણે, ‘સુનત્તા' અશુભવર્ણ, ગબ્ધ, રસ, અને સ્પર્શરૂપ હોવાથી અશુભપણે, વિપાકકાળે દુઃખ ઉત્પન્ન કરનારા હોવાથી મનને આનન્દ નહિ આપનારા હોવાથી અમનોજ્ઞપળે, સમાનત્તા' અમનોહરપણે, ભોજ્યપણે મનને પસંદ ન પડે તેવાપણે, કારણ કે કદિ પણ ભોજ્યપણે પ્રાણીઓના મનને પ્રાપ્ત થતા નથી, ‘અનિચ્છિત્તા' અનીપ્સિતપણે, કારણ કે ભોજ્યપણે ખાવાને ઇચ્છેલા નથી, ‘મ(ન)fમન્સિસ્તા' અભિધ્યા-અભિલાષા, જેને વિષે અભિલાષા થાય તે અભિયિતઅભીષ્ટ કહેવાય, તેથી ભિન્ન અનભીષ્ટપણે, તાત્પર્ય એ છે કજે આહારપણે પુદ્ગલો ગ્રહણ કર્યા છે તે તૃપ્તિનું કારણ થતા નથી તેથી ફરી અભિલાષાના વિષયપણે પરિણમતા નથી. તથા ‘મહત્તા' અધોપણે–ભારેપણે, પણ ‘ઉર્ધ્વપણે લઘુપરિણામરૂપે નહિ, તેનો ભારે પરિણામ હોવાથી કુદત્તાણ' દુ:ખરૂપે, પણ લઘુપરિણામવડે નહિ પરિણમેલા હોવાથી સુખરૂપે નહિ, એ પ્રમાણે નરયિકોને તે પદગલો વારંવાર પરિણમે છે. એ જ આહારાર્થી વગરે સાત વારોનો અસરકમારાદિ ભવનપતિમાં વિચાર કરવા ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે નહીં નેરફયા '' જેમ નૈરયિકોને કહ્યું તેમ અસુરકુમારોને સિં મુન્નો મુન્નો પરાતિ' તેઓને વારંવાર પરિણમે છે એ પદ સુધી વાવ કહેવું. તેમાં નારક સૂત્રથી આ અસુરકુમાર સૂત્રની વિશેષતા બતાવે છે–‘તથ ને સે–તેમાં જે આભોગનિવર્તિત આહાર છે' ઇત્યાદિ. એ પ્રમાણે પ્રતિપાદન કરેલા સૂત્રની મન્દબુદ્ધિવાળા શિષ્યને બરાબર પ્રતીતિ ન થાય માટે તેના ઉપર ઉપકાર કરવા માટે સૂત્ર દર્શાવે છે–ાજા૬િ૪પી || भवणवासीसु २-८ आहारटिआइदारसत्तगं ।। असुरकुमारा णं भंते! आहारट्ठी? हता! आहारट्ठी। एवं जहा णेरइयाणं तहा असुरकुमाराण वि भाणियव्वं,जाव ते तेसिं भुज्जो भुज्जो परिणमंति। तत्थ णं जे से आभोगणिव्वत्तिए से णं जहण्णेणं चउत्थभत्तस्स, उक्कोसेणं सातिरेगस्त वाससहस्सस्स आहारट्टे समुप्पज्जति। ओसण्णकारणं पडुच्च वण्णओ हालिहसुक्किल्लाई, गंधओ सुब्भिगंधाई, रसओ अंबिलमहुराई फासओ मउय-लहुय-णिद्धण्हाई, तेसिं पोराणे वण्णगुणे जाव फासिंदियत्ताए जाव मणामत्ताए इच्छियत्ताए अभिज्झियत्ताए उड्डत्ताए णो अहत्ताए, सुहत्ताए णो दुहत्ताए, तेर्सि भुज्जो भुज्जो परिणमंति, सेसं जहा णेरइयाणं, एवं जाव थणियकुमाराणं, णवरं आभोगणिव्वत्तिए उक्कोसेणं दिवसपुहत्तस्स आहारट्टे समुप्पज्जति । सू०-५।।६४६।। (મૂળ) હે ભગવન્! અસુરકુમારો આહારની ઇચ્છાવાળા હોય? હા ગૌતમ! આહારની ઈચ્છાવાળા હોય. એ પ્રમાણે નરયિકોને કહ્યું તેમ અસુરકુમારોને પણ કહેવું. યાવત્ તેઓને વારંવાર પરિણમે છે. તેમાં જે આભોગનિવર્તિત-ઈચ્છાપૂર્વક આહાર છે તે સંબંધે તેઓને જઘન્યથી ચતુર્થ ભક્ત-એક દિવસે અને ઉત્કૃષ્ટ કંઈક અધિક એક હજાર વરસે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. સામાન્ય કારણને આશ્રયી વર્ણથી હારિક-પીળા અને શુક્લ, ગંધથી સુગંધી, રસથી ખાટા અને મધુર રસવાળા અને સ્પર્શથી મૃદુ, લઘુ, સ્નિગ્ધ અને ઉષ્ણ પુદ્ગલો તથા તેઓના પૂર્વના વર્ણગુણનો વિપરિણામ કરી, વિધ્વસ કરી યાવત્ સ્પર્શેન્દ્રિયપણે યાવત્ મનોહરપણે ઈચ્છનીયપણે અભિલલિતપણે ઊર્ધ્વપણે-લઘુપણે પણ ભારેપણે નહિ, સુખરૂપે પણ દુખરૂપે નહિ એવો તેઓનો વારંવાર પરિણામ થાય છે. બાકી બધું નરયિકોની પેઠે સમજવું. એ પ્રમાણે યાવતું સ્વનિતકુમારોને જાણવું. પરન્તુ ઈચ્છાપૂર્વક આહાર સંબંધે ઉત્કૃષ્ટ દિવસ પૃથક્વે-બે દિવસથી નવ દિવસે આહારની • 262
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy