SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ , चउवीसइमं कम्मबंधपयं वेयणिज्जबंधएसु जीवाईसु कम्मपयडीबंध परूवणं જ્ઞાનાવરણીયકર્મ બાંધતા કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? ઇત્યાદિ. અહીં જીવો સાત કર્મના બન્ધક અને આઠ કર્મના બન્ધક હમેશાં ઘણા હોય છે. છ કર્મનો બન્ધક જીવ કોઈ વાર હોય છે અને કોઈ વાર હોતો નથી. કારણ કે ઉત્કૃષ્ટ છ માસ સુધીનું તેનું અત્તર કહ્યું છે. જ્યારે છ કર્મનો બન્ધ કરે છે ત્યારે પણ જઘન્ય સ્થાને એક બે અને ઉત્કૃષ્ટ એકસોને આઠ હોય છે. જ્યારે છ કર્મનો બન્ધક એક પણ ન હોય ત્યારે પહેલો ભાંગો, જ્યારે એક હોય ત્યારે બીજો ભાગો અને ઘણા હોય ત્યારે ત્રીજો ભાગો હોય છે. નારકો છ કર્મના બન્ધક હોતાજ નથી, અને આઠ કર્મના બન્ધક પણ કદાચિતું હોય છે. તેમાં જ્યારે એક પણ નારક આઠ કર્મનો બન્ધક નથી હોતો, ત્યારે બધાય સાત કર્મના બન્ધક હોય છે એ પ્રથમ ભંગ. જ્યારે એક આઠ કર્મનો બન્ધક હોય ત્યારે બીજો ભાંગો, જ્યારે ઘણા આઠ કર્મના બન્ધક હોય ત્યારે ત્રીજો ભાંગો હોય છે. આ ત્રણે ભાંગા દશે ભવનપતિમાં વિચારવા. પાંચે પૃથિવ્યાદિમાં ‘સાત કર્મના બાંધનારા અને આઠ કર્મના બાંધનારા' આ એકજ ભાંગો હોય છે. કારણ કે તેઓમાં આઠ કર્મને બાંધનારા પણ ઘણા હોય છે. બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિય સૂત્રમાં નરયિકની પેઠે ત્રણ ભાંગા જાણવા. મનુષ્યસૂત્રમાં નવ ભાંગા જાણવા, કારણ કે આઠ કર્મના બન્ધક અને છ કર્મના બન્ધક કદાચિત સર્વથા પણ હોતા નથી. તેમાં આઠ કર્મના અને છ કર્મના બાંધનારા ન હોય ત્યારે બધાય સાત કર્મના બાંધનારા હોય એ પ્રથમ ભંગ. કારણ કે સાત કર્મના બાંધનારા હમેશાં ઘણા હોય છે. એક આઠ કર્મનો બાંધનાર હોય ત્યારે સાત કર્મ બાંધનારા અને એક આઠ કર્મ બાંધનાર–એ બીજો ભાંગો. ઘણા આઠ કર્મના બાંધનારા હોય ત્યારે સાત કર્મ બાંધનારા અને આઠકર્મ બાંધનારા હોય-એ ત્રીજો ભાગો-એપ્રમાણે આઠ કર્મનો બાંધનાર ન હોય ત્યારે ‘ષવિધબમ્પક” પદના એક વચન અને બહુવચનને આશ્રયી બે ભાંગા થાય..એમ બ્રિકસંયોગમાં ચાર ભાંગા, ત્રિકસંયોગમાં પણ અષ્ટવિધબન્ધક અને ષવિધબમ્પક પદના પ્રત્યેકના એકવચન અને બહુવચનને અપેક્ષી ચાર ભાંગા થાય-એમ બધા મળી નવ ભાંગા થાય. બંન્તર, જ્યોતિષિક અને વૈમાનિકો નૈરયિકોની પેઠે જાણવા. જેમ જ્ઞાનાવરણીય કર્મનો વિચાર કર્યો તેમ દર્શનાવરણીય કર્મનો પણ વિચાર કરવો. ૧II૬૩પી || वेयणिज्जबंधासु जीवाईसु कम्मपयडीबंध परूवणं ।। वेयणिज्जं बंधमाणे जीवे कति कम्मपग्गडीओ बन्धति? गोयमा! सत्तविहबन्धए वा अट्ठविहबन्धए वा छव्विहबन्धए वा एगविहबन्धए वा, एवं मणूसे वि। सेसा णारगादीया सत्तविहबन्धगा य अट्ठविहबन्धगा य जाव वेमाणिए। जीवा णं भंते! वेयणिज्जं कम्म० पुच्छा। गोयमासव्वे वि ताव होज्जा सत्तविहबन्धगा य अट्ठविहबन्धगा य एगविहबन्धगा य छव्विबन्धगे य,अहवा सत्तविहबन्धगा य अट्ठविहबन्धगा य एगविहबन्धगा य छव्विहबन्धगा य, अवसेसा णारगादीया जाव वेमाणिया जाओ णाणावरणं बंधमाणा बंधति ताहिं भाणियव्वा। णवरं मणूसा णं भंते! वेदणिज्जं कम्मं बन्धमाणा कति कम्मपगडिओ बन्धंति? गोयमा! सव्वे वि ताव होज्जा सत्तविहबन्धगा य एगविहबन्धगा य, १, अहवा सत्तविहबन्धगा य एगविहबन्धगा य अट्ठविहबन्धगे य २,अहवा सत्तविहबन्धगा य एगविहबन्धगा य अट्ठविहबन्धगा य ३,अहवा सत्तविहबन्धगा य एगविहबन्धगा य छव्विहबन्धगे य ४, अहवा सत्तविहबन्धगा य एगविहबन्धगा य छव्विहबन्धगा य५, अहवा सत्तविहबन्धगा य एगविहबन्धगा य अट्टविहबन्धए य छव्विहबन्धए य ६ अहवा सत्तविहबन्धगा य एगविहबन्धगा य अट्ठविहबन्धए य छव्विहबन्धगा य ७, अहवा सत्तविहबन्धगा य एगविहबन्धगा य अट्ठविहबन्धगा य छव्विहबन्धगे य८,अहवा सत्तविहबन्धगा य एगविहबन्धगा य अट्ठविहबन्धगा य छव्विहबन्धगा य ९-एवं [एए] નવ મંn [માળિયવ્યા]િ Iટૂ-રાદરૂદ્દા (મૂ૦) વેદનીય કર્મ બાંધતો જીવ કેટલી પ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ! સાત કર્મનો બાંધનાર, આઠ કર્મનો બાંધનાર, છ કર્મનો બાંધનાર અને એક કર્મનોબાંધનાર પણ હોય. એમ મનુષ્ય સંબંધે પણ કહેવું. બાકીના નારકાદિ જીવો સાત કર્મ બાંધનારા અને આઠ કર્મ બાંધનારા વૈમાનિક સુધી કહેવા. હે ભગવન્! વેદનીય કર્મ બાંધતા જીવો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? હે - 246 –
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy