________________
श्री प्रज्ञापना सूत्र भाग २
तेविसइमं कम्मपयडीपयं कतिविधाणुभाव दारं કર્મવર્ગણાની અંદરના પુદ્ગલોને અનાભોગ વીર્ય વડે ગ્રહણ કરતો તેજ બંધન સમયે જેમ આહારને રસાદિ સપ્ત ધાતુપણે વ્યવસ્થિત કરે તેમ જ્ઞાનાવરણાદિ પણે વ્યવસ્થિત કરેછે. જે જ્ઞાનાવરણાદિરૂપે વ્યવસ્થાપન કરવું તે ‘નિર્વર્તન’ કહેવાય છે. ‘નીવેન પરિળામિતસ્ય' જીવે પરિણમાવેલા–પ્રદ્વેષ અને નિર્ભવાદિરૂપ કર્મબંધના વિશેષ હેતુઓ વડે તે તે ઉત્તરોત્તર પરિણામને પ્રાપ્ત થયેલા, ‘સયં વા રુĪિસ્સ' સ્વયં વિપાકને પ્રાપ્ત થયેલા હોવાથી બીજાની અપેક્ષા સિવાય ઉદયમાં આવેલા, ‘પોળ વા ૐવીરિયલ્સ' અન્ય નિમિત્તથી ઉદયમાં આવેલા ‘તઽમયેન વા તવીર્યમાળસ્ય' સ્વતઃ અને અન્ય નિમિત્તથી ઉભય રૂપે ઉદયમાં આવેલા કર્મનો વિપાક ગતિને આશ્રયી હોય છે. કારણ કે કોઇ કર્મ કોઇ ગતિને પામી તીવ્રવિપાકવાળું હોય છે. જેમકે નરકગતિને પામી અસાતાવેદનીય તીવ્રવિપાકવાળું હોય છે. અસાતાવેદનીયનો ઉદય નારકોને તીવ્ર હોય છે તેવો તિર્યંચાદિને હોતો નથી. તથા સ્થિતિને પામી, અહીં ‘સર્વોત્કૃષ્ટ' નો અધ્યાહાર સમજવો. એટલે સર્વોત્કૃષ્ટ સ્થિતિને પામી અશુભ કર્મ તીવ્રવિપાકવાળું હોય છે. જેમ કે મિથ્યાત્વ. તથા ‘ મવું પ્રાપ્ય’—ભવને પામીને કોઇ કર્મ કોઇ ભવને આશ્રયી પોતાનો વિપાક બતાવવાને સમર્થ થાય છે. જેમકે નિદ્રા મનુષ્યભવ કે તિર્યંચ ભવને પામીને વિપાક બતાવે છે. માટે ‘ભવને પામીને' એમ કહ્યું છે. આટલા કથનવડે સ્વતઃ ઉદયના કારણો બતાવ્યા. કારણ કે કર્મ તે તે ગતિ, સ્થિતિ અને ભવને પામી સ્વયં ઉદયમાં આવે છે. હવે કર્મનો ૫૨ને આશ્રયી ઉદય બતાવે છે—‘પુર્વાતં’“કાષ્ટ, ઢેકું અને ખડ્ગ વગેરે પામીને કર્મનો ઉદય થાય છે. તે આ પ્રમાણે—બીજાએ ફેંકેલ કાષ્ટ, ઢેકું અને તલવા૨ વગેરે પુદ્ગલને પામી અસાતાવેદનીય અને ક્રોધાદિનો ઉદય થાય છે. તથા ‘પુત્પતિપરિણામ પ્રાપ્ય’પુદ્ગલપરિણામને પામી, એટલે કોઇ ક્રર્મ કોઇ પુદ્ગલને આશ્રયી વિપાકને પ્રાપ્ત થાય છે. જેમકે ખાધેલા આહારના અજીર્ણ પરિણામને આશ્રયી અસાતાવેદનીય અને સુરાપાનને આશ્રયી જ્ઞાનાવરણીય કર્મ વિપાકને પ્રાપ્ત થાય છે. તે માટે ‘પુદ્ગલપરિણામને આશ્રયી' એમ કહ્યું છે. એવા જ્ઞાનવરણીય કર્મનો કેટલા પ્રકારનો વિપાક કહ્યો છે? એ પ્રશ્ન છે. અહીં ઉત્તર કહે છે–દસ પ્રકારનો વિપાક કહ્યો છે. તેજ દસ પ્રકારનો વિપાક બતાવે છે—‘સોયાવરણે'-શ્રોત્રાવરણ-ઇત્યાદિ. અહીં શ્રોત્ર શબ્દ વડે શ્રોત્રેન્દ્રિયના વિષયભૂત ક્ષયોપશમ સમજવો અને શ્રોત્રવિજ્ઞાન વડે શ્રોત્રેન્દ્રિયનો ઉપયોગ લેવો. જે નિવૃત્તિ અને ઉપકરણ રૂપ દ્રવ્યેન્દ્રિય છે તે અંગોપાંગનામકર્મજન્ય છે અને તેથી તે જ્ઞાનાવરણીયનો વિષય નથી. માટે તેને શ્રોત્રશબ્દ વડે ગ્રહણ ન કરવી. એ પ્રમાણે નેત્રાવરણ–ઇત્યાદિ સંબન્ધ વિચાર કરવો. તેમાં એકેન્દ્રિયોને રસન, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્રના વિષયરૂપ લબ્ધિ અને ઉપયોગનું પ્રાયઃ આવરણ હોય છે. ‘પ્રાય: ' કહેવાનુ કારણ બકુલાદિનો નિષેધ કરવા માટે છે. કારણ કે બકુલાદિ વનસ્પતિ યથાસંભવ પાંચે ઇન્દ્રિયોના લબ્ધિ અને ઉપયોગ ફળથી અસ્પષ્ટરૂપે જણાય છે. આગમ-શાસ્ત્રમાં પણ કહેલું છે કે—
पंचिंदियोवि बउलो नरोव्व पंचिंदिओवगाओ । तहवि न भण्णइ पंचिंदिओत्ति दव्विंदियाभावा ॥ तथा
નહ સુહુમ માવેવિયનાળ વિંયિાવરોહેવિ । વ્વ્નસુયામાવિિવ માવસુ પત્થિવાળું ।। (વિશેષા૦ ગા૦) બકુલ પંચેન્દ્રિય પણ છે. કારણ કે મનુષ્યની પેઠે તેને પાંચે ઇન્દ્રિયોનો ઉપયોગ હોય છે, તો પણ દ્રવ્યેન્દ્રિયના અભાવથી તે ‘પંચેન્દ્રિય’ કહેવાતો નથી. જેમ સૂક્ષ્મ ભાવેન્દ્રિય જ્ઞાન દ્રવ્યેન્દ્રિયના અભાવમાં હોય છે તેમ દ્રવ્યશ્રુતના અભાવમાં પણ ભાવશ્રુત પૃથિવ્યાદિને હોય છે. તે માટે ‘પ્રાયઃ’ એમ કહ્યું છે. બેઇન્દ્રિયને ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્રેન્દ્રિયના લબ્ધિ અને ઉપયોગનું, તેઇન્દ્રિયોને ચક્ષુ અને શ્રોત્રના લબ્ધિ અને ઉપયોગનું, ચઉરિન્દ્રિયોને શ્રોત્રેન્દ્રિય સંબન્ધી લબ્ધિ અને ઉપયોગનું આવરણ હોય છે,અને સર્વને પણ સ્પર્શનેન્દ્રિયની લબ્ધિ અને ઉપયોગનું આવરણ હોય છે, અને તે કુષ્ટાદિ વ્યાધિ વડે પીડિતશ૨ી૨વાળાને જાણવું. પંચેન્દ્રિય છતાં પણ જેઓ જન્માંધ છે અથવા પાછળથી આંધળા અને બહેરા થયેલા છે એવાઓને ચક્ષુ વગેરે ઇન્દ્રિયના લબ્ધિ અને ઉપયોગનું આવરણ સમજવું.
(પ્ર0)—શાથી એ પ્રમાણે ઇન્દ્રિયોના લબ્ધિ અને ઉપયોગનું આવરણ હોય છે?
(0)સ્વયં ઉદયને પ્રાપ્ત થયેલા અથવા પરનિમિત્તે ઉદયને પ્રાપ્ત થયેલા જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી થાય છે. તે બાબત દર્શાવે છ—ગં વેજ્ઞ' જે બીજાએ ફેંકેલા કાષ્ટ, ઢેકું અને ખડ્ગ વગેરે રૂપ પુદ્ગલોને વેદે છે, એવા અભિધાત કરવામાં સમર્થ તે
202