SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ तेविसइमं कम्मपयडीपयं बीओ उद्देसो मूलोत्तरपयडिभेद परूवणं યાવત્ દેવાનુપૂર્વીનામ.ઉચ્છ્વાસનામ એક પ્રકારે છે, બાકીની સર્વ પ્રકૃતિઓ તીર્થંકરનામ પર્યન્ત એક પ્રકારની છે. પરન્તુ વિહયોગતિનામ બે પ્રકારે છે. તે આ પ્રમાણે—પ્રશસ્ત વિહાયોગતિનામ અને અપ્રશસ્ત વિહાયોગતિનામ. ૧૮૬૧૬॥ (ટી૦)નામકર્મ બૅતાળીશ પ્રકારનું છે, તે બેંતાળીશ ભેદને દર્શાવે છે—‘ગતિનામ' ઇત્યાદિ. ગમ્યતે–તેવા પ્રકારના કર્મરૂપ પ્રધાન વડે પ્રાપ્ત કરાય તે ગતિ–નારકપણું વગેરે પર્યાયનો પરિણામ. તે ગતિ ચાર પ્રકારની છે—નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ, તેનું કારણભૂત કર્મ તે ગતિનામ, તે પણ ચાર પ્રકારનું છે—‘નરકગતિનામ’ ઇત્યાદિ. ‘જાતિનામ’ એકેન્દ્રિયાદિ જીવોનો એકેન્દ્રિયત્વાદિ સમાન પરિણામરૂપ સામાન્ય કે જેનો એકેન્દ્રિયાદિ શબ્દ વડે વ્યવહાર થાય છે તે જાતિ, તેનું કારણભૂત કર્મ તે જાતિનામ. અહીં આ તાત્પર્ય છે– ‘દ્રવ્યરૂપ ઇન્દ્રિય અંગોપાંગનામકર્મ અને ઇન્દ્રિયપર્યાપ્તિ નામકર્મના સામર્થ્યથી સિદ્ધ છે, અને ભાવરૂપ ઇન્દ્રિય સ્પર્શનાદિ ઇન્દ્રિયાવરણ કર્મના ક્ષયોપશમથી થાય છે, કારણ કે “ક્ષાયોપશમિાનીન્દ્રિયાળિ" ક્ષાયોપશમિકક્ષાયોપશમથી પ્રાપ્ત થયેલી ઇન્દ્રિયો છે–એવું શાસ્ત્ર વચન છે. પરન્તુ જે એકેન્દ્રિયાદિ શબ્દની પ્રવૃતિનું કારણ તેવા પ્રકારનું સમાન પરિણામરૂપ સામાન્ય છે તે અન્યથી અસાધ્ય હોવાના લીધે જાતિનામકર્મનિમિત્તક છે. તે જાતિનામ પાંચ પ્રકારે છે. ૧ એકેન્દ્રિયજાતિનામ, યાવત્ પંચેન્દ્રિયજાતિનાંમ. શીર્ષતે—ક્ષીણ થાય તે શરીર. પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે—ઔદારિક, વૈક્રિય, આહા૨ક, તૈજસ અને કાર્યણ. એઓની પૂર્વે વ્યાખ્યા કરેલી છે. તેનું કારણ નામકર્મ પણ પાંચ પ્રકારનું છે. જેમ કે ઔદારિકનામ, વૈક્રિયનામ ઇત્યાદિ. તેમાં જેના ઉદયથી ઔદારિક શરી૨ યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને ઔદારિક શરીરરૂપે પરિણમાવે, પરીણમન કરી જીવપ્રદેશો સાથે પરસ્પર એકમેકપણે સંબન્ધ કરેતે ઔદાકિશરીરનામ. એ પ્રમાણે બાકીના શરીરનામકર્મનો પણ વિચાર કરવો. ‘સરીરોપાંગનામ' ઇતિ. શરીરના મસ્તક પ્રમુખ આઠ અંગો છે. કહ્યું છે કે “સૌસમુરોવરપિટ્ટુ તો બાજૂ કયા ય બદું।" મસ્તક, છાતી, ઉદર, પીઠ, બે હાથ અને બે ઉરુ એ આઠ અંગ છે. અંગના આંગળી વગેરે અવયવો ઉપાંગ છે, બાકી તેના પણ અવયવરૂપ આંગળીના પર્વ રેખા વગેરે અંગોપાંગ છે. તેનું કારણ શરીરોપાંગનામ છે, તે ત્રણ પ્રકારે છે—૧ ઔદારિકાંગોપાંગનામ ૨ વૈક્રિયાંગોપાંગનામ અને ૩ આહા૨કાંગોપાંગનામ. જેના ઉદયથી ઔદારિક શરીરરૂપે પરિણત થયેલા પુદ્ગલોનો અંગોપાંગના વિભાગરૂપે પરિણામ થાય તે ઔદારિકાંગોપાંગનામ. એમ વૈક્રિય અને આહારકાંગોપાંગનામ કર્મ કહેવા. તૈજસ અને કાર્યણ શરીર જીવપ્રદેશના સંસ્થાનને અનુસરતું હોવાથી તેને અંગોપાંગનો સંભવ નથી. તથા વધ્યુત્તેનેનેતિ વન્યનં-જે વડે બંધાય તે બન્ધન. જે પૂર્વે ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા ઔદારિક પુદ્ગલોનો પરસ્પર અને તૈજસાદિ પુદ્ગલોની સાથે સંબન્ધ કરનાર બંધનનામ. આ સંબંધે મૂલટીકાકાર કહે છે-‘‘વિદ્યતે તત્વમ ત્રિમિત્તા દ્વયાવિસંયોપત્તિાવિર્ભવતિ, યથા ાયમેરેયસ્ય રળે નતુ જારળના” તે કર્મ છે કે જે નિમિત્તે બે આદિ શરીરોનો સંયોગ થાય છે, જેમ બે લાકડાના ભેદને એક ક૨વામાં લાખ કારણ છે. [તેમ આ કર્મ છે] તે પાંચ પ્રકા૨ેછે.જેમકે, ઔદારિકબંધનનામ, વૈક્રિયબંધનનામ, આહારકબંધનનામ, તૈજસબંધનનામ અને કાર્યણબંધનનામ. તેમાં જેના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા ઔદારિક પુદ્ગલોનો પરસ્પર તથા તૈજંસાદિ પુદ્ગલોની સાથે સંબંધ થાય તે ઔદારિકબંધનનામ. જેના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલા અને હમણાં ગ્રહણ કરાતા વૈક્રિય પુદ્ગલોનો પરસ્પર તથા તૈજસકાર્યણની સાથે ૫૨સ્પ૨ સંબન્ધ થાય તે વૈક્રિયબન્ધનનામ. જેના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલા અને હમણાં ગ્રહણ કરાતા આહાર પુદ્ગલોનો પરસ્પર તથા તૈજસકાર્યણની સાથે પરસ્પર સંબન્ધ થાય તે આહારકબંધનનામ. જેના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલા અને હમણાં ગ્રહણ કરાતા તૈજસ પુદ્ગલોનો પરસ્પર તથા કાર્મણ પુદ્ગલોની સાથે સંબન્ધ થાય તે તૈજસબન્ધનનામ. જેના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલા અને હમણા ગ્રહણ કરાતા કાર્યણ પુદ્ગલોનો પરસ્પર સંબન્ધ થાય તે કાર્યણબન્ધનનામ. સંધાત્યન્ને-પિન્ડીયિન્તે મેન-જે વડે ઔદારિકાદિ પુદ્ગલો પિંડરૂપે એકઠા કરાય તે સંઘાતનામ કહેવાય છે. તે પણ પાંચ પ્રકારે છે—૧ ઔદારિક સંઘાતનામ, ૨ વૈક્રિય સંઘાતનામ, ૩ આહારકસંઘાતનામ, ૪ તૈજસ સંઘાતનામ, ૫ કાર્પણ સંઘાતનામ. તેમાં જેના ઉદયથી (ઔદારિક પુદ્ગલો) ઔદારિક શરી૨ રચનાને અનુસારે સંઘાત–પિંડરૂપ થાય તે ઔદારિક સંઘાતનામ. એ પ્રમાણે વૈક્રિયાદિ શરીર સંઘાતનામને વિષે 216
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy