SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ तेविसइमं कम्मपयडीपयं कतिविधाणुभाव दारं श्री प्रज्ञापना सूत्र भांग २ ‘વાવસુલતા’વચનનું સુખ–એટલે સર્વના કાન અને મનને હર્ષ ઉત્પન્ન કરનાર વચન એ તાત્પર્ય છે. ‘હ્રાયસુલતા’શરીરનું સુખ અર્થાત્ સુખી શ૨ી૨. એ આઠ પદાર્થો સાતાવેદનીયના ઉદય વડે પ્રાણીઓને પ્રાપ્ત થાય છે. માટે આઠ પ્રકારનો સાતાવેદનિયનો વિપાક કહ્યો છે. હવે પ૨ને આશ્રયી સાતાવેદનીયનો ઉદય બતાવે છે—‘નં વેડ્ પુખ્તસ્તં' ઇત્યાદિ જે પુષ્પમાળા અને ચન્દનાદિ પુદ્ગલને વેદે છે–અનુભવે છે, જે માળા અને ચન્દનાદિ ઘણા પુદ્ગલોને વેદે છે, જે દેશ, કાળ, વય અને અવસ્થાને યોગ્ય આહારના પરિણામરૂપ પુદ્ગલપરિણામને વેદે છે, ‘વીલસા વા પુષ્પાતાળ પરિણામ'જે કાળે ઇષ્ટ, શીત અને ઉષ્ણાદિ વેદનાના પ્રતિકારરૂપ વિસસા વડે પુદ્ગલોના પરિણામને વેદે છે, તેથી મનનું સમાધાન–સ્વસ્થતા થવાથી સાતાવેદનીય કર્મ અનુભવે છે. એટલે સાતાવેદનીય કર્મનું ફળ સુખ ભોગવે છે. એમ પ૨ને આશ્રયી ઉદય કહ્યો. હવે સ્વતઃ ઉદય કહે છે—તે સાતાવેદનીય કર્મપુદ્ગલના ઉદય વડે મનોજ્ઞ શબ્દાદિ સિવાય પણ કદાચિત્ સુખ વેદે છે. જેમ તીર્થક્રુરાદિના જન્માદિ સમયે નૈરયિકો સુખ અનુભવે છે. ‘હે ગૌતમ! એ સાતાવેદનિય છે’ ઇત્યાદિ ઉપસંહાર વાક્ય જાણવું. ‘અસાયાવેગિન્ગલ્લાં મંતે!' હે ભગવન્! અસાતાવેદનીય કર્મનો વિપાક કેટલા પ્રકારનો છે.’ઇત્યાદિ પ્રશ્નસૂત્ર સુગમ છે. અને ઉત્તર પૂર્વવત્ જાણવો. તે પ્રમાણે સૂત્રકાર કહે છે—‘તહેવ પુચ્છા ૩ત્તરે જ્ઞ' તેમજ પ્રશ્ન અને ઉત્તર જાણવો. ‘નવરં’ પરંતુ ઇત્યાદિ વડે પૂર્વના સૂત્રથી આ સૂત્રની વિશેષતા બતાવે છે— ‘અમનુળા સા' ઇત્યાદિ–અમનોજ્ઞ શબ્દો-ગધેડા, ઉંટ અને અશ્વાદિના આગન્તુક મનને અપ્રિય શબ્દો, ‘અમનોજ્ઞા રક્ષા:’ પોતાને જેનો પ્રતિભાસ–અનુભવ ન થાય એવા દુઃખ આપનારા મનને અણગમતા રસો, ‘મનોજ્ઞા મન્યા:' બળદ, મહિષ વગેરેના મૃત કલેવરાદિના ગન્ધો, ‘અમનોજ્ઞાનિ રૂપાળિ' પોતાના અથવા પોતાની સ્ત્રી વગેરેના અમનોજ્ઞ રૂપો, ‘અમનોજ્ઞા: સ્વf: 'કર્કશાદિ અમનોજ્ઞ સ્પર્શો‘મનોવુઃહતા’મન સંબંધી દુઃખ, ‘વયહવા’વચનનું દુઃખ, અપ્રિય વાણી, ‘વ્હાયડુહયા’શરીર સંબંધી દુઃખ, દુઃખી શરીર, ‘ ં વેજ્ઞ' જે વિષે, શસ્ત્ર અને કંટકાદિ પુદ્ગલ વેદે છે–અનુભવે છે, જે વિષે, શસ્ત્ર અને કંટકાદિ ઘણા જે પુદ્ગલોને વેદે છે, જે અપથ્ય આહારરૂપ પુદ્ગલપરિણામને વેદે છે, વિસ્રસા–સ્વભાવ વડે અકાળે અનિષ્ટ શીતોષ્ણાદિ રૂપ પુદ્ગલપરિણામને વેદે છે તે વડે મનને અસમાધાન-અસ્વસ્થતા થવાથી અસાતાવેદનીય કર્મ અનુભવે છે. એટલે અસાતાવેદનીય કર્મનું ફળ અસાતા અનુભવે છે એ તાત્પર્ય છે. એ વડે ૫૨ને આશ્રયી ઉદય કહ્યો, હવે સ્વતઃ–પરનિરપેક્ષ ઉદય કહે છે—‘તેસિં વા યેળ' તે અસાતાવેદનીય કર્મપુદ્ગલોના ઉદય વડે અસાતા વેદે છે. ‘હે ગૌતમ! એ અસાતાવેદનીય છે' ઇત્યાદિ ઉપસંહાર વાક્ય છે. ।।૭।।૬૦૫| मोहणिज्जस्स णं भंते! कम्मस्स जीवेणं बद्धस्स जाव कतिविहे अणुभावे पन्नत्ते ? गोयमा ! मोहणिज्जस्स गं कम्मस्स जीवेणं बद्धस्स जाव पंचविहे अणुभावे पण्णत्ते, तं जहा -- सम्मत्तवेयणिज्जे, मिच्छत्तवेयणिज्जे, सम्मामिच्छत्तवेयणिज्जे, कसायवेयणिज्जे, गोकसायवेयणिज्जे । जं वेदेति पोग्गलं वा पोग्गले वा पोग्गलपरिणामं वा वीससा वा पोग्गलाणं परिणामं तेसिं वा उदरणं मोहणिज्जं कम्मं वेदेति एस णं गोयमा ! मोहणिज्जे कम्मे । एस णं गोयमा! मोहणिज्जस्स कम्मस्स जाव पंचविहे अणुभावे पन्नत्ते ॥ सू० - ८ । । ६०६ ।। (મૂળ) હે ભગવન્! જીવે બાંધેલ મોહનીય કર્મનો યાવતુ કેટલા પ્રકારનો વિપાક કહ્યો છે? હે ગૌતમ! જીવે બાંધેલા મોહનીય કર્મનો યાવત્ પાંચ પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણેછે—૧ સમ્યક્ત્વવેદનીય, ૨ મિથ્યાત્વવેદનીય, ૩સભ્યગ્મિથ્યાત્વવેદનીય, ૪ કષાયવેદનીય અને ૫ નોકષાયવેદનીય. જે પુદ્ગલ, પુદ્ગલો, પુદ્ગલપરિણામ અને વિસ્રસા પુદ્ગલપરિણામને વેદે છે, તેઓના ઉદય વડે મોહનીય કર્મને વેદે છે. હે ગૌતમ! એ મોહનીય કર્મનો યાવત્ પાંચ પ્રકારનો વિપાક કહ્યો છે. IC I૬૦૬ (ટી0) ‘મોહગિન્ગલ્સ નું મંતે !' ઇત્યાદિ. હે ભગવન્! મોહનીય કર્મનો વિપાક કેટલા પ્રકારનો છે' ઇત્યાદિ પ્રશ્નસૂત્ર પૂર્વની પેઠે સમજવું. ઉત્તર—પાંચ પ્રકારનો વિપાક કહ્યો છે, તે પાંચ પ્રકાર બતાવે છે—‘સમ્યવત્વવેનીય' ઇત્યાદિ. સમ્યક્ત્વરૂપે વેદવા 205
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy