SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ तेविसइमं कम्मपयडीपयं बीओ उद्देसो बेइंदिएसु कम्मपयडीणं ठिइबंधपरूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ ઉત્કૃષ્ટ તેજ પરિપૂર્ણ સાગરોપમના ત્રણ સતેમાંશ જાણવા. સાતાવેદનીય, સ્ત્રીવેદ, મનુષ્યગતિ અને મનુષ્યાપૂર્વીનો જઘન્ય સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સાગરોપમનો દોઢ સક્ષમાંશ અને ઉત્કૃષ્ટથી તેજ સંપૂર્ણ દોઢ સક્ષમાંશ સાગરોપમ જાણવો. મિથ્યાત્વનો જઘન્યથી સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સાગરોપમનો એક સપ્તમાંશ અને ઉત્કૃષ્ટથી સાગરોપમનો સંપૂર્ણ એક સપ્તમાંશ હોય છે. સમ્યક્ત વેદનીય અને સમ્યમિથ્યાત્વ વેદનીયનો કંઇપણ બંધ કરતો નથી. એટલે ઉદયરૂપે આત્મપ્રદેશોની સાથે સંબન્ધ કરતો નથી એ ભાવાર્થ છે. કારણ કે એકેન્દ્રિયોને સમ્યક્વમોહનીય અને સમ્યમિથ્યાત્વમોહનીયના ઉદયનો અસંભવ છે. સમ્યક્વમોહનીય અને સમ્યુગ્મિથ્યાત્વમોહનીયનો સાક્ષાત્ બંધ તો ઘટતો જ નથી એ હકીકત પૂર્વે કહેલી છે. સોળ કષાયનો જઘન્ય બંધ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સાગરોપમના ચાર સપ્તમાંશ અને ઉત્કૃષ્ટથી પૂરા ચાર સપ્તમાંશ જાણવો. પુરુષવેદ, હાસ્ય, રતિ, પ્રશસ્તવિહાયોગતિ, સ્થિરાદિષક, પ્રથમ સંસ્થાન, પ્રથમ સંઘયણ, શુક્લવર્ણ, સુરભિગન્ધ, મધુર રસ અને ઉચ્ચ ગોત્રનો જઘન્ય બન્ધ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સાગરોપમનો એક સપ્તમાંશ, અને ઉત્કૃષ્ટથી પરિપૂર્ણ સાગરોપમનો એક સપ્તમાંશ જાણવો. બીજા ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન અને ઋષભનારાચ સંઘયણનો જઘન્ય સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સાગરોપમના છ પાંત્રીશાંશ, અને ઉત્કૃષ્ટથી સાગરોપમના પૂરા છ પાંત્રીશાંશ સમજવા. ત્રીજા સાદિસંસ્થાન, અને નારાચ સંઘયણનો જઘન્ય બંધ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સાગરોપમના સાત પાંત્રીશાંશ અને ઉત્કૃષ્ટ બંધ પૂરા સાત પાંત્રીશાંશ જાણવો. રક્તવર્ણ અને કષાય-તૂરા રસનો જઘન્ય સ્થિતિબન્ધ પલ્યોપમના અસંખ્યતમા ભાગે ન્યૂન સાગરોપમના છ અઠ્યાવીશાંશ અને ઉત્કૃષ્ટ પૂરા છ અઠ્યાવીશાંશ જાણવા. પીતવર્ણ અને અસ્ફરસનો જઘન્ય સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સાગરોપમના પાંચ અઠ્યાવીશાંશ અને ઉત્કૃષ્ટસાગરોપમના પૂરા પાંચ અઠ્યાવીશાંશ સમજવા. નીલવર્ણ અને કટુ રસનો જઘન્ય બંધ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સાગરોપમના સાત અઠ્યાવીશાંશ અને ઉત્કૃષ્ટ સાગરોપમના પૂરા સાત અઠ્યાવીશાંશ હોય છે. નપુંસકવેદ, ભય, જુગુપ્સા, શોક, અરતિ, તિર્યચક્રિક, ઔદારિકદ્ધિક, છેલ્લું હુંડક સંસ્થાન અને છેલ્લે છેવટ્ટ સંઘયણ, કૃષ્ણવર્ણ, તિક્તરસ, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અયશકીર્તિ, સ્થાવર, આતપ, ઉદ્યોત, અશુભવિહાયોગતિ, નિર્માણ, એકેન્દ્રિય જાતિ, પંચેન્દ્રિય જાતિ, તેજસ અને કાર્પણનો જઘન્ય સ્થિતિબન્ધ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સાગરોપમના બે સેહમાંશ અને ઉત્કૃષ્ટ સાગરોપમના પૂરા બે સપ્તમાંશ હોય છે. નરકદ્રિક, દેવદ્રિક, વૈક્રિયચતુષ્ક, આહારકચતુષ્ક અને તીર્થંકરનામનો એકેન્દ્રિયોને બબ્ધ હોતો નથી. આયુષ્યકર્મનો વિચાર કરતાં એકેન્દ્રિયો તથાભવસ્વભાવથી દેવાયુષ્ય અને નરકાયુષ્ય બાંધતા નથી, પરન્તુ તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય બાંધે છે. અને તે બાંધતા જઘન્યથી અન્તર્મુહર્તનું અને ઉત્કૃષ્ટ સાધિક પૂર્વકોટી વર્ષ પ્રમાણ બાંધે છે, કેવળ અહીં ઉત્કૃષ્ટ આયુષ્યબન્ધનો વિચાર છે માટે બાવીશ હજાર વરસના આયુષ્યવાળા એકેન્દ્રિયો પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે પરભવના આયુષ્યનો બંધ કરતા હોય તે લેવા માટે હજાર વરસના ત્રીજા ભાગ સહિત સાત હજાર અધિક જાણવા. તેથી તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્યના વિચારમાં સૂત્રમાં કહેલું પ્રમાણ ઘટે છે. એ પ્રમાણે કર્મબન્ધ કરનાર એકેન્દ્રિયોને આશ્રયી જઘન્ય અને ઉત્કૃષ્ટસ્થિતિનું પરિમાણ કહ્યું. //ર૯૬૨૭ll || વેફંતિસુવર્મપયડીનું વિંધાવM || बेइंदिया णं भंते! जीवा णाणावरणिज्जस्स कम्मस्स किं बंधंति? गोयमा! जहन्नेणं सागरोवमपणुवीसाए तिण्णि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणया, उक्कोसेणं ते चेव पडिपुण्णे बंधति। एवं णिहापंचगस्स वि। एवं जहा एगिदियाणं भणियं तहा बेइंदियाण वि भाणियव्वं, णवरं सागरोवमपणुवीसाए सह भाणियव्वा पलिओवमस्स असंखेज्जतिभागेणं ऊणा, सेसं तं चेव [पडिपुण्णं बंधंति।] जत्थ एगिंदिया ण बंधति तत्थ एते 235
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy